SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ અવિકાસકાળ તરીકે અને જ્ઞાન ભૂમિકામાં કમશઃ જ્ઞાનની વૃદ્ધિ થતી હોવાથી તેને વિકાસકાળ તરીકે ગણી શકાય છે. સાતમી ભૂમિકામાં જ્ઞાન પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદની સ્થિતિ તે મક્ષિકાળ છે. બૌદ્ધસંસ્કૃતિ : બૌદ્ધ સંસ્કૃતિના મૌલિક ગ્રંથે પિટના નામે ઓળખાય છે. તેમાં આત્માના આધ્યાત્મિક વિકાસક્રમનું સ્પષ્ટ વર્ણન અનેક સ્થાને કરવામાં આવ્યું છે. એમાં આત્માની છ સ્થિતિઓ અથવા ભૂમિકાઓ વર્ણવવામાં આવી છે. જેમને અંધ પૃથફજન, કલ્યાણ પૃથકજન, સતાપન, સાદગામી, પપાતિક અને અરહા. આ છ ભૂમિકા પૈકી પહેલી ભૂમિકા તે આત્માને આધ્યાત્મિક અવિકાસકાળ. બીજીમાં વિકાસ છે ખરે, તે ઘણે ઓછો છે. અને તે પછી ત્રીજી. ચેથી, પાંચમી અને છઠ્ઠી ભૂમિકાઓમાં કમશઃ આધ્યાત્મિક વિકાસ વધતો જ જાય છે. આમ, ઉત્તરોત્તર વધતાં વધતાં છઠ્ઠી ભૂમિકામાં તે વિકાસ પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદ નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસારણનું પૃથકકરણ કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય. પહેલી અને બીજી ભૂમિકા અવિકાસકાળ; અને ત્રીજીથી છઠ્ઠી સુધીની ભૂમિકા તે વિકાસકાળ; અને તે પછી નિર્વાણકાળ. પૂર્વોક્ત છ ભૂમિકાનું સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે : અંધપૃથુજન (પૃથકજન) અને કલ્યાણ પૃથજજન (પૃથજન). આમાં પૃથફજનને અર્થ સામાન્ય મનુષ્ય થાય છે. આ બન્ને ભૂમિકા પૈકી પહેલી ભૂમિકામાં આત્માને આર્યદર્શન અને સત્સંગની પ્રાપ્તિ જ થતી નથી. અને બીજીમાં તેની પ્રાપ્તિ થઈ હોવા છતાં આત્મા તેના તરફની દષ્ટિવાળ બનતું નથી. એટલે આ બંને ભૂમિકામાં આત્મા નિર્વાણમાર્ગથી પરાડુ-મુખ રહે છે. ત્રીજી તાપન્મ ભૂમિકામાં રહેલે આત્મા નિર્વાણમાર્ગ સન્મુખ દશા પ્રાપ્ત કરે છે અને આત્માની જે દશ સંજના (બંધન) ગણવામાં આવી છે તે પૈકીની ત્રણ સંજનાનો ક્ષય કરે છે. ચોથી સકદાગામી ભૂમિકામાં ત્રણ પછીની બીજી બે સંજનાને શિથિલ બનાવે છે. પાંચમી પપાતિક ભૂમિકામાં પહેલી શિથિલ બનાવેલી એ સંજનાને ક્ષય કરે છે. એટલે અહીં કુલ પાંચ સંજનાને ક્ષય થાય છે. છઠ્ઠી અરહામાં દશેદશ સંજના (બંધન)નો ક્ષય થાય છે. જૈનસંસ્કૃતિ : જૈનસાહિત્યના પ્રાચીન મૂળ ગ્રંથ આગમ તરીકે ઓળખાય છે તેમાં આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચાર વિશદ રીતે, ઘણું સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે, પ્રાપ્ત થાય છે. તેમાં આધ્યાત્મિક વિકાસની જે ભૂમિકા છે તેને અનુલક્ષીને ચૌદ વિભાગો પાડવામાં આવ્યા છે અને તેને ગુણસ્થાનક તરીકે ઓળખાવવામાં આવે છે. ગુણસ્થાનકેનાં ચૌદ નામો આ પ્રમાણે છે : મિથ્યાદષ્ટિ, સાસ્વાદન, સમ્યગ મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યમ્ દષ્ટિ, દેશવિરતિ (વિરતાવિરત ), પ્રમત્ત સંયમ, અપ્રમત્ત સંયમ, અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), અનિવૃત્તિ બાદર, સૂકમપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સંગ કેવલી અને અગ કેવલી. આમાં પ્રથમ ગુણસ્થાનક એ આત્માને અવિકાસકાળ છે, બીજા અને ત્રીજમાં વિકાસનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy