SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શાસનપ્રભાવક મન. ૫. નિરુદ્ધ : તમામે તમામ પ્રકારની વૃત્તિએથી પર બની ગયેલુ. અને માત્ર સંસ્કારવાળુ મન. હવે આ પાંચે પ્રકારની ભૂમિકાના વિભાગીકરણમાં ક્ષિપ્ત અને મૂઢ – આ બે આધ્યાત્મિક અવિકાસ સૂચવે છે. વિક્ષિપ્ત એ અવિકાસ અને વિકાસના મિશ્રણરૂપ છે. આ ત્રીજી ભૂમિકામાં વિકાસ થાય છે ખરા, પણ વિકાસ કરતાં અવિકાસનું બળ વધારે હોય છે. ચેાથી એકાગ્ર ભૂમિકામાં અવિકાસનું જોર મંદ પડે છે ને વિકાસનુ જોર પ્રબળ બને છે. અને એથી આગળ પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં વિકાસ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે. આ રીતે ક્ષિપ્ત અને મૂઢ એ એમાં અવિકાસકાળ અને વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એ ત્રણમાં વિકાસકાળ હોય છે. યોગવાસિષ્ઠકાર સક્ષેપથી ચિત્તની એ જ અવસ્થાઓ બતાવે છે. એક અજ્ઞાનમય અને બીજી જ્ઞાનમય. અજ્ઞાનમય એ આત્માના અવિકાસ કાળ અને જ્ઞાનમય એ આત્માને વિકાસકાળ. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગે પાડવામાં આવ્યા છેઃ બીજાગ્રત, જાગ્રત, મહાજાગ્રત, જાગ્રત સ્વપ્ન, સ્વપ્ન, સ્વપ્નજાગ્રત અને સુષુપ્તક. આ સાતેયને આપણે આ રીતે ટૂંકી વ્યાખ્યાથી સમજી શકીએ : ૧. બીજજાગ્રત : જ્યાં અહીં-મમત્વ-બુદ્ધિની જાગૃતિ નથી તે. દા. ત. વનસ્પતિ આદિ. ૨. જાગ્રત : જ્યાં અલ્પાંશે અહ-મમત્વની બુદ્ધિ જાગ્રત થાય છે તે. દા. ત. કીડા, પતંગિયાં, પશુ-પક્ષી આદિ,૩, મહાજાગ્રત : જ્યાં વિશેષ પ્રકારે અહું મમત્વ બુદ્ધિ જાગ્રત થાય છે તે. દા. ત. મનુષ્ય અને દેવ. ૪. જાગ્રત સ્વપ્ન : જ્યાં ભ્રમ સ્વરૂપે જ્ઞાન થાય છે તે. જેમ કે છીપમાં રજત, ઝાંઝવામાં પાણી અને દારડામાં સ પ. સ્વપ્ન ઃ માણસને ઊંઘમાં જે સ્વપ્ન આવે છે તે. ૬. સ્વપ્નનગ્રત : જે સ્વપ્ન વર્ષના વર્ષો સુધી ચાલુ રહે છે તે. છ. સુષુપ્તક : ગાઢ નિદ્રા આવે તે, જેમાં માણસ એકદમ જડ જેવા થઈ જાય છે. અજ્ઞાનમયની જેમ જ્ઞાનમયતાના પણ સાત વિભાગો પાડવામાં આવ્યા છે : શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્ત્વાપત્તિ, અસંસક્તિ, પદાર્થોભાવની અને તુંગા. આની પણ ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે : ૧. શુભેચ્છા : શાસ્ત્ર અને સજ્જન દ્વારા આત્માવલેાકન માટેની વૈરાગ્યપૂર્ણાંક ઇચ્છા થાય તે. ૨. વિચારણા : શાસ્ત્રવચન અને સત્ સમાગમથી સદાચારમાં પ્રવૃત્તિ થાય તે. ૩. તનુમાનસા : શુભેચ્છા અને વિચારણાના કારણે વિષય પ્રત્યેની આસક્તિ ઘટવી તે. આ ભૂમિકામાં સંકલ્પ વિકલ્પ આછા થાય છે. ૪. સત્ત્વાપત્તિ : ઉપરની ત્રણ ભૂમિકાના સેવનથી આત્માની સત્ત્વ અને શુદ્ધ સ્થિતિ થાય તે. ૫. અસંસક્તિ : પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પરિપાકથી આત્મામાં નિરતિશય આનંદને આવિર્ભાવ થાય તે. ૬. પદાર્થોભાવની : પૂર્વે જણાવેલી પાંચ ભૂમિકાએના અભ્યાસથી પ્રાપ્ત થયેલા અપૂ આત્મજ્ઞાનના પરિણામે બાહ્ય-અભ્યંતર સ`વિધ પદાર્થો પ્રત્યેની ભાવના છૂટી જાય તે. આ ભૂમિકામાં દેહયાત્રા ખીજાના પ્રયત્નથી જ ચાલે છે. ૭. તુર્કીંગા : પૂર્વોક્ત છ ભૂમિકાઓના અભ્યાસથી ભેદભાવનુ ભાન બિલકુલ ભૂલી જવાથી એક માત્ર સ્વાભાવનિષ્ઠા પ્રાપ્ત થાય તે. આ સાતમી તુ ગાવસ્થા જીવનમુક્તમાં હોય છે. એ પછી વિદેહમુક્તને વિષય, તે તુ ગાતીત અવસ્થા છે. આમ, સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હોવાથી તે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy