SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા-૧ ૪૩ લાકડાં અને કાં અગ્નિના એક કણિયા! શું કઢી એવું જોયું-સાંભળ્યું છે કે જેટલાં લાકડાં હાય તેને ખાળવા માટે તેટલા જ અગ્નિ જોઇએ ? ના. તે ગમે તેટલાં લાકડાંના ઢગલે જેમ એક અગ્નિના કણિયાથી બળીને ખાખ થઈ જાય છે, તેવી જ રીતે ગમે તેવા અજ્ઞાનને કે રાગદ્વેષના જથ્થાને મહાત કરવા ચેતનાનું એક કિરણ પણ ખસ થઇ જાય છે. શરત એટલી જ છે કે એ કિરણ નામમાત્ર નહીં, પણ પ્રકાશમય હાવુ જોઈ એ. એ કરણના બળે આત્મા રાગદ્વેષની લડાઈમાં અવશ્ય જીત મેળવે છે. અને તે પછી આત્મા અત્યાર સુધી અવળી દિશાએ વળેલી શક્તિને પાતા તરફ વાળે છે; અને દૃઢ નિર્ધારપૂર્વીક વૈષયિક સુખને જ સુખ માની તેને મેળવવા મથી રહેલા પોતાના મનને આધ્યાત્મિક સુખનું સ્વરૂપ સમજાવી તે તરફ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. એ વખતે આધ્યાત્મિક વિકાસના પાયેા નખાય છે. પાયેા નંખાયા. હાવા છતાંય એ ઘર ઘાલી ગયેલા અજ્ઞાન અને રાગ-દ્વેષ એકદમ ઘેાડા જ ખસી જાય છે! પછી તે ચાલે છે તેની સામે ભીષણ સ`ગ્રામ, કયારેક જ્ઞાન જીતે છે, તા કચારેક અજ્ઞાન; પણ એમ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષનું જોર મંદ પડતું જાય છે. અને જ્ઞાન અને વીતરાગનું જોર વધતું જાય છે; અને એ જોર વધવાના કારણે એના ઉત્સાહમાં પણ વૃદ્ધિ થાય છે. અને આગળ વળી પાછા બમણા વેગથી એ એની સામે ઝઝૂમે છે અને આ રીતે આ આત્માની વિકાસયાત્રા શરૂ થાય છે. દોષહાસ અને ગુણવૃદ્ધિ એ જ આધ્યાત્મિક વિકાસનું પરિણામ છે. ચરમ વિકાસરૂપ મેક્ષ : આધ્યાત્મિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં સાધતાં દેષોનું સમૂલ ઉન્મૂલન અને ગુણાનું પૂર્ણતઃ પ્રગટીકરણ થતાં આત્મા ક`બંધનથી સથા વિમુક્ત થઈ જાય છે અને સહજ સચ્ચિદાનંદમય સ્પરૂપમાં લીન બને છે. આ જ આત્માને ચરમ વિકાસરૂપ મેક્ષ છે. આની પ્રાપ્તિ પછી બીજું કાંઈ જ પ્રાપ્ત કરવાનું અવિશિષ્ટ રહેતું નથી. વૈદિક સંસ્કૃતિ : આ સંસ્કૃતિને લગતાં ઘણા બધા ગ્રંથામાં આધ્યાત્મિક વિકાસક્રમની વાતે સમજાવવામાં આવી છે, તેમ છતાં યાગન અને યાગવાસિષ્ઠમાં તેનું વ્યવસ્થિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચોગદર્શનમાં મહર્ષિ પત ંજલિએ મેાક્ષના સાધનરૂપે યાગનું નિરૂપણ કર્યું છે. ચિત્તવૃત્તિનિરોધને યાગ કહેવામાં આવે છે. આ યોગનાં આ અંગેા – યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ રીતે બતાવવામાં આવ્યાં છે. એમાં સમાધિ સાધ્ય છે અને પહેલાંના સાતેય યેાગે! સાધનરૂપ છે. મહર્ષિ વ્યાસે ભાષ્યમાં ચિત્તના આધ્યાત્મિક વિકાસક્રમની પાંચ ભૂમિકાએ બતાવી છે, તેનાં નામ-ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ – આ રીતે પાંચ બતાવ્યાં છે. ૧. ક્ષિપ્તઃ રજોગુણની પ્રધાનતાવાળું, અનેક વિષયામાં દોડતું અત્યંત અસ્થિર મન. ૨. મૂઢ : તમેગુણુની પ્રધાનતાથી નિદ્રાવૃત્તિવાળુ બનતું મન, ૩. વિક્ષિપ્ત : વિશેષ અસ્થિરતા છતાંય કચારેક પ્રશસ્ત વિષયમાં સ્થિરતાવાળું બનતુ મન. ૪. એકાગ્ર : પ્રશસ્ત વિષયમાં એકદમ સ્થિર થઈ ગયેલું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy