SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ધોરણથી જ આંકી શકાય છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ –આ અગમ્ય પદાર્થોના વિષયમાં ગહન ચિંતન, વિસ્તૃત અવગાહન કે બુદ્ધિગ્રાહ્ય નિષ્કર્ષ જે રીતે જેનગ્રંથમાં જેવા-જાણવા મળે છે, તે રીતે અન્યત્ર મળ મુશ્કેલ છે. આથી જ અનેક તટસ્થ બુદ્ધિશાળી પુરુષોએ આને સર્વાગીણ અને સર્વશ્રેષ્ઠ તરીકે કબૂલ કરેલ છે. આત્માની ત્રણ અવસ્થા : અનાદિકાળથી–અનંતકાળથી આ સંસારમાં ભિન્ન ભિન્ન ગતિ અને યોનિઓમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે ભિન્ન ભિન્ન દશાને અનુભવતા આ આત્માની ત્રણ અવસ્થા નિરૂપવામાં આવી છે. એક આધ્યાત્મિક અવિકાસ, બીજી આધ્યાત્મિક વિકાસકમ અને ત્રીજી મોક્ષ. સચરાચર વિશ્વમાં કઈ પણ એવો જીવ નથી કે જે પિતે સુખને ન ઈચ્છતે હોય અને દુઃખને દૂર કરવા ન માંગતા હોય. કેઈપણ ભવમાં એણે આ માટે મથામણ કર્યા કરી જ છે, પણ મનુષ્ય સિવાયની બીજી બધી જ ગતિઓમાં તેણે કરેલી એ મથામણનું કદીયે સુફળ નીપજી શક્યું નથી. પરિણામે આ બધી જ મથામણ કલેશદાયક બનવા સાથે કિલષ્ટ કર્મબંધનમાં નિમિત્ત બની છે. આ બધામાં મનુષ્ય જ એક એ છે કે જે એનું વાસ્તવિક જ્ઞાન મેળવી, સાચા રસ્તાને જાણી, સાચા ભાવથી પુરુષાર્થ કરી એ સદાય માટે પજવતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવી શકે છે. પણ મોટા ભાગના જીને તે અજ્ઞાન તથા રાગદ્વેષની પ્રબળતાના કારણે સાચા સુખનું ભાન થતું નથી અને કેઈકને તેનું ભાન થયું હોય તે ય તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતું નથી. ચેતનાના કુરણમાં અજ્ઞાન એ મહા અવરોધક તત્વ છે, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચેતનાનું કુરણ થઈ શકતું નથી; અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચું સુખ તથા સાચા સુખનાં સાધનોની ખરી સમજણ આત્મા હરગિજ મેળવી શકતો નથી. આ કારણથી સુખને મેળવવા માટે અને દુઃખને દૂર કરવા માટે આત્મા એક વિષયમાં પ્રવૃત્તિ કરે છે, પણ તેમાં છેવટે નિરાશ થતાં બીજા વિષય તરફ વળે છે. એમાં કરેલી પ્રવૃત્તિથી એ નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દોટ મૂકે છે. આ અનેકવિધ પ્રવૃત્તિઓ-વિષ તરફ દોટ મૂકવામાં આવે અને તે પ્રત્યેકમાં નિરાશા સાંપડવામાં તેનો સમસ્ત જીવનકાળ પૂરો થઈ જાય છે, અને તેની દશા વાળિયામાં ઊડતા તણખલા જેવી કે વમળમાં ગોથાં ખાતા લાકડા જેવી બની જાય છે. વારંવારની પછડાટ પછી એનું અજ્ઞાન કંઈકે મંદ પડતાં એને સુખની અને સુખનાં સાધનોની સાચી સમજણ મળે છે, પણ ત્યારેય રાગદ્વેષની પ્રબળતા એને પોતે માનેલા અને પકડેલાં એ સાધનોને છેડવા અને સુખનાં સાધનોને સ્વીકારવા શક્તિમાન બનવા દેતી નથી. આ સ્થિતિમાં રહેલા એ જીવની દશા કે ઈ ચોક્કસ દિશાને નકકી કર્યા વગર વહાણ કે વાહન ચલાવનાર માણસ જેવી બની જાય છે. આ અવસ્થા આત્માના આધ્યાત્મિક અવિકાસ કાળની છે. આધ્યાત્મિક વિકાસક્રમ : સમાં અસતનું અને અસમાં સત્નું ભાન કરાવનાર અજ્ઞાનનું કે હિતકારી વિષયમાં અરુચિ અને અહિતકારી વિષયમાં રુચિ કરાવનાર રાગ-દ્વેષનું જે ગમે તેટલું હોય, છતાં આત્માની શક્તિ આગળ તે કશાય હિસાબનાં નથી. જ્યાં ઢગલાબંધ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy