SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંસ્કૃતિનું જગતને આગવું પ્રદાન (પ્રસ્તાવના ) પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ શ્રમણ સંસ્કૃતિનું જગતને આગવું પ્રદાન : મનુષ્યના વિચારને સંસ્કાર આપી, તેના દ્વારા વાણી અને વર્તનને વિશુદ્ધ બનાવી, તેને અધોગામી જીવનને ઊર્ધ્વગામી બનાવવાનું કામ સંસ્કૃતિ કરતી રહી છે. વળી, સ્વાભાવિકપણે પ્રેય તરફ દોડતી તેની વૃત્તિઓને શ્રેય તરફ વાળવાનું કામ પણ આ સંસ્કૃતિ જ કરે છે. એમાં અમુક વિષેની ચર્ચા કરી તેના વાસ્તવિક જ્ઞાન મેળવવા સુધીના જ ધ્યેયને વરેલા યુરોપીય દર્શનને બાજુએ રાખી અત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ યા દર્શન અંગે વિચાર કરવા ધારીએ છીએ અને એ કરવા દ્વારા શ્રમણ સંસ્કૃતિએ જગતને કેવી આગવી ભેટ કરી છે તેને વિચાર કરવાનું છે. - ભારતીય સંસ્કૃતિની ત્રણ શાખા : ભારતીય સંસ્કૃતિની મુખ્ય ત્રણ શાખા છે. વૈદિક, બૌદ્ધ અને જૈન. તેમાં વૈદિક સંસ્કૃતિ બ્રાહ્મણ પંથની અને બૌદ્ધ તથા જેન, બંને શ્રમણ પંથની શાખા છે. શ્રમણ પંથની બીજી પણ અનેક શાખાએ પૂર્વકાળમાં હતી, પણ તેનાં નામસાહિત્ય કે સંપ્રદાયની કઈ બાબત વિશેષ પ્રમાણમાં અત્યારે જાણવા મળતી નથી, કેવળ છૂટાંછવાયાં નામ તથા મંતવ્ય વર્તમાનકાળના કેટલાક સાહિત્યમાં મળે છે. બ્રાહ્મણ પંથના ગ્રંથ અને તેનું સાહિત્ય સંસ્કૃતભાષામાં મળે છે, જ્યારે શ્રમણ પંથના મૂળ ગ્રંથે પ્રાકૃત ભાષામાં મળે છે. આથી તે બન્ને પંથેના ગ્રંથમાં ભાષા, પરિભાષા અને નિરૂપણમાં સ્વાભાવિકપણે ભિન્નતા હેવા છતાં તેનું સૂકમપણે અવલોકન કરનારને તે તે વિષયનું ઐકય સમજાયા વગર રહેતું નથી. જૈનસંસ્કૃતિની સર્વાગીણતા અને શ્રેષ્ઠતા : ત્રણે ત્રણ સંસ્કૃતિના પ્રવાહે પિતપિતાના સિદ્ધાંત, આચાર અને પરંપરાઓના માધ્યમથી એકસરખા વહી રહેલા હોવા છતાં તેમાં જૈનસંસ્કૃતિ પોતાના અસાધારણ સિદ્ધાંત અને અણિશુદ્ધ આચરે દ્વારા તે બન્ને કરતાં જુદું અસ્તિત્વ ધરાવે છે. કઈ પણ વસ્તુનું મૂલ્ય જેવી રીતે તેના પ્રમાણ ઉપરથી નહીં, પણ તેની ગુણમયતાથી જ આંકવામાં આવે છે, તેવી જ રીતે, અહીં પણ સંસ્કૃતિનું મૂલ્ય તેને માનનારા અનુયાયીઓના સંખ્યાબળથી નહિ, પણ તેની સચ્ચાઈ તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્વદર્શકતાના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy