SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શાસનપ્રભાવક ચારિત્રનિષ્ઠ, ક્રિયાપ્રવ`ક, સમર્થ વ્યાખ્યાનકાર તથા પ્રતિભાવાન ગ્રંથકાર શાસનપ્રભાવક આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આચાય દેવેન્દ્રસૂરિ શાંત-સ્વભાવી, ચારિત્રનિષ્ઠ, ક્રિયાપ્રવર્તક, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની, સમ” સાહિત્યકાર અને મહાન શાસનપ્રભાવક સૂરિવર હતા. તપાગચ્છના પ્રવક શ્રી જગચ્ચદ્રસૂરિના તેઓ પટ્ટધર હતા. શ્રી દેવેન્દ્રસૂરિનાં જન્મસ્થળ કે ગૃહસ્થજીવન વિષે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. પરંતુ એક ઉલ્લેખ એવા મળે છે કે, શેઠ પૂર્ણચંદ્ર પારવાલના ચૌથા વંશજ ધીણાજના બીજા ભાઇ ક્ષેમસ હું અને ચાથાભાઈ દેવસ હું શ્રી જગચ્ચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમાં દેવસિહુ બાલ્યવયમાં, ક્ષેમસિ'હુ પહેલાં, દીક્ષા 'ગીકાર કરી હતી. અને તે ક્રમશઃ આચાય પદ પ્રાપ્ત કરી શ્રી દેવેન્દ્રસૂરિ નામે શ્રી જગચ્ચદ્રસૂરિની પાટે તપાગચ્છના દ્વિતીય ગચ્છનાયક બન્યા હતા. જ્યારે ક્ષેમસિહુ કેટલાક સમય બાદ આચાય જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લઈ, શ્રી વિજયચંદ્રસૂરિના શિષ્ય બન્યા હતા. અને તે પણ ક્રમશઃ આચાર્ય પદ પ્રાપ્ત કરી શ્રી ક્ષેમકીર્તિસૂરિ નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. વાસ્તવમાં, આ બંને ભાઈ એ સયમીજીવનમાં ત્યાગી,સંવેગી, વિદ્વાન અને સમ ગ્રંથકાર થયા છે એટલે આ ઉલ્લેખ યુક્ત લાગે છે. શ્રી દેવેન્દ્રસૂરિના દીક્ષા-સમય કે સ્થળ સંબધી સ્પષ્ટ વિગતો મળતી નથી; પરંતુ તેએ મેટે ભાગે માળવા અને ગુજરાત પ્રદેશમાં વિચર્યાં હાવાથી એવું અનુમાન કરી શકાય કે તે બંને પ્રદેશો પૈકી એક પ્રદેશમાં તેઓની દીક્ષા થઈ હોય; અને તેમના જન્મ પણ ત્યાં જ થયેા હાય. શ્રી સોમપ્રભસૂરિના સ્વ`વાસ પછી એટલે કે વિ. સ. ૧૨૮૪ પછી શ્રી જગચ્ચદ્રસૂરિ મેવાડમાં વિચરતા હતા ત્યારે શ્રી દેવેન્દ્રસૂરિ ( પ. દેવેન્દ્રગણિ ) તેમની સાથે હતા. ક્રિયાદ્વારનાં કાર્યમાં પણ તેએ સાથે જ હતા. શ્રી જગચ્ચ ંદ્રસૂરિએ તેમને લગભગ વિ. સં. ૧૨૮૫માં આચાર્ય પદવી આપી હતી. મેવાડના રાજા તેજસિંહ, રાણી જયતલાદેવી, રાજા સમરિસંહ વગેરે શ્રી દેવેન્દ્રસૂરિના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણી જયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યુ હતું. રાણા તેજસ હૈ મેવાડમાં અરિપાલન કરાવ્યું હતું. મહાઅમાત્ય વસ્તુપાલના હિસાબનીશ ( મુનીમ ) વિજયચંદ્ર નામે હતેા. કોઈ અપરાધને કારણે તેને જેલમાં પૂરવામાં આવ્યેા હતા. ઉપા॰ દેવભદ્રગણિએ હિતભાવનાથી દીક્ષાગ્રહણ કરવાના નિયમપૂર્વક તેને જેલમાંથી છેડાવી દીક્ષા આપી અને શ્રી જગચ્ચંદ્રસૂરિના શિષ્ય બનાવ્યેા. શાસ્ત્રના ઊંડા અભ્યાસ કરતાં, મંત્રી વસ્તુપાલની ના છતાં, ઉપાધ્યાય દેવભદ્રગણિના આગ્રહથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે ” એમ વિચારી શ્રી જગચ્ચંદ્રસૂરિએ તેને આચાર્ય પદવી આપી. આચાર્ય વિજયસિંહસૂરિ તેમ જ ઉપાધ્યાય શ્રી દેવભદ્રગણિને, શ્રી જગચ્ચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી, દેવેન્દ્રસૂરિને સાથે રાખી અનેક સ્થળે શાસનપ્રભાવના પ્રવર્તાવી. વિ. સ. ૧૩૦૧માં પાલનપુરમાં વહુડિયા આસદેવે ‘ ઉપાસકસૂત્રવૃત્તિ લખાવી. વિ. સ. ૧૩૦૨માં વીજાપુર ( ઉજ્જૈન )માં શ્રેષ્ઠિ જિનચંદ્રના પુત્ર વીરધવલને તેના Jain Education International 2010_04 (6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy