SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૮૫ લગ્ન સમયે પ્રતિબોધી, દીક્ષા આપી. ત્યાર બાદ વીરધવલના નાના ભાઈ ભીમદેવને પણ પ્રતિબધી દીક્ષા આપી. તેઓનાં નામ અનુક્રમે મુનિ વિદ્યાનંદ અને મુનિ ધર્મકીતિ રાખ્યાં. વિ. સં. ૧૩૦૬માં તેમના ઉપદેશથી મવાના શ્રીસંઘે સરસ્વતી ગ્રંથ ભંડાર બનાવ્યા. વિ. સં. ૧૩૦૭ પછી શ્રી દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે પાછા ગુજરાતમાં પધાર્યા હતા. ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસત્થવાળી વડી પિાળે શ્રી વિજ્યચંદ્રસૂરિ ૧૨ વર્ષથી સ્થિર હતા. તેઓ પૂર્વે મહાઅમાત્ય વસ્તુપાલના મુનીમ હતા તેથી તેમને ખંભાતના અધિકારીઓ અને ધનાડ્યો સાથે ગાઢ પરિચય હતો. ચૈત્યવાસીઓ સાથે પણ મીઠા સંબંધે હતા. આ સ્થિરતાએ તેમાં વધારે થયે. તેથી દ્વિગારવથી તેઓ શિથિલાચારી અને પ્રમાદી બની ગયા હતા. વળી ગુરુ શ્રી જગચંદ્રસૂરિ અને કૃપાવંત ઉપાટ દેવભદ્રગણિ સ્વર્ગવાસી બન્યા હતા. ગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ દૂર હતા. આથી શ્રી વિજયચંદ્રસૂરિએ કેટલીક નવી નવી પ્રરૂપણા ચલાવી હતી અને સ્વતંત્ર રીતે દીક્ષા, પદાદિ પ્રદાનનાં કાર્યો કરવા માંડ્યાં હતાં. તેમને આવી મોટાઈને ગર્વ આવી ગયો હતે. શ્રી દેવેન્દ્રસૂરિ ૧૨ વર્ષે, વિ. સં. ૧૩૨લ્માં ગુજરાત-ખંભાત પધાતા શ્રી વિજયચંદ્રસૂરિએ અહંકારમાં આવી જઈ તેમનો વિનય-સત્કાર કર્યો નહીં, તેમ જ શિથિલાચાર છોડ્યો નહીં અને પિતાની નવી પ્રરૂપણાઓ પણ ચાલુ રાખી. જેના કારણે તપાગચ્છની મૂળ શાખાથી બીજી જુદી શાખા “વડી પષાળ'ના નામથી અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રી દેવેન્દ્રસૂરિ સંવેગી, વૈરાગી શિષ્ય પરિવાર સાથે ખંભાતમાં નાની પિષાળમાં ઊતરતા એ શ્રમણસંઘ તપાગચ્છના જ નામાંતર એવા “લઘુ પિષાળ”ના નામથી પ્રસિદ્ધિ પામે. આ સમયે ખંભાતના ચેકમાં રહેલા “કુમારપાળવિહાર’ના ઉપાશ્રયમાં સેંકડો (લગભગ ૧૮૦૦) શ્રાવકોની ઉપસ્થિતિમાં ત્યાગ-વૈરાગ્યને અમોઘ ઉપદેશ વહાવતા આચાર્ય દેવેન્દ્રસૂરિને મંત્રી વસ્તુપાલે વંદન કરી બહુમાન આપ્યું. વિ. સં. ૧૩૨૩માં, પાલનપુરમાં, શ્રી દેવેન્દ્રસૂરિએ ઉપા૦ વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પં. ધર્મકીતિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે પલ્લવિયા પાર્શ્વનાથ મંદિરના મંડપમાં કેશરની દૈવીવૃષ્ટિ થઈ. લોકમાં આનંદ અને આશ્ચર્ય ફેલાયા. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ત્યાર પછી નૂતન આચાર્ય વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવા આજ્ઞા આપી. અને પોતે વિ. સં. ૧૩૨૪માં વિહાર કરતાં કરતાં પુનઃ માળવા પધાર્યા હતા. ગ્રંથસર્જન : આચાર્ય દેવેન્દ્રસૂરિની વ્યાખ્યાનમાં રસ જમાવવાની અને સમજાવવાની શક્તિ અલૌકિક હતી. તેઓ મહાન વ્યાખ્યાનકાર અને સમર્થ ગ્રંથકાર હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પારંગત હતા. દર્શનશાસ્ત્ર અને કર્મસિદ્ધાંતના મર્મજ્ઞ હતા. તેમની આ વિદ્રત્તા તેમનાં ગ્રંથસર્જનમાં જણાઈ આવે છે. તેમણે રચેલા ગ્રંથે આ પ્રમાણે છે : ૧. ધર્મરત્ન પ્રકરણ બૃહવૃત્તિ, ૨. સુદર્શનચરિત્ર, ૩. સિદ્ધપંચાશિકા સૂત્ર અને સ્વપજ્ઞ ટીકા, ૪. શ્રાદ્ધવિધિ કૃત્ય, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy