SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ર મણભગવા ૨૮૩ પેારવાલ નામે તેમના પિતા અને માલદેવી નામે તેમના માતા હતા. વિ. સ. ૧૪૦૩માં તેમના જન્મ થયા હતા; અને વિ. સ. ૧૪૧૦માં તેમણે નાણા ગામે દીક્ષા લીધી હતી. આ વિગત વધુ આધારભૂત મનાય છે. શ્રી મેરુતુ...ગસૂરિના જીવનમાં અનેક ચમત્કારિક ઘટના બની હતી. વિ. સ ૧૪૪૪માં લેાલાડા ( શ'ખેશ્વર પાસેના ) ગામમાં તેમનુ' ચાતુર્માસ હતું. એ સમયે અમદાવાદના બદશાહ મહમ્મદ શાહના લશ્કરના હુલ્લાને તેમણે મંત્રના પ્રભાવે રોકી રાખ્યા હતા. ત્યાંના હાકાર મેઘરાજ રાઠોડને જૈનધર્મના પ્રેમી બનાવ્યેા હતેા. એક વખત વડનગરમાં બ્રાહ્મણુ નગરશેઠના પુત્રને સર્પદંશ થતા ઝેર ઉતારવા આચાર્ય શ્રીએ ‘ૐ નમે દેવદેવાય ’ નામના પ્રભાવક · જિરાવલા તેાત્ર 'ની રચના કરી ઝેર ઉતાર્યું હતું. આ ઘટના પછી ઘણા નાગર બ્રાહ્મણા જૈન બન્યા હતા; અને આચાર્યશ્રીના ઉપદેશથી તેઓએ જિનમદિરા અને ઉપાશ્રયે અંધાવ્યાં હતાં. એક ઘટનામાં શત્રુજયતીના મુખ્ય દેરાસરમાં દીવાથી ચંદરવા બળી રહ્યો હતા તે તેમણે ખંભાતમાં વ્યાખ્યાનની પાટે બેઠાં એટલું હાથમાંની મુહપત્તિને ચાળી એલવી નાખ્યા હતા. વિ. સં. ૧૯૨૬માં, પાટણમાં, ગુરુદેવના હાથે તેમને આચા પદવી આપવામાં આવી હતી અને વિ.સ. ૧૯૪૪માં પાટણ મુકામે ગુરુદેવ સ્વર્ગવાસી થતા, તે જ વર્ષમાં, પાટણમાં તેમની ગચ્છનાયકપદે સ્થાપના કરવામાં આવી હતી. જેસાજીપ્રમ’ધ ' મુજબ, શ્રી મેરુતુ ંગસૂરિના ઉપદેશથી જેસાજી લાલને ઉમરકેટમાં ૭૨ દેરીવાળા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદ બધાન્યેા હતા અને શત્રુજય આદિ મેટાં તીથૅ ના સઘ કાઢચો હતા. તેમના સમયમાં પારકરમાં ગેાડી પાર્શ્વનાથની ઉત્પત્તિ થઈ હતી. C ગ્રંથસર્જન : શ્રી મેરુનુંગસૂરિ મંત્રપ્રભાવક અને ગ્રંથસક પણ હતા. તેમણે અનેક ગ્રંથા રચ્યા છે, જે આ પ્રમાણે છે :— વિ. સ. ૧૪૪૪ કાતંત્રનું ખાલઐાધ–વ્યાકરણ, ભાવકપ્રક્રિયા, મેઘદૂતવૃત્તિ, શતકભાષ્ય, જૈનમેઘદૂતકાવ્ય, નાભિવંશસંભવ-કાવ્ય, યદુવ’શસ’ભવ-કાવ્ય, નેમિત-કાવ્ય, માત્થણ-ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા, ષડ્ઝ નનિણ ય ( સમુચ્ચય ); સ. ૧૪૫૩માં શતપદ્મીસાર; રાયનામાંકન-ચરિત્ર સ. ૧૪૦૯માં; સ. ૧૪૧૩માં કામદેવકથા; સ. ૧૪૪૯માં સંભવનાથ-ચરિત્ર, ધાતુપારાયણ, લક્ષણશાસ્ત્ર, રાજીમતી-નેમિ-સબ'ધ, સૂરિમ`ત્રાદ્ધાર, સત્તરિભાષ્યવૃત્તિ; સ. ૧૪૩૮માં ક'કાલય રસાધ્યાય, જસાજી પ્રબંધ; ઉપરાંત, અચલગચ્છ પટ્ટાવલી, વિચારશ્રેણ વગેરે. આમ, તેમણે વ્યાકરણ, કાવ્ય, ચરિત્ર, દર્શનાદિ વિવિધ વિષય પર સાહિત્ય સજ્યું છે. શ્રી મેરુતુ ંગસૂરિ મહારાજના પરિવારમાં શ્રી રત્નશેખરસૂરિ આદિ ૬ આચાય, શ્રી માણેકશેખરણ વગેરે ૪ ઉપાધ્યાયેા તેમ જ મુનિગણ અને સાધ્વીગણ વિશાળ સંખ્યામાં હતા. શ્રી મેરુતંગસૂરિ વિ. સ. ૧૪૭૧માં, પાટણમાં, ૬૭ વર્ષની વયે, ૫૯ વર્ષના દીક્ષાપર્યાય પાળી સ્વર્ગવાસી થયા હતા. Jain Education International. 2010_04 For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy