SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શાસનપ્રભાવક ભાવિ જોયું. પંડિત દંપતીએ આચાર્યશ્રીની વાતને સહર્ષ સ્વીકાર કરી શ્રી ધર્મઘોષસૂરિને પિતાને પુત્ર અર્પણ કર્યો. શ્રી ધર્મષસૂરિએ ઘણું જ વત્સલભાવે તેને ધર્મના સંસ્કારથી પલ્લવિત બનાવી નવ વર્ષની વયે, વિ. સં. ૧૨૩૭માં, ખંભાતમાં દીક્ષા આપી. બાલમુનિ મહેન્દ્રએ ધર્માભ્યાસમાં વધુ ને વધુ રત બની જિનાગમાદિને સારે એ અભ્યાસ કર્યો. તેમની આ વિદ્વત્તાને યોગ્ય જાણી આચાર્યશ્રીએ તેમને વિ. સં. ૧૨૫૭માં ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સર્વ રીતે ગ્ય જાણી સં. ૧૨૬૩માં નાડોલમાં આચાર્યપદ અર્પણ કર્યું, અને શ્રી મહેન્દ્રસિંહસૂરિ નામે ઉઘેષિત કર્યા આચાર્યશ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશ અને પુણ્ય પ્રભાવથી અનેક સ્થાનમાં સુંદર શાસનપ્રભાવના થઈ હતી. તેમણે કિરાડૂના શેઠ આલ્હાકને તેના ઘરની બોરડી નીચે દટાયેલું દશ લાખ ટંકાનું ધન બતાવતાં અને ત્રણ વર્ષને દુષ્કાળ પડવાની આગાહી જણાવતાં, શેઠ આલ્હાકે એ પ્રાપ્ત ધનનો સદુપયોગ કરવાનો નિર્ણય કર્યો. પરિણામે તેણે અનેક સ્થાનેમાં દાનશાળાઓ અને કૂવાઓ બંધાવી તેમ જ લેકેને અને પશુને જીવનજરૂરી એવી વિવિધ સગવડો ઊભી કરી. વિ. સં. ૧૨૬૮માં શ્રી ધર્મષસૂરિ તિમિરપુરમાં સ્વર્ગવાસ પામતાં વિ. સં. ૧૨૬માં એ જ સ્થળે અનેક સંઘની ઉપસ્થિતિમાં શ્રી મહેન્દ્રસિંહસૂરિની ગચ્છનાયકપદે સ્થાપના કરવામાં આવી. તેમના ઉપદેશથી ઉસનગર, દહીંથલી, વિઉત્તડગિરિ, કર્ણયગિરિ, બેવકૃણ વગેરે નગરમાં જિનમંદિરોનાં નિર્માણ અને તેમના સાન્નિધ્યે તેની પ્રતિષ્ઠા થઈ હતી. તેમણે અનેક તીર્થોની યાત્રા કરી હતી. શ્રી મહેન્દ્રસિંહસૂરિ વિદ્વાન હતા, તેમ ગ્રંથકાર પણ હતા. તેમણે પ્રાકૃતમાં “તીર્થમાલા” અને તેના ઉપર પણ ટીકા રચી હતી. ગુરુદેવ ધર્મઘોષસૂરિની પ્રાકૃત “શતપદી”નું તેમણે સંસ્કૃતમાં વિવરણ રચ્યું હતું. તેમ જ “અષ્ટોત્તરી તીર્થમાલા”, “ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ પણ રહ્યા હતા. વિ. સં. ૧૩૦૯માં, ૮૧ વર્ષની વયે, ૭૨ વર્ષને દીક્ષા પર્યાય પાળી. ખંભાતમાં તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. મહાન ગ્રંથકાર, સમર્થ મંત્રપ્રભાવક અને પ્રતાપી શાસનપ્રભાવક આચાર્યશ્રી મેરૂતુંગસૂરિજી મહારાજ અંચલગચ્છની પાટ પરંપરામાં અગિયારમા પટ્ટધર શ્રી મેરૂતુંગસૂરિ મહાન ગ્રંથકાર અને મંત્રપ્રભાવક આચાર્ય હતા. તેઓ આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. શ્રી મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં ગચ્છને ઘણો પ્રસાર થયે હતા. શ્રી ધર્મમૂતિની પટ્ટાવલી પ્રમાણે, શ્રી મેરૂતુંગસૂરિને જન્મ મારવાડમાં નાણ ગામના વહોરા પરિવારમાં વિ. સં. ૧૮૦૫માં થયેલ હતું અને વિ. સં. ૧૪૧૮માં તેમણે દીક્ષા લીધી હતી. જ્યારે મેરૂતુંગસૂરિરાસ” મુજબ, મરુભૂમિના નાણા ગામના શેઠ વૈરસિંહ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy