SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૨૮૧ કરી, પણ શ્રીમંતાઇના મદમાં રત્નમય પાંચ અક્ષ બનાવી સ્થાપનાચાય તરીકે રાખેલા. શાસ્ત્રાના માર્મિક અભ્યાસી પણ પરિગ્રહની મૂર્છાને ત્યજી શકયા નહીં. ' કાલાંતરે કાઈક શહેરમાં વ્યાખ્યાનમાં શ્રાવકના ખાર વ્રતાનાં વન પ્રસંગે વિશદ વિવેચના કરી. અનેક ભાવુકા ખાર વ્રત લેવા તૈયાર થયા, પણ સંઘના અગ્રણી વિવેકીશેઠ સમજીને તૈયાર ન થયા અને નમ્રતાથી ખેલ્યા, પરિગ્રહ વિના તેા સાધુને પણ કાં ચાલે છે? ’ તે સાંભળીને આચાર્ય શ્રી રત્નાકરસૂરિજીએ ઊંડું આત્મનિરીક્ષણ કર્યું. પોતે પાંચ રત્નમય અક્ષ રાખ્યા છે એ સત્ય સમજાયું. સવારે વ્યાખ્યાનમાં સંઘ સમક્ષ પોતાના દોષ કબૂલી, તે જ વખતે પાંચે રત્નના ત્યાગ કર્યાં; અને સ'ઘના અગ્રણીની હિતચિ'તકતાની ખૂબ જ અનુમેાદના કરી. પેલા સંઘપતિએ પણ ગુરુમહારાજને ખમાવીને તે ઉચ્ચાર્યાં. તે પછી સૂરિજીએ સાધુજીવનને પશ્ચાતાપના અગ્નિથી શુદ્ધ કરવાના ઇરાદાથી આ પચીશીની રચના કરી. તેમાં પેાતાના આત્માની વાસનાની ગુલામીમાં થયેલી અધમ દાને ચિતાર આપી, આત્મનિંદા દ્વારા પાપના ભારથી પેાતાના આત્માને હળવા કર્યાં. આ જનશ્રુતિ ખૂબ જ માર્મિક છે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર' એ વાતને ધ્યાનમાં રાખી જિનશાસનની આરાધના દ્વારા જીવનશુદ્ધિની અણુમેાલ તકના લાભ આ કૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અચલગચ્છના ચતુર્થ ગચ્છનાયક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મહારાજ અચલગચ્છના ચતુર્થ ગચ્છનાયક અને શાસનપ્રભાવક આચાય મહેન્દ્રસિ ંહસૂરિ પ્રતિભાસમ્પન્ન શ્રી ધર્મ ઘાષસૂરિના પટ્ટધર શિષ્ય હતા. મરુભૂમિમાં આવેલા સરાનગરમાં વિ. સ. ૧૨૨૮માં તેમના જન્મ થયા હતા. પિતાનુ' નામ દેવપ્રસાદ હતું. તે ઔદિચ્ય બ્રાહ્મણ પ`ડિત હતા. માતાનું નામ ક્ષીરદેવી હતું. અને પેાતાનું નામ મહેન્દ્ર હતું. સરાનગરમાં શ્રેષ્ઠ રૂણાકની વિનંતીથી આચાય ધ ઘોષસૂરિ ચાતુર્માસ પધાર્યાં હતા. તેમના શિષ્યાને વ્યાકરણ વગેરેના અભ્યાસ કરાવવા પૉંડિત દેવપ્રસાદ જતા હતા. તેમની સાથે તેમના પાંચ વર્ષના પુત્ર મહેન્દ્ર પણ જતા. બાળ મહેન્દ્ર પાતાની બાળસહજ આકર્ષીક વણુંકથી સૌને પ્રિય બન્યા હતા. તેા સામે પક્ષે બાળ મહેન્દ્ર આ સાધુઓના સહવાસથી વધુ ને વધુ ધાર્મિ`ક બન્યા હતા. તેના માતાપિતા પણ જૈનધર્મ પ્રત્યે માન ધરાવતાં બન્યાં. આચાર્ય ધમ ધેાત્રસૂરિને બાલ મહેન્દ્રના સામુદ્રિક લક્ષણા અને વિશિષ્ટ વર્તણુંક જોઈને લાગતુ કે, જો આ બાળકને ધ`માગે જોડી, તેની પૂરતી સંભાળ લેવામાં આવે તે ભવિષ્યમાં તેનાથી જૈનધર્મીની સારી એવી પ્રભાવના થવા સંભવ છે. આ વાત આચાર્યશ્રીએ પડિતને કહી. પડિત દેવપ્રસાદે પેાતાના પુત્રનુ ઉજજવળ *. ૩૬ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy