SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શાસનપ્રભાવક એ ઉલેખ પણ છે કે, શ્રી જગચંદ્રસૂરિ અભેદ્ય જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩૨ દિગબરાચાર્યો સાથે વાદ કરી, વિર્ય મેળવતાં મેવાડના રાણા જેત્રસિંહે તેમને “હીર”નું માનવંતુ બિરૂદ આપતાં તેઓ “હીરલા જગચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. ગુરુદેવશ્રી મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી શ્રી જગચંદ્રસૂરિએ જાવજજીવન આયંબીલ તપ ચાલુ કર્યા હતાં. આ તપના બારમા વર્ષ દરમ્યાન તેઓ આહાડપુરમાં નદી કિનારે જઈ હંમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા, તેમની આ તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ, તેજ અને પ્રભાવ વધ્યાં હતાં. મેવાડના રાજા નેત્રસિંહે તેમના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, તેઓ આચાર્યશ્રીના દર્શન કરવા ત્યાં નદીકિનારે આવ્યા. ત્યાં આચાર્યશ્રીનું તેજથી ચમકતું મુખારવિંદ અને કાંતિમાન દેહ જોઈ “ગુરુદેવ મહાતપસ્વી છે.” એમ બોલી ઊઠ્યા. અને તેમને “તપ” એવું બિરૂદ આપ્યું. ત્યારથી, એટલે કે વિ. સં. ૧૨૮૫ થી આચાર્ય જગચંદ્રસૂરિની શિષ્ય પરંપરા “તપાગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામી. આ તપાગચ્છ નિગ્રંથ ગચ્છનું છઠું નામ છે. પ્રથમ નિર્ચથ ગચ્છના શ્રી સુધર્માસ્વામી, બીજા કટિક ગચ્છના શ્રી સુસ્થિતસૂરિ, ત્રીજા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રસૂરિ, ચેથા વનવાસી ગચ્છના શ્રી સામતભદ્રસૂરિ, પાંચમાં વડગચ્છના શ્રી ઉદ્યોતનસૂરિ અને છઠ્ઠી તપાગચ્છના શ્રી જગશ્ચંદ્રસૂરિ પ્રવર્તક હતા. આચાર્ય જગચંદ્રસૂરિ મેવાડથી વિહાર કરી ગુજરાત પધારતા મહાઅમાત્ય વસ્તુપાલતેજપાલે તેમને અતીવ સન્માન આપ્યું. વસ્તુપાલે કાઢેલા ઐતિહાસિક શ્રી શત્રુંજ્યતીર્થ યાત્રા સંઘમાં તેમ જ તેમની દ્વારા શત્રુજ્ય, ગિરનાર અને આબૂ–દેલવાડાની પ્રતિષ્ઠાએ પ્રસંગે શ્રી જગશ્ચંદ્રસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેવાડ અને ગુજરાતમાં વિચરીને અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી હતી. શ્રી જગશ્ચંદ્રસૂરિના ઉપદેશથી વીરા દિશાપાલે વિ. સં. ૧૨૯પમાં પાટણમાં, ભીમદેવના રાજ્યમાં “નાયાધમ્મકહાએ” વગેરે છ અંગે ટીકા સહિત લખાવ્યાં હતાં. એટલે સ્પષ્ટ છે કે, આચાર્ય જગચંદ્રસૂરિ વિ. સં. ૧૨૯૫-૯૬માં સ્વર્ગવાસી થયા હશે. તેમણે પિતાની પાટે શ્રી દેવેન્દ્રસૂરિને સ્થાપન કર્યા હતા. વર્તમાનમાં અતિ પ્રસિદ્ધ અને પ્રચલિત “રત્નાકર પચીસી'ના રચયિતા આચાર્યશ્રી રત્નાકરસૂરિજી મહારાજ આચાર્ય શ્રી રત્નાકરસૂરિ મહારાજ શ્રી દેવપ્રભસૂરિના શિષ્ય હતા. વિ. સં. ૧૩૦૮માં તેઓશ્રીએ “રત્નાકર પચીસી”ની રચના કરી હતી. આ કૃતિ ૭૧૪ વર્ષ જૂની છે, છતાં તેની ગંભીરતા અને રચનામાધુર્ય અત્યંત પ્રસિદ્ધ છે. આચાર્યશ્રી રત્નાકરસૂરિજી ગૃહસ્થાવસ્થામાં ખૂબ જ શ્રીમંત હતા. વૈરાગ્યની દીક્ષા ગ્રહણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy