SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ૨૭૭ કર્ણિકાવૃત્તિ આદિ ગ્રંથની રચના કરી હતી. “સંઘપતિચરિત્રનું બીજું નામ ધર્માલ્યુદય મહાકાવ્ય છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૨૮૭માં કરી હતી. “સુકૃતકીતિ–કલેલિની” ગ્રંથ ઉત્તમ કટિને છે. તેમાં વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનું વર્ણન છે. તેના ૧૮૯ શ્લોક છે. તેમાં ચાવડા વંશના રાજાઓના શૌર્યનું વર્ણન, વસ્તુપાલની વંશાવલી, તેની સંઘયાત્રા, શત્રુંજય પર આદિનાથ મંદિરના કેઈ શિલાપટ્ટ પર કતરેલી પ્રશસ્તિ વગેરેનું વર્ણન છે. “સુકૃતકીતિ–કલ્લોલિની' કાવ્યની રચના વિ. સં. ૧૨૭૦માં થઈ હતી, જે મહાઅમાત્ય વસ્તુપાલે વિ. સં. ૧૨૯૦માં ખંભાતમાં પથ્થર પર કોતરાવ્યું હતું એને આધારે આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિને સમય વિક્રમની તેરમી સદીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. પાટણના જ્ઞાનભંડારમાં આ ગ્રંથ કાપડ પર લખેલે મળે છે. અદભૂત વૈયાકરણ અને કવિત્વનો ખ્યાલ આપતી “પ્રમાણનયતત્ત્વાલેક” ઉપરની “સ્યાદવાદરત્નાકર”ની લઘુવૃત્તિ “રત્નાકરાવતારિકા ગ્રંથના રયિતા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ આચાર્ય રત્નપ્રભસૂરિ ન્યાય અને દર્શનશાસ્ત્રના વિશેષજ્ઞ હતા. તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા પર સેંધપાત્ર આધિપત્ય હતું. શ્રી રત્નપ્રભસૂરિના ગુરુ વડગ૭ પ્રભાવી આચાર્ય શ્રી વાદિદેવસૂરિ હતા. વાદિદેવસૂરિના ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. શ્રી વાદિદેવસૂરિના શિષ્ય પરિવારમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ, વિજયચંદ્રસૂરિ, પરમાનંદસૂરિ અને માણિક્યચંદ્રસૂરિ મુખ્ય હતા. શ્રી રત્નપ્રભસૂરિ શ્રી વાદિદેવસૂરિના વિદ્વાન પટ્ટધર શિષ્ય હતા. શ્રી વાદિદેવસૂરિએ પિતાના ઘણું શિષ્યને આચાર્યપદવી આપી હતી. તેમના મુખ્ય પટ્ટધર ભદ્રેશ્વરસૂરિ હતા. શ્રી ભદ્રેશ્વરસૂરિ અને શ્રી રત્નપ્રભસૂરિ સહાધ્યાયી હતા. “સ્યાદ્વાદરત્નાકર' ગ્રંથની રચનામાં શ્રી વાદિદેવસૂરિને શ્રી ભદ્રેશ્વરસૂરિ અને શ્રી રત્નપ્રભસૂરિને ઘણે સહયોગ મળ્યું હતું. શ્રી વાદિદેવસૂરિએ નીચેના લેકમાં પિતાના આ બંને શિષ્યને ઉલ્લેખ કર્યો છે ? किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे, यत्राभिनिर्मलमतिः सतताभिमुख्यः । भद्रेश्वरः प्रवरसूक्तसुधाप्रवाहो, रत्नप्रभः स भजते सहकारिभावम् ॥ સાહિત્ય : સાહિત્યક્ષેત્રમાં શ્રી રત્નપ્રભસૂરિને ફાળે પ્રશંસનીય છે. તેમણે જે ગ્રંથ રહ્યા છે તે સાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ૧. નેમિનાહચરિય: આ ચરિત્રની રચના તેમણે વિ. સં. ૧૨૩રમાં કરી હતી. આ તેમની પ્રાકૃત રચના છે. ૨. દેવદ્રવૃત્તિ ઃ “ ઉપદેશમાલા” ઉપર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિની ૧૧૧૫૦ લેકપ્રમાણ ઘટ્ટીવૃત્તિ વિ. સં. ૧૨૩૮ની રચના છે. આ વૃત્તિનું નિર્માણ શ્રી વિજ્યસેનસૂરિની પ્રેરણાથી ભરૂચમાં અશ્વાવબોધતીર્થ–મહાવીર મંદિરમાં થયેલ છે. શ્રી વિજ્યસેનસૂરિ શ્રી વાદિદેવસૂરિના ભાઈ હતા. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy