SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ શાસનપ્રભાવક સમર્થ સાહિત્યકાર અને પરમ પ્રભાવી આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજ શ્રી ઉદયપ્રભસૂરિ નાગેન્દ્રગચ્છના પ્રભાવી આચાર્ય હતા. ગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલ અને તેજપાલ તેમના આસ્થાવાન ભક્ત હતા. શ્રી ઉદયપ્રભસૂરિની ગુરુપરંપરામાં શ્રી શાંતિસૂરિના પટ્ટધર અમરચંદ્રસૂરિ, તેમના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિ, તેમના પટ્ટધર વિજ્યસેનસૂરિ હતા, અને તેમના પટ્ટધર અને શિષ્ય ઉદયપ્રભસૂરિ હતા. શ્રી ઉદયપ્રભસૂરિએ નાની વયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રસિદ્ધ આખ્યાનકાર માણભટ્ટના વ્યાખ્યાન સાંભળી તેમણે વ્યાખ્યાન આપવાની કળા શીખી હતી. શ્રી ઉદયપ્રભસૂરિની ઈચ્છા મુજબ મહાઅમાત્ય વસ્તુપાલે છ મહિના સુધી ઉપાશ્રયની નજીક માણભટ્ટના વ્યાખ્યાનની વ્યવસ્થા કરી હતી. શ્રી ઉદયપ્રભસૂરિને નામમંત્ર પ્રભાવક માનવામાં આવતું હતું. ગુજરાતના રાજા વરધવલ પર શ્રી ઉદયપ્રભસૂરિને સારો એવો પ્રભાવ હતું. રાજા વિરધવલના બંને મહામંત્રીએ વસ્તુપાલ અને તેજપાલ (ભાઈઓ) હતા. બંને ભાઈઓ એક બાજુ મહાઅમાત્ય સેનાપતિ અને કષાધ્યક્ષ હતા, તે બીજી બાજુ મહાન યુદ્ધા, દાનેશ્વરી, પુણ્યાત્મા અને ધર્માત્મા હતા. મહાઅમાત્ય વસ્તુપાલનું વ્યક્તિત્વ અનેક વિશેષતાઓથી ભરપૂર હતું. તેમના જીવનમાં લક્ષ્મી, સરસ્વતી અને શક્તિને સમન્વય હતું. તેમણે કેટલાક કાવ્યગ્રંથ પણ રચ્યા હતા. વસ્તુપાલે વિદ્યામંડળની સ્થાપના કરી હતી અને તેઓ વિદ્વાનના સહાયક ને પિષક તેમ જ સંસ્કૃતાદિ સાહિત્યના વૃદ્ધિકારક અને પ્રસારક બન્યા હતા. મધ્યકાલીન પ્રસિદ્ધ શ્રાવકોમાં તેમનું નામ અને કામ અદ્વિતીય હતું. તેમણે વિવિધ ક્ષેત્રે કુલ ૨૦ અબજ દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો. તેમાં શત્રુંજય તીર્થમાં ૧૮ કેડ ૯૬ લાખ, ગિરનાર તીર્થમાં ૧૨ કેડ ૮૦ લાખ, આબુન્દેલવાડામાં ૧૨ કેડ ૫૩ લાખ દ્રવ્ય વાપરી જિનાલ્યાનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, ઇન્દ્રાદિ મંડપ, સ્વર્ણકલશે, પાજ, ઉપાશ્રયે, સરવરે, વાવ-કૂવાઓ, પરબ વગેરે સદ્કાર્યો કર્યા હતાં. વિ. સં. ૧૨૮૭માં તેમણે કાઢેલા ઐતિહાસિક શ્રી શત્રુંજય તીર્થના યાત્રા સંઘમાં ૪૦૦૦ સાધુ-સાધ્વીઓ અને ૬ થી ૭ લાખ શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં. ઉપરાંત, આ અને અન્ય સ્થાનોમાં કુલ મળીને ૧૩૦૪ જિનમંદિરે, ૯૦૪ ઉપાશ્રયે બંધાવ્યાં હતાં. ૨૩૦૦ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યાં હતાં. તદુપરાંત અનેક સ્થાનોમાં ઈતરધર્મીઓનાં ૩૦૦૦ મંદિર બંધાવી પરધર્મ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. અને ૭૦૦ અન્નશાળાઓ, ૬૩૪ વાવ, ૭૦૦ કૂવા ઇત્યાદિ બનાવી સર્વજન સુલભ સુવિધાઓ ઊભી કરી હતી. તેમના સમયના જૈનાચાર્યોને પ્રભાવ મહાઅમાત્ય વસ્તુપાલ પર અનન્ય હતું, તે એ જેનાચાર્યોને પ્રતિભાવ પણ તેમના પર અનુમોદનીય હતે. સાહિત્યસર્જન : શ્રી ઉદયપ્રભસૂરિએ સંઘપતિચરિત્ર, આરંભસિદ્ધિ, સુકૃતકીતિકલેકલિની, નેમિનાથ ચરિત્ર, ષડશીતિ ટિપ્પણ, કર્મસ્તવ ટિપ્પણ, ઉપદેશમાલા ઉપર ઉપદેશ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy