SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ર૭૫ અંચલગચ્છના મહાન પ્રભાવક અને પ્રતિબોધક આચાર્યશ્રી જયસિંહસૂરિજી મહારાજ અંચલગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો થયા, તેમાં એક મહત્ત્વનું નામ આચાર્ય જયસિંહસૂરિજીનું છે. તેમની સ્મરણશક્તિ અભુત હતી. તેઓ એક દિવસમાં સેંકડો લેકે કંઠસ્થ કરી શકતા હતા. વ્યાકરણ, ન્યાય, છંદ, અલંકાર તેમ જ આગમ સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. આચાર્ય આર્ય રક્ષિતસૂરિ તેમના ગુરુ હતા; અંચલગચ્છના તેઓ સ્થાપક હતા. તેમના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય જયસિંહસૂરિ હતા. શ્રી સિંહસૂરિને જન્મ વિ. સં. ૧૧૭૯માં ઓશવાલ પરિવારમાં થયો હતે. તેમના પિતાનું નામ દાહડ અને માતાનું નામ નેઢી હતું. તેમનું પિતાનું નામ જેસિંગ ( નિકળશ) હતું. શ્રેષ્ઠી દાહડ પિતાના પરિવાર સાથે કેકણ પ્રદેશ અન્તર્ગત એપારકનગરમાં રહેતા હતા. અહીં એક વાર કકકસૂરિ પધારતા, તેમનું જબૂચરિત્ર ઉપરનું વ્યાખ્યાન સાંભળી જેસિંગનું મન સંસારથી વિરક્ત બન્યું. સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી. વૈરાગ્યભાવપૂર્વક તેમણે વિ. સં. ૧૨૯૭માં થરાદમાં આર્યરક્ષિતસૂરિ પાસે દીક્ષા લીધી. તે સમયે તેમની વય અઢાર વર્ષની હતી. મુનિજીવનમાં તેમનું નામ યશશ્ચંદ્ર રાખવામાં આવ્યું હતું. ગુરુ પાસે રહી તેમણે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર અને આગમ શાસ્ત્ર-સિદ્ધાંત આદિને ઊંડો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૧૯૭માં ગુરુદેવે તેમને ઉપાધ્યાયપદ આપ્યું અને તેમનું નામ ઉપાધ્યાય જયસિંહ રાખવામાં આવ્યું. રાજા સિદ્ધરાજની સભામાં શ્રી વાદિદેવસૂરિને દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ થયે ત્યારે ઉપાધ્યાય જયસિંહગણિએ વેતાંબર શ્રમણસંઘને કીમતી સહેગ આપે હતું. ત્યાર બાદ, વિ. સં. ૧૨ ૦રમાં માંડલમાં તેમને આચાર્યપદ આપવામાં આવ્યું અને ત્યારથી તેઓ આચાર્ય જયસિંહસૂરિ નામથી પ્રસિદ્ધ બન્યા. શ્રી જયસિંહસૂરિએ મેવાડ, મારવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ ક્ષેત્રમાં વિહાર કરી અનેક લેકેને અને રાજા-રોને પ્રતિબોધ આપી જેન બનાવ્યા હતા. તેઓ ઉગ્ર વિહારી અને કઠોર તપસ્વી હતા. તેમણે ઘણાં તીર્થોની યાત્રા કરી હતી. તેમના ઉપદેશથી અનેક સ્થાનમાં પ્રતિષ્ઠા થઈ હતી. શેઠ આંબાકે પ્રભાસપાટણમાં ભગવાન ચંદ્રપ્રભસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા કરી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આચાર્ય આર્ય રક્ષિતસૂરિ અંચલગચ્છના પ્રવર્તક હતા, જ્યારે આચાર્ય જયસિંહસૂરિ તેને વ્યાપક પ્રચાર-પ્રસાર કરનાર હતા. ગચ્છને સમૃદ્ધ અને સંગઠિત કરવામાં તેમનું ગદાન અપૂર્વ હતું. તેમણે કર્મગ્રંથની બૃહદ્દીકા, કમ્મપયડી–ટીકા, કર્મગ્રંથ-વિચાર, ટિપ્પણ, કર્મવિપાક, સ્થાનાંગસૂત્રની ટીકા, જેનતર્કવાતિક, ન્યાયમંજરી ટિપ્પણ વગેરે ગ્રંથ પણ રચ્યા હતા. - શ્રી જયસિંહસૂરિ વિક્રમની તેરમી શતાબ્દીના પહેલા દશકાના આચાર્ય બન્યા. તેમણે ૫૬ વર્ષ સુધી પિતાના ગચ્છને ભાર વહન કર્યો. તેઓ વિ. સં. ૧૨૫૮માં સ્વર્ગવાસી થયા. તેઓશ્રી વિક્રમની તેરમી શતાબ્દીના વિદ્વાન આચાર્ય હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy