SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શાસનપ્રભાવકો શીલગુણ સાથે પૂનમિયાગચ્છમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતા તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જૈનધર્મી બનાવ્યા. પૂનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્ય રક્ષિત નામે થવા લાગી. ગચ્છ – પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયું. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે કિદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ. સં. ૧૧૬૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ. સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છ ચૈત્યવાસીઓ દ્વારા પિષિત શિથિલાચાર વિરુદ્ધ કાંતિકારક પગલું ભર્યું. શ્રાવકને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુવિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. અંચલગચ્છની સામાચારીનું વર્ણન ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૬૩ માં “શતપદિકા” પ્રાકૃત ગ્રંથમાં કર્યું, પરંતુ તે ગ્રંથ વર્તમાનમાં મળતા નથી. એ ગ્રંથને આધારે મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪માં સંસ્કૃતમાં શતપદી ગ્રંથ લખે. આ ગ્રંથ વર્તમાનમાં મળે છે. અચલગચ્છની સામાચારીનું જ્ઞાન આ ગ્રંથથી મેળવી શકાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી આર્યરક્ષિતસૂરિની વચનદઢતાના કારણે આ ગચ્છને અચલગચ્છ તરીકે સંબોધિત કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુર્જરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્યરક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદપિએ પોતાના ઉત્તરસંગ (એસ) ના એક છેડાથી ભૂમિનું પ્રમાન કરીને વસ્ત્રાલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ અપાયું. અંચલગચ્છમાં મહત્તરપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષમીસંપન્ન પરિવારને છોડી ૨૫ બહેને સાથે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કર્યો. અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ મેળનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગ૭નો પ્રચાર-પ્રસાર કરવામાં તન-મન-ધનને ઉલટભેર ભાગ આપ્યો હતો. અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથ અને શિલાલેખમાં-એમ અનેક સ્થળે તેમના નામને ઉલ્લેખ જોવા મળે છે. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં ૯૧ વર્ષની વયે , શ્રી મહેન્દ્રસૂરિની શતપદી અને લઘુ શતપદીમાં આ સંવતને ઉલ્લેખ છે. શ્રી મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્ય રક્ષિતસૂરિ ૧૦૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૩૬માં પાવાગઢમાં ૭ દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહિ, બેણપ ( બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખ મળે છે. મુનિ લાખા રચિત ગુરુ પટ્ટાવલી પ્રમાણે આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ ૧૦૦ વર્ષની ઉંમરે રેણુ નદીના કિનારે થયું હતું. આ હકીકતેના આધારે શ્રી આરક્ષિતસૂરિ વિક્રમની ૧૨મી–૧૩મી શતાબ્દીના પ્રભાવક આચાર્ય સિદ્ધ થાય છે. [ આચાર્ય આર્યરક્ષિતસૂરિને પરિચય “અચલગચ્છના પ્રભાવક પૂર્વાચાર્યો” વિભાગમાં પણ પ્રગટ કરેલ છે. ] Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy