SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ૨૭૩ ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પરિચય મળતું નથી. શ્રી રામચંદ્રાચાર્ય દ્વારા લિખિત “નલવિલાસ” નાટકના સંપાદક પંડિત લાલચંદ્ર ગાંધીના મત પ્રમાણે તેમને જન્મ વિ. સં. ૧૧૪૫, દીક્ષા ગ્રહણ વિ. સં. ૧૧૬૬, આચાર્યપદારેહણ વિ. સં. ૧૨૨૯ અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૩૦માં થયો હતો. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિને મિત્ર હતું, તેની હેમચંદ્રાચાર્યની પાટે આવવાની ઈચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસંમતિ હેવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્ય શ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આવ્યું હતું. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી પિતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અંકિત બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ સુવિહિતમાર્ગો પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. દર્શનાદિ અનુયેગના કર્તા પૂર્વધર આચાર્ય આર્ય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આર્યરક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગ૭ના (વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાર્ય સિંહસૂરિ હતા. તેમની પૂર્વવત ગુરુપરંપરામાં ધર્મચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વીરચંદ્રસૂરિ વગેરે આચાર્યો હતો. નાણાવાલગચ્છ પ્રભાનંદસૂરિથી નીકળે. શ્રી આર્ય રક્ષિતસૂરિ પ્રાગ્વાટ (પિવાડ) ગેત્રના હતા. તેમના પિતાનું નામ કોણ અને માતાનું નામ દેદી હતું. તેમને જન્મ આબુ પાસેના દંતાણ ગામમાં વિ. સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ –ા થયો હતો. તેમનું સંસારી નામ વયજા (ગદુકુમાર) હતું. બાળક વયજાના માતપિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય સિંહસૂરિ દંતાણ ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રોણે ભક્તિભાવથી પિતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જ્યસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪રના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજાને મુનિદીક્ષા આપી...અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું. અને મંત્ર-તંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સં. ૧૧૫હ્ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્યપદ પ્રદાન કરી શ્રી આર્ય રક્ષિતસૂરિ નામથી ઉદ્દઘોષિત કર્યા. આગમપાઠને અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પિતાના મામા મુનિશ્રી શ્ર, ૩૫ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy