SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા ૨૬૭ - વૃત્તિ ( ગ્રંથમાન ૧૩૦૦૦ ). ૫. પન્નવણા ( પ્રજ્ઞાપના ) સુત્ત – વૃત્તિ ( ગ્રંથમાન : ૧૬૦૦૦). ૬. સૂરપણુત્તિ ( સૂ`પ્રજ્ઞપ્તિ ) વૃત્તિ ( ગ્રંથમાન : ૯૦૦૦), ૭. ચંદપણુત્તિ ( ચંદ્રપ્રજ્ઞપ્તિ ) વૃત્તિ (ગ્રંથમાન : ૯૪૧૧). ૮. જ મૂઠ્ઠીવપત્તિ – વૃત્તિ. ૯. નદીસૂક્ષ્મ ( નંદીસૂત્ર ) વૃત્તિ ( ગ્રંથમાન ૭૭૩૫). ૧૦. મહાકસૂક્ષ્મ – પેઢીઆ ( બૃહદ્ – પીઠિકા ) વૃત્તિ ( ગ્રંથમાન : ૧૩૧૪ ). ( આ વૃત્તિ અધૂરી છે. આ ક્ષેમકીતિએ તે પૂરી કરી છે.). ૧૧. વ્યવહારસુત્ત વૃત્તિ (ગ્રંથમાન : ૩૩૬૨૫). ૧૨. જોઇસકરડય ( જ્ગ્યાતિષ ) – વૃત્તિ ( ગ્રંથમાન : ૫૦૦૦ ), ૧૩. અવિસય ( આવશ્યક ) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૨૨૦૦૦ ). ૧૪. આહનિજુત્તિ ( એઘનિયુક્તિ )વૃત્તિ (ગ્રંથમાન : ૭૫૦૦). ૧૫. પિડનિજજુત્તિ – વૃત્તિ ( ગ્રંથમાન : ૭૦૦૦ ). ૧૬. વિસેસાવસય ( વિશેષાવશ્યક ) વૃત્તિ. ૧૭. કમ્મપયડી ( ક`પ્રકૃતિ ) વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ – વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ધમ્મસ'ગહણી વૃત્તિ. ૨૦. ધર્માંસાર વ્રુત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તર કૃત પાંચસંગ્રહ – વૃત્તિ ( ગ્રંથમાન : ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ – વૃત્તિ. ૨૩. સપ્તતિકા -- વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ ( શબ્દાનુશાસન ) અ૦ ૧૨, સ્વેપન્નવૃત્તિ સાથે. ૨૫. દેશીનામમાલા. - નંદીસૂત્ર ( નંદીસૂઅ ) વૃત્તિ : આચાર્ય શ્રી મલયગિરિની નંદીસૂત્ર વૃત્તિ ૭૭૩૫ શ્ર્લોકપરિમાણુ છે. આમાં ચૂર્ણિકારને નમસ્કાર કરી ટીકાકારે શ્રી હરિભદ્રસૂરિનુ સ્મરણ કર્યું છે. વિવિધ જૈન દાનિČક માન્યતાઓને જાણવા માટે વિશેષ ઉપયાગી છે. વિષયને સ્પષ્ટ કરવા માટે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણા અને કથાનકો પણ આપવામાં આવ્યા છે. જૈનદર્શન સમ્મત પાંચ જ્ઞાનની વિસ્તૃત સામગ્રી બતાવતી આ ટીકા વિશાળ જ્ઞાનની દ્યોતક છે. ટીકાની પ્રશસ્તિના ચોથા શ્ર્લોકમાં શ્રી મલયગિરિએ સ્વલ્પ શબ્દોમાં અધિક અર્થ પ્રદાન કરનારી આ ટીકાની રચનાથી ફલિત થનાર સિદ્ધિને લાકકલ્યાણ માટે અણુ કરી છે. પ્રજ્ઞાપના ( પન્નવણાસુત્ત) વૃત્તિ: આ વૃત્તિનું ગ્રંથમાન ૧૬૦૦૦ પદ્મપરિમાણ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ આ સૂત્ર પર વિષમપવિવરણુ લખ્યુ છે. આ ટીકામાં આચાય હરિભદ્રસૂરિનું તે વિવરણ આધારભૂત બન્યું છે. આ ટીકા સંક્ષિપ્ત છે. કોઈ કોઈ સ્થળે જરૂરિયાત મુજબ વિસ્તાર કર્યાં છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ ( સૂરપણત્તિ )વૃત્તિ : આ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગની ટીકા છે. આનુ ગ્રંથમાન ૯૦૦૦ શ્ર્લોક પરમાણુ છે. આચાય મલયગિરિના શબ્દોમાં આ સૂત્રસ્પશી' ટીકા છે, કર કાળના પ્રભાવથી આચાય હરિભદ્રસૂરિની નિયુક્તિ નષ્ટ થઈ ગઈ હતી, આથી આચાય મલયગિરિએ મૂલસૂત્ર પર ટીકાની રચના કરી છે. જૈનદર્શનમાન્ય જ્યાતિષજ્ઞાન સંબધી સામગ્રી મેળવવા આ ટીકાગ્રંથ ઉપયાગી છે. જીવાજીવાભિગમવિવરણુવૃત્તિ : આનું ગ્રંથમાન ૧૩૦૦૦ છે. આ ત્રીજા- ઉપાંગની ટીકા છે. આમાં વિવિધ પ્રકારની સામગ્રી બતાવી છે. આ ટીકામાં કેટલાક પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારોના નામેાને પણ ઉલ્લેખ છે, જે ઐતિહાસિક સામગ્રીની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. જયેાતિષ્ઠર ડક ( જોઈસકર'ડય) વૃત્તિ : આ ટીકા પ્રક્રીક ગ્રંથ પર છે. આ ટીકામાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy