SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ શાસનપ્રભાવક સિદ્ધાંતશાસ્ત્રના સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજ સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરિ વેતાંબર પરંપરાના પ્રભાવક આચાર્ય હતા. શ્રી મલયગિરિસૂરિ મહારાજે પોતાના ગ્રંથમાં કઈ ઠેકાણે પિતાની ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. શ્રી મલયગિરિના ગૃહસ્થજીવન સંબંધી કે મુનિજીવન સંબંધી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. મુષ્ટિવ્યાકરણ અર્થાત્ શબ્દાનુશાસનના પ્રારંભમાં તેઓ લખે છે કે “મારા મર્યાનિરિ: દાનુરાસનમારંમતે તેમનું પિતાનું આ વાક્ય તેમની આચાર્ય પદવીનું પ્રમાણ છે. શ્રી જિનમંડનગણિકૃત “કુમારપાલપ્રબંધ” મુજબ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે દેવેન્દ્રમણિ અને મુનિ મલયગિરિ સાથે વિશેષ વિદ્યાની સાધનાની દૃષ્ટિથી ગુરુને આદેશ મેળવી ગૌડદેશ તરફ પ્રયાણ કર્યું હતું. માર્ગમાં ત્રણેએ રૈવતાવતાર તીર્થે સાધના કરી. આથી મંત્રાધિષ્ઠાયક વિમલેશ્વરદેવ પ્રગટ થયા. તેમણે ત્રણેને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું. એ સમયે મલયગિરિએ જૈન આગમ (સિદ્ધાંત) પર ટીકા રચવાનું વરદાન માગ્યું હતું. ત્રણેની ઇચ્છિત માંગણીને પૂર્ણ કરવા દેવ તથાસ્તુ કહીને અદશ્ય થઈ ગયા. - શ્રી મલયગિરિસૂરિ સૌના કલ્યાણની કામના ધરાવતા હતા. અનેક ટીકાની પ્રશસ્તિઓમાં મળતાં ઉલ્લેખ મુજબ તેમણે ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે “મને આ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ છ બેલિબીજને પામે તેમ ઈચ્છું છું” અને “સૌ જ સમ્યકત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મોક્ષ મેળવે.” શ્રી મલયગિરિસૂરિ બુદ્ધિવાન અને જ્ઞાનસંપન્ન હતા. તેમની સર્જનશક્તિ પણ અનુપમ હતી. તેમણે આગમગ્રંથ પર હજારે લેકપરિમાણ ટીકાગ્રંથોનું નિર્માણ કર્યું. ટીકા સિવાયના મૌલિક ગ્રંથની પણ રચના કરી છે. ટીકાકાર આચાર્યોમાં આચાર્યદેવ શ્રી મલયગિરિસૂરિનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. તેમની ટીકાઓ મૂલસૂત્રસ્પશી અને વ્યાખ્યારૂપે જ્યાં જરૂરી જણાયું ત્યાં પિતાનું મૌલિક ચિંતન વ્યક્ત કરનારી છે. “જૈન સાહિત્યને બૃહદ્ ઇતિહાસ” ગ્રંથમાં આચાર્ય મલયગિરિના ગ્રંથની યાદી મળે છે. તેમાં તેમના ૨૫ ટકાગ્રંથ અને મુષ્ટિવ્યાકરણ (શબ્દાનુશાસન) નામના એક સ્વતંત્ર ગ્રંથને ઉલ્લેખ છે. આ ટકાગ્રંથમાંથી ૧૯ ટીકાગ્રંથ અત્યારે મળે છે, બાકીના મળતા નથી. ઉપલબ્ધ ટીકાગ્રંથનું કુલ કલેકપરિમાણ ૧૯૧,૬૧૨ છે. - સાહિત્યસર્જનઃ શ્રી મલયગિસૂિરિએ જે કીમતી સાહિત્યરાશિનું સર્જન કર્યું છે તે આ પ્રમાણે છે : ૧. ભગવાઈસુત્ત શતક બીજાની વૃત્તિ. ૨. ભગવઈસુત્ત (ભગવતીસૂત્ર) શતક વીમાની વૃત્તિ. ૩. રાયપણસુર – વૃત્તિ (ટકા) (ગ્રંથમાન : ૩૭૦૦). ૪. જીવાજીવાભિગમસુત્ત – Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy