SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શાસનપ્રભાવક ગુજરાતી ભાષાને જન્મ કલ્પી શકાતું નથી, એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી, અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણ – સમન્વય, સમભાવ, વિવેક, અહિંસા, પ્રેમ, સદાચાર અને પ્રામાણિક વ્યવહારની પ્રણાલિકા કલ્પી શકાતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધુ મહાન હતા, પણ સંસ્કારદષ્ટા તરીકે તે તેઓ સૌથી વધુ મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે જે સાહિત્ય આપ્યું અને એમણે લેકેને જે રીતે બેલતા કર્યા–એ સઘળું ગુજરાતની નસમાં આજે પણ વહી રહ્યું છે.” છે. કુમારપાળ દેસાઈએ પણ કહ્યું છે કે, “ગુજરાતી ભાષાનું પ્રભાત શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર છે. ગુજરાતી વિદ્વત્તાનો માપદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે.” અને તેથી જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે એમની ગણના થાય છે. ભારતીય ગ્રંથકારમાં પણ તેમનું સ્થાન મોખરે રહ્યું છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં રચાયેલી એમની ઉત્કૃષ્ટ કૃતિઓના કારણે સમગ્ર ભારતને, બલ્લે સમગ્ર વિશ્વને તેમને પિતાના ગણવાનું મન થાય એવી એ મહાન વિભૂતિ છે. અને તે પણ, વિશ્વની એવી મહાન વિભૂતિ કે સાહિત્ય અને સાધુતાના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની તોલે આવે એવી બીજી કઈ વિભૂતિ જેવા નહીં મળે! શ્રી સમપ્રભસૂરિકૃત ‘કુમારપાળાડિબાહ’ અને શ્રી મધુસૂદન મોદી કૃત “હૈમસમીક્ષા”માં શ્રી હેમચંદ્રસૂરિના દેહનું અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રમાણે છે : “તેમનામાં સેના જેવી શરીર કાંતિ હતી. કમળની પાંખડી જેવી આંખો હતી. જેનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું મુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં બાવીશે પરીષહ જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની શક્તિ પણ હતી. તેમની બુદ્ધિ વિષયાર્થ શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્રંથ રચવાની કુશળતા હતી. પરવાદીને જીતવાની તીકણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વશક્તિ હતી. અગ્ય અને પતિતને પણ ધર્મમાં સ્થાપવાનું અને તેમાં સ્થિર કરવાનું પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી. “નિપુણ પુરુષે આચાર્ય હેમચંદ્રસૂરિની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થકરો અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ કરતા હતા.” પ્રબંધકોશ'ના દસમા પ્રબંધમાં જણાવ્યા મુજબ, રાજા કુમારપાળે જે કાવ્યથી પ્રસન્ન થઈ લાખ દ્રમ્મ આપ્યા હતા, તે કાવ્ય–પં. શ્રીધરની મનાતી ઉક્તિ–આ પ્રમાણે છે : 'पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तृ क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपाल नृपतिस्ताम् जीवरक्षां व्ययाद् यस्यासाध्यवचः सुधांशु परमः श्री हेमचंद्रौ गुरुः ॥ –ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે મંત્રી હતા, છતાં શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાળ રાજાએ આચાર્યશ્રીની વાણી સાંભળીને સરળતાથી કરી.” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy