SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૬૩ અદ્દભુત સાહિત્યસર્જન : શ્રી હેમચંદ્રાચાર્ય શાસન પ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યાના પ્રસંગે જાણવા મળે છે. પણ તેમના જીવનને મોટામાં મેટ ચમત્કાર તે તેમનું અદ્ભુત, યશસ્વી અને ચિરંજીવી સર્વાગીણ સાહિત્યસર્જન છે. કેઈ કાવ્યમાં, કોઈ નાટમાં, કોઈ શબ્દશાસ્ત્રમાં, કેઈ તકશાસ્ત્રમાં, કેઈ દર્શનશાસ્ત્રમાં, કેઈ સિદ્ધાંતશાસ્ત્ર, કઈ ન્યાયમાં, કેઈ છંદમાં, કેઈ અલંકારમાં, કેઈ ઇતિહાસમાં, કેઈ યોગશાસ્ત્રમાં, કેઈ કેશમાં, કઈ વ્યાકરણમાં દક્ષ હોય, પણ સર્વપટુ (All Rounder )એવા આ “કલિકાલસર્વજ્ઞ”નું પાટવ તો સર્વત્ર હતું. સાડાત્રણ કોડ કપ્રમાણુ સાહિત્ય સર્જનાર આ સાહિત્યજગતના વિરાટ મહાપુરુષને માટે એવું કે ઈ વામયક્ષેત્ર નથી, કે જે તેમણે પોતાના પદન્યાસથી સુણ ન કર્યું હોય. તેમની દષ્ટિ છેક કોશથી લઈ યેગના ઊંચાં શિખર સુધી ફેલાયેલી હતી. તેમના પ્રાપ્ત ગ્રંથની રચનાના સમયનિદેશ મુજબ તેઓએ આ વિપુલ સાહિત્યસર્જન માત્ર ત્રણ દાયકામાં કર્યું હતું. એક જ વ્યક્તિ દ્વારા આટલું વિપુલ સાહિત્યસર્જન થવું કેઈ ને અશક્ય જેવું લાગે; પણ જેમની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને તે સમયના સુજ્ઞજને સર્વજ્ઞ તીર્થકર અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ ધરાવતા થયા હોય, તેમ જ જેમની તીવ્ર મેઘા, તેજ બુદ્ધિ અને ઉત્કૃષ્ટ જ્ઞાનસાધનાના બળે વહેતી અર્થસભર વાણી સાહિત્યમાં પરિણમતી હોય એમને માટે એ શક્ય અને સહજસાધ્ય હતું વળી, એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષેત્રના ઊંડા જ્ઞાનનો સમન્વય શ્રી હેમચંદ્રસૂરિમાં જ જોવા મળે છે. પાણિની, પતંજલિ, મમ્મટ, પિંગલાચાર્ય, અમરસિંહ કેશકાર—એ બધાને સરવાળે એટલે હેમચંદ્રાચાર્ય. પાણિનીનું વ્યાકરણ ત્રણ-ત્રણ વ્યક્તિઓનું સર્જન છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણ એક માત્ર હેમચંદ્રાચાર્યનું સર્જન છે. હેમચંદ્રાચાર્ય કાલિદાસ અને બાણની જેમ એક નહિ પણ બે રાજવીના હાથે, રાજ્યાશ્રિત થયા વગર, સન્માન પામ્યા હતા. મૈત્રક વંશના રાજા ગૃહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ—એમ ત્રણે ભાષામાં રચના કરતા હતા, તેવા ઉલ્લેખો સાંપડે છે. શ્રી હેમચંદ્રાચાર્યના તે આ ત્રણે ભાષામાં લખાયેલા ગ્રંથો મળે જ છે ! સાથેસાથ, એ ત્રણેય ભાષાના કેશ અને વ્યાકરણની તેમણે રચના પણ કરી છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન (વ્યાકરણ) : શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા વિવિધ વિષયના ગ્રંથમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાનચિંતામણિ, કયાશ્રય મહાકાવ્ય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર અને યોગશાસ્ત્ર જેવા વિશાળકાય ગ્રંથે તેમના પ્રતિભાતંભ સમાન છે. અને તેમાંયે તેમની પ્રતિભાનું મહાન સર્જન તે સિદ્ધહેમશબ્દાનુશાસન છે. આચાર્યશ્રીની આ રચના સર્વાંગસંપૂર્ણ છે. સર્વાગ સંપૂર્ણ એટલે જેમાં મૂળપાઠ, લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ન્યાસ, ગણપાઠ, ઉણદિપાઠ, ધાતુપાડ, અન્ય અનુશાસને, શબ્દકોશ, દ્વયાશ્રય મહાકાવ્ય વગેરે અંગ-ઉપાંગ હેય. તેમણે શબ્દાનુશાસનની જેમ લિંગાનુશાસન, કાવ્યાનુશાસન, વૃંદાનુશાસન, વાદાનુશાસન વગેરે પાંચ અનુશાસને રચ્યાં છે. શબ્દકેશ, દ્વયાશ્રયગ્રંથ વગેરેનું સાંગોપાંગ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy