SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ શ્રમણભગવંતે કલિકાલસર્વજ્ઞ : આચાર્ય હેમચંદ્રસૂરિ સંયમ અને સદાચાર, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, ઔદાર્ય અને ગાંભીર્ય, સૌમ્યતા અને શૌર્યતા, ઋજુતા અને પ્રૌઢતા, નિઃસ્પૃહતા અને નિલેપતા, નિર્ભયતા અને અડગતા, સાધુતા અને સમરસતા, સદ્દભાવ અને સમભાવ, સૂફમદર્શિતા અને સમુચિતતા, સ્વધર્મવત્સલતા અને પરમસહિષ્ણુતા, પપકારિતા અને જિતેન્દ્રિયતા, તર્કપટુતા અને સર્વગ્રાહિતા વગેરે સગુણે અને સવૃત્તિઓથી સમૃદ્ધ અને પ્રવૃત્ત હતા. તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય—એ પાંચ મહાવ્રતને જીવનમાં ધારણ કરનાર જેનાચાર્ય તે હતા જ, પરંતુ સાથે સાથે મંત્ર-તંત્રાદિ યોગવિદ્યાના જાણકાર અને લબ્ધિધારી હતા. ઉપરાંત, જ્યોતિષ, શિલ્પ, વૈદિક, વનસ્પતિશાસ્ત્ર, રાસાયણિકશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર વગેરેના પણ ઊંડા જ્ઞાતા હતા. તેમનાં અંતરમાં અનુકંપાને, ઉદારતાને, વત્સલતાને, કરુણાને એવો પવિત્ર સ્રોત વહેતો હતો કે તેમના સંપર્કમાં આવેલી વિરોધી કે દ્વેષી વ્યક્તિનું હૃદય પણ પશ્ચાતાપથી નિર્મળ થઈ જતું. તેમનાં વ્યક્તિત્વ અને કર્તુત્વને પ્રભાવ સામાન્ય જનસમુદાયથી રાજા-મહારાજાઓ પર્યત છવાઈ ગયું હતું. લેકકલ્યાણ અને રાજકલ્યાણથી પ્રજા અને રાજાના તેઓ સંસ્કારશિલ્પી બન્યા હતા. કાવ્ય અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, વેગ અને અધ્યાત્મ, કેશ અને ચરિત્ર, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના તેઓ સમર્થ સર્જક, સંજક અને સંશોધક-સંપાદક હતા. જુદાં જુદાં ક્ષેત્રમાં તેમની આ સાહિત્યસિદ્ધિ, વ્યાપક પ્રભાવ તેમ જ અનેક સદ્ગુણ અને સદુપ્રવૃત્તિઓને લીધે તેમને ભિન્ન ભિન્ન વિશેષણોથી પ્રાજવામાં આવ્યા છે. તેમ છતાં તે પર્યાપ્ત ન લાગતાં પ્રાંતે તેમને “કલિકાલસર્વજ્ઞ” કહીને આ એક વિશેષણમાં બધા વિશેષણને સમાવેશ કરવામાં આવ્યું છે. શ્રી જિનમંડનગણિના “કુમારપાળપ્રબંધ”માં જણાવ્યું છે કે, પંડિત દેવબોધે શ્રી હેમચંદ્રસૂરિના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ તેમને “કલિકાલસર્વજ્ઞ” તરીકે ઓળખાવ્યા હતા. તે, શ્રી જિનવિજયજીએ અનેક સંશોધનના આધારે જણાવ્યું છે કે, શ્રી હેમચંદ્રસૂરિની અપરિમેય જ્ઞાનશક્તિથી મેહિત થઈ તેમના સમયના સર્વ ધર્મના વિદ્વાનેએ એકત્ર થઈને, “કલિકાલસર્વજ્ઞ” એવું બિરુદ આપ્યું. વળી, દીવાનબહાદુર કૃષ્ણલાલ મ. ઝવેરીએ તે ત્યાં સુધી કહ્યું છે કે, આચાર્યશ્રી માટે “કલિકાલસર્વજ્ઞ” કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરે તે પણ તેમાં સહેજે અતિશયેક્તિ કહેવાશે નહીં. ગુજરાતના મહાન જયોતિધર : ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તે, ભારતના અન્ય પ્રાંતેની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુબલિ વગેરે અનિષ્ટ આજે પણ ઓછાં છે તેને યશ મેટે ભાગે શ્રી હેમચંદ્રાચાર્યને અને જૈનધર્મને ફાળે જાય છે. કારણ કે આઠ સૈકા પહેલાં કુમારપાળ જેવા રાજવીના સહકારથી તેમણે વ્યસનત્યાગ અને સદાચારની એક વ્યાપક ઝુંબેશ પ્રજામાં ઘરે ઘરે ગાજતી કરી હતી, જેના લીધે સમગ્ર પ્રજાનું આમૂલ પરિવર્તન થઈ ગયું. - સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુએ સાચું જ કહ્યું છે કે, “શ્રી હેમચંદ્રાચાર્ય વિના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy