SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શાસન પ્રભાવક સાત વર્ષે રાજ્ય મળશે એવું સિદ્ધવચન કહેનાર શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે તેને અનન્ય ભક્તિભાવ હતું, અને જૈનધર્મ પ્રત્યે પણ આસ્થાવાન હતા. શ્રી હેમચંદ્રસૂરિ તેની વિનંતિથી અવારનવાર રાજમહેલમાં જતા. રાજા-રાણી વખતોવખત તેમને ઉપદેશ શ્રવણ કરતાં અને તેઓને ગુરુ માનતા. - ગુર્જરેશ્વર કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૨૦૭માં પ્રભાસપાટણમાં સોમનાથના મહાપ્રસાદને પાયાથી શિખર સુધી જીર્ણોદ્ધાર કરવાને સંકલ્પ કરી, સોમનાથના મંદિરની દવાઓ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડ્યાં. સં. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપડતું વગડાવ્યા. જુગાર સર્વથા બંધ કરાવ્યું. સં. ૧૨૧૧માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા હોવાથી રાજા કુમારપાળ સાથે શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રભાસપાટણ પધાર્યા. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગૂઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યા “ भवबीजाकुरजनना रामाद्याः क्षयमुपामता यस्य । ब्रह्मा या विष्णुर्धा हरो जिनो वा नमस्तस्यै ।। –જેમણે જન્મમરણના અંકુરને ઉગાડનારા રાગ વગેરે દોષને નાશ કર્યો છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે છે તેમને નમસ્કાર થાઓ !” “પ્રબંધ ચિંતામણિ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને શિવના સાક્ષાત્ દર્શન કરાવ્યા હતા અને ભગવાન શિવે રાજા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને અનુસરવા કહ્યું હતું. વિ. સં. ૧૨૧૩માં મહાઅમાત્ય વાહડે શત્રુજ્ય તીર્થને મોટો ઉદ્ધાર કરાવી, શ્રી હેમચંદ્રસૂરિના હાથે ભગવાન કાષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૨૧૬માં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી રાજા કુમારપાળે સમ્યકત્વ સાથે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. આચાર્યશ્રીએ તેમને આશીર્વાદમાં પરમહંત અને રાજર્ષિ એવાં બિરુદ આપ્યાં. અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક બેધ માટે “વીતરાગસ્તોત્ર” અને સટક–યેગશાસ્ત્રની રચના કરી. રાજા કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણુ કુમારપાળવિહારો, ૧૪૪૪ દેરાસરે, ઘણું જીર્ણોદ્ધાર, ૨૧ જ્ઞાનભંડારો અને ઘણું દાનશાળાએ કરાવ્યાં. નિર્ધન જેનેને-સાધર્મિભાઈઓને ૧૪ કરેડની સહાય કરી. પતિના મૃત્યુ પછી નિઃસંતાન વિધવાનું ધન લેવાને નિયમ રદ કર્યો અને જનતા પરના ઘણું કરે માફ કર્યા. મહાઅમાત્ય આંબડે જીર્ણોદ્ધાર કરાવી ભરૂચના શકુનિકાવિહારમાં વિ. સં. ૧૨૨૨માં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરવી. તેમ જ મંત્રી આંબડે પિતાના પિતાના ઉદયનવસતીને વિસ્તાર કરી ઉદયનવિહાર બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા પણ વિ. સં. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે થઈ. વિ. સં. ૧૨૨૮માં આચાર્યશ્રીએ પાટણમાં અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠા કરી, તેમના હસ્તે થયેલી આ પ્રતિષ્ઠા છેલ્લી હતી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy