SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૫૯ વિ. સં. ૧૧૯૯માં ગુર્જરનરેશ સિદ્ધરાજે માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીને વંશ કરી, ત્યાંના અમૂલ્ય ગ્રંથભંડાર અને લખલૂટ ખજાના સાથે પાટણમાં પ્રવેશ કર્યો. આચાર્ય વરસૂરિ, આચાર્ય હેમચંદ્રસૂરિ અને બીજા આચાર્યો તેમ જ વિદ્વાનોએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યા. ગુજરાત ગૌરવાન્વિત બન્યું. સિદ્ધહેમ વ્યાકરણ : એક દિવસ રાજા માળવાથી લાવેલા ગ્રંથભંડારને જોઈ રહ્યા હતા. તેમાં રાજા ભેજનો રવરચિત “સરસ્વતીકંઠાભરણ” નામે વિશાળ વ્યાકરણગ્રંથ તેમના હાથમાં આવ્યો. ભેજ દ્વારા રચેલા બીજા પણ ગ્રંથે જોઈ તેમને ઓછપ અનુભવી અને મનમાં પ્રશ્ન ઊઠડ્યો કે, “મારા ગ્રંથભંડારમાં આવા ગ્રંથે કેમ નહિ? શું ગુજરાતમાં એવા કેઈ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથ રચી શકે ? ” તેણે સર્વ વિદ્વાનોને બોલાવી આ વાત કહી. સૌની નજર શ્રી હેમચંદ્રસૂરિ પર પડી. રાજા સિદ્ધરાજે ગુજરાતનું ગૌરવ વધે તેવા સર્વોપયેગી વ્યાકરણનું નિર્માણ કરવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ રાજાની વિનતિનો સ્વીકાર કર્યો. તેમણે એમના સમય સુધીના સમસ્ત વ્યાકરણની હસ્તપ્રત ઠેર ઠેરથી મેળવી અને તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું, અને સિદ્ધરાજની વિનંતિથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ તેનું નામ જોડી, “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના વ્યાકરણની રચના કરી. રાજપુરોહિત અને વિદ્વાન સભાસદોએ એ વ્યાકરણનું ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે જાહેર કર્યું. સિદ્ધરાજે પિતાની ધારણાથી પણ વિશેષ પ્રાપ્ય તે વ્યાકરણને હાથીની અંબાડી પર પધરાવી, તેની ભારે ઠાઠમાઠથી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી. રાજા સિદ્ધરાજે એ પછી ત્રણસો લહિયા રોકી એની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી; અને તે અંગ, બંગ, કલિંગ, વત્સ, સિંધુ, સૌવાર, મુરંડ, કાશી, કેકણ, કર્નાટક, કોડ, કુરુક્ષેત્ર, કેશલ, કનાજ, કાન્યકુજ, ગૌડ, સપાદલક્ષ અને કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાલ, સિંહલ, કામરૂપ અને ઈરાન જેવા દૂર દૂરના દેશાવરોમાં પણ તેની પ્રતિલિપિઓ મેકલી. ઉપરાંત, પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. આચાર્ય હેમચંદ્રસૂરિએ સાહિત્યરચનાની ગંગોત્રી રૂપ “સિદ્ધહેમ વ્યાકરણ થી પ્રારંભ કર્યો અને પછી, એક પછી એક વિવિધ વિષયના ગ્રંથની રચના અખલિતપણે ચાલતી રહી. વિ. સં. ૧૧૯૪માં શ્રી હેમચંદ્રસૂરિનું ચાતુર્માસ ખંભાતમાં હતું, ત્યારે વિ. સં. ૧૧૯૯ના કાતિક સુદિ ૩ના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. કુમારપાળ ખંભાત આવીને શેઠ સાંબની સાથે આચાર્યશ્રી પાસે આવ્યું. તેમના આશીર્વાદ મેળવી તે પાટણ ગયે અને વિ. સં. ૧૧૯લ્માં તે ગુજરાતને રાજા બન્ય. આચાર્ય હેમચંદ્રસૂરિ ખંભાતથી વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. વિ. સં. ૧૨૦૭માં તેમના માતા પ્રવર્તિની પાહિનીજી સાધ્વીએ અનશન સ્વીકાર્યું. શ્રાવકેએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. અને આચાર્યશ્રીએ પણ ત્રણ લાખ લેકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિની કાળધર્મ પામ્યા. રાજા કુમારપાળ શિવના પરમ ભક્ત હતા, પરંતુ પિતાને અભયદાન આપનાર અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy