SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ માસનપ્રભાવક દિવસ તેણે શ્રી હેમચંદ્રસૂરિને મળવાનું ગોઠવ્યું; પણ રાજકવિ શ્રીપાલે આચાર્યશ્રીને ન મળવા વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ ગંભીરપણે શ્રીપાલને જણાવ્યું કે, “એ અસાધારણ સિદ્ધ સારસ્વત પંડિત છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપ જ જોઈ એ.” એક દિવસ પંડિત દેવબોધ આચાર્ય હેમચંદ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ તેને પિતાના અર્ધાસન પર બેસાડી તેને સત્કાર કર્યો. આ સરળતા જોઈને પંડિત દેવબોધ આચાર્ય શ્રી માટે બોલ્યા કે, " पातु यो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् । षड्दर्शनपशुग्रामांश्चारयन् जैनवाढुके ।। –જે પડદર્શન રૂપ પશુઓને જેન ગોચરમાં ચારી રહ્યા છે તે દંડ અને કાંબલીવાળા હેમ-ગોપાલ તમારું રક્ષણ કરો.” આચાર્યશ્રીએ ત્યારે જ રાજકવિ શ્રીપાલને બોલાવી બંને વચ્ચે મૈત્રી કરાવી દીધી. કેમ કે, ઝગડે મટાડે એ સાધુને ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યું અને તે પછી દેવબોધ આત્મકલ્યાણ માટે ગંગાકિનારે ચાલ્યો ગયો. વિ. સ. ૧૧૮પમાં રાજા સિદ્ધરાજ પત્રકામનાથી ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળ્યા. તેમણે આચાર્ય હેમચંદ્રસૂરિને સાથે લીધા. યાત્રામાં રાજાએ શિહેર ગામ બ્રાહ્મણને ભેટ આપ્યું. શત્રુ જ્યતીર્થમાં ભગવાન બાષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે પૂરી રકમ આપી. તીર્થમાં યાત્રિકોને પાળવાના આદેશો બહાર પાડ્યા. ભગવાન નેમિનાથ, અંબિકાદેવી અને અવલોકનશિખર (પાંચમી ટૂંક)માં ભગવાન નેમિનાથનાં દર્શનપૂજન કર્યા અને પ્રભાસપાટણ થઈ સેમિનાથ મહાદેવની યાત્રા કરી. આચાર્યશ્રીએ અહીં શિવાલયમાં મહાદેવના ગુણોનું પ્રતિપાદન કરતી સ્તુતિ કરી કે, “જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી, જે તે છે, પણ હે ભગવન ! તમે જે દેષ રહિત છે તે તમને એકલાને જ નમસ્કાર કરું છું.” રાજાએ અહીં ઘણું દાન કર્યું. આચાર્યશ્રીએ કેડિનાર જઈને અફૂમતાપૂર્વક અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ કહ્યું કે– “રાજાના ભાગ્યમાં પુત્ર નથી, પણ તેના પછી કુમારપાળ ગુજરાતને રાજા થશે, જે રાજ્યને વધારશે, ભોગવશે અને એ પરમહંત-શ્રાવક થશે.” આ વાત આચાર્યશ્રીએ રાજા સિદ્ધરાજને જણાવી. તેને આ વાત રુચિ નહીં. કુમારપાળને પકડવા તેણે ષડૂયંત્ર રચ્યું. આ વાતની કુમારપાળને જાણ થતાં તે ગુપ્ત વેશે નાસી ગયે. વિ. સં. ૧૧૯૨માં શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં ચાતુર્માસ બિરાજમાન હતા. કુમારપાળ નાસતે નાસતો ત્યાં આવ્યું. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે “આજથી સાતમે વર્ષે તું રાજા બનીશ.” આચાર્યશ્રીએ ત્યારે રાજ્યના સૈનિકોને આ તરફ આવતા જોઈ કુમારપાળને ભંડકિયામાં તાડપત્ર પાછળ સંતાડી દીધો હતે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy