SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ શ્રમણભગવંતે રાજવંશમાં પ્રતિષ્ઠા : પાટણમાં તે વખતે ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દષ્ટિએ મહાન સુવર્ણકાળ કહી શકાય તે તે સેલંકીયુગ હતું. ત્રણ વર્ષના આ સુવર્ણકાળને સર્વોત્તમ શિખરે પહોંચાડનાર બે રાજવીઓ તે સિદ્ધરાજ અને કુમારપાળ. અને એ બંને રાજાઓને શ્રી હેમચંદ્રાચાર્યને વેગ મહાન બનાવવામાં પરિણમે હતે. શ્રી હેમચંદ્રસૂરિનું ગુર્જરનરેશ સિદ્ધરાજ સાથે સર્વપ્રથમ મિલન, ગુરુદેવના વર્ગવાસ પછી, ખંભાતથી પાટણ પધારતા થયું. પાટણમાં એક દિવસ રાજા સિદ્ધરાજની સવારી બજારમાં પસાર થઈ રહી હતી. રાજા હાથી પર બેઠા હતા. શ્રી હેમચંદ્રસૂરિ પણ એ સમયે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક હાથી આચાર્યશ્રી પાસે આવીને ઊભે રહી ગયો. તે સમયે શ્રી હેમચંદ્રાચાર્ય એક લેક બેલ્યા : __“ कारय प्रसरं सिद्धः हस्तिराजभयाड़िकतम् । त्रस्यस्तु दिग्गजाः किं ते स्त्वयैवोद्धृता यतः ॥ –રાજન ! ગજરાજને નિઃશંક આગળ ચલાવે. હાથીના ભયની તમે ચિંતા ન કરો. કારણ, પૃથ્વીને તમે જ ધારણ કરી રહ્યા છે.” શ્રી હેમચંદ્રાચાર્યના બુદ્ધિયુક્ત આ કથનથી રાજા સિદ્ધરાજ અતિ પ્રભાવિત થયા અને રોજ બપોરે રાજમહેલમાં પધારવા આચાર્યશ્રીને વિનતિ કરી. આચાર્યશ્રી રાજાના આ નિમંત્રણને શુભ શુકન માની રાજસભામાં જવા લાગ્યા. તેઓ પિતાના ચારિત્રપ્રભાવે અને જ્ઞાનબળે ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા. વિ. સં. ૧૧૮૧માં શ્રી સ્વાદિદેવસૂરિએ રાજા સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ પણ તેમાં જોડાયા હતા. રાજમાતા મીનળદેવી પિયરના સંબંધે દિગંબરાચાર્ય પ્રત્યે પક્ષપાત બતાવે તેવી શંકાથી તેમણે રાજમાતાને મળીને જણાવ્યું હતું કે, “દિગંબરો આ શાસ્ત્રાર્થમાં એવું સિદ્ધ કરવાના છે કે સ્ત્રીઓએ કરેલે ધર્મ સફળ બનતું નથી.” રાજમાતાએ આ વાત જાણી–તપાસીને ખાતરી કરી, દિગબરને પક્ષ છોડી દીધું હતું. વળી, વાદના પ્રથમ દિવસે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર તું હજી બાળક છે. તારી સાથે વાત શો કરે?” તેમ જણાવતાં શ્રી હેમચંદ્રાચાર્યે ઉત્તરમાં કહ્યું હતું કે, “બાળક કેણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુએ છે કે મેં તે કપડાં પહેર્યા છે.” આ સણસણતો જવાબ સાંભળી દિગંબરાચાર્ય દિંગ બની ગયા હતા ! વિ. સં. ૧૧૮૩માં સિદ્ધરાજે બંધાવેલા રાજવિહારમાં ભગવાન ઋષભદેવને પ્રતિષ્ઠામહત્સવ હતે. એ ઉત્સવમાં ભાગવત મતના આચાર્ય દેવધે ઉપસ્થિત રહી, તટસ્થપણે જિનેશ્વરના ગુણગાન ગાતાં રાજા સિદ્ધરાજે લાખ દ્રવ્ય આપ્યું. બીજી તરફ તે સૂરા પોતે હતો. રાજકવિ શ્રીપાલે કેઈ અણબનાવે રાજા દ્વારા ધન અપાતું બંધ કરાવ્યું. પંડિત દેવબોધનો ખર્ચ લખલૂટ હતો, એટલે તે ત્રણ વર્ષમાં સાવ નિર્ધન જેવો બની ગયો. એક . ૩૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy