SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૪ શાસનપ્રભાવક હેમશબ્દાનુશાસન અદ્વિતીય છે. છેલ્લાં આઠસો વર્ષમાં તેનાથી ચડિયાતા બીજા કેઈ વ્યાકરણની રચના થઈ નથી.” શ્રી મેરૂતુંગાચાર્ય જણાવ્યા મુજબ, શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણની રચના સવા લાખ લોકેમાં કરી હતી. તેમની સર્વ રચનાઓનું લોકપ્રમાણ સાડા ત્રણ કરોડ મનાય છે. ડો. પિટર્સને શ્રી હેમચંદ્રાચાર્યને “જ્ઞાનને મહાસાગર' કહ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિનું વિપુલ સાહિત્યસર્જન અને વિષયવૈવિધ્ય અસાધારણ છે. એ જ રીતે, શ્રી હેમચંદ્રસૂરિ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જ્ઞાને પાસનાના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક હતા. પ્રબંધકેશ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિની ગુરુપરંપરા ચંદ્રકુળના પૂર્ણતલગચ્છ સાથે હતી. પૂર્ણતલગ૭માં શ્રી દત્તસૂરિ થયા. તેમણે ઘણા રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા. તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ રાજવી હતા અને મહા તપસ્વી હતા. તેમના પટ્ટધર શ્રી પ્રદ્યુમ્નસૂરિ સમર્થ વ્યાખ્યાતા હતા ને તેમના પટ્ટધર શ્રી ગુણસેનસૂરિ સિદ્ધાંતવિશારદ હતા. તેમના પટ્ટધર શ્રી દેવચંદ્રસૂરિ સ્વાવાદમાં સમર્થ અને પ્રભાવી સૂરિવર હતા. તેમના શિષ્ય તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ. બાળક ચંગદેવ ઃ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિને જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪પના કાર્તિક પૂર્ણિમાના શુભ દિને થયો હતે. તેમના પિતાનું નામ ચાચિંગ (સાચિગ, સા અને ચાચિગ નામ પણ) હતું. શ્રેષ્ઠિ ચાચિંગ મેઢ જ્ઞાતિના અગ્રેસર વણિક હતા. માતાનું નામ પાહિનીદેવી હતું. તે જેમાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠિ નેમિનાગ મોઢની બહેન હતી; શીલગુણ સંપન્ન અને જૈનધર્મની દઢ અનુરાગી હતી. એક વખત તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જેવું, જે ગુરુ પાસે જઈ ચમકવા લાગ્યું. પ્રબંધકોશ પ્રમાણે, તેણે સ્વપ્નમાં એક આંબો જો, જે બીજે સ્થળે જઈ ફાલ્ય-ફૂલ્ય. આ સમયે ધંધુકામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા. પાહિનીદેવીએ પિતાનાં સ્વપ્નની વાત તેઓશ્રીને કરી. સ્વપ્નને ફલાદેશ બતાવતાં સૂરિવરે કહ્યું કે– “તું એક નરમણિને જન્મ આપીશ, જે માટે થતાં ગુરુમણિ થશે. તારે એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી જૈનશાસન રૂપી સાગરમાં કૌસ્તુભમણિની જેમ દેદીપ્યમાન બનશે.” ગુરુની વાત સાંભળી પાહિનીને ઘણે હર્ષ થયે. તે વિશેષ ધર્મારાધના કરવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે વિ. સં. ૧૧૪૫ના કાતિક પૂર્ણિમાની ઉજજવલ રાત્રિએ એક તેજસ્વી બાળકને જન્મ આપે. સારાયે કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. અંગ એટલે ઉત્તમ. એક દિવસ પાહિનીદેવી પુત્ર ચંગદેવને લઈ નિત્યક્રમ પ્રમાણે દેરાસરે દર્શન કરવા આવી હતી. આચાર્ય દેવચંદ્રસૂરિ એ વખતે બાજુમાં જ ઉપાશ્રયે બિરાજતા હતા. આચાર્યશ્રી દેરાસરમાં ચૈત્યવંદન કરી રહ્યા હતા, પાહિનીદેવી પણ દર્શનસ્તુતિમાં લીન હતા. એ સમયે પાંચ વર્ષને બાળક ચંગદેવ ઉપાશ્રયે જઈ પહોંચ્યો અને ત્યાં આચાર્યના આસન ઉપર બેસી ગયે. આચાર્યશ્રી અને પાહિનીદેવીએ ત્યાં આવીને જોયું કે બાળક ગુરુપદને અભિલાવી છે. આચાર્યશ્રીએ પાહિનીદેવીને એ યાદ અપાવી કે– “બહેન ! તને પિતાનું દિવ્ય સ્વપ્ન યાદ છે? બાળકનું તેજ અને તેની આ વૃત્તિ જોતાં તારે આ કુળદીપક જૈનધર્મનો મહાન પ્રભાવક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy