SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ૨૫૩ દ્વાદશત્રતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ–ધરણેન્દ્રસ્તુતિ, કલિકુંડ પાર્શ્વનાથયંત્રસ્તવન લેક ૧૦, જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ, ઉપદેશકુલક, મરથકુલક વગેરે ગ્રંથો રચ્યા છે. આચાર્યશ્રીની શિષ્યસમ્મદા પણ વિપુલ અને જ્ઞાનથી ઉજવેલ હતી. તેમણે પિતાના ઉત્તરાધિકારી પદે આચાર્ય ભદ્રસેનસૂરિને સ્થાપ્યા હતા. " શ્રી વાદિદેવસૂરિએ ૯ વર્ષની વયે દીક્ષા લીધી, ૩૧ વર્ષની વયે આચાર્યપદ પામ્યા અને ૮૩ વર્ષની વયે, ૭૪ વર્ષને દીક્ષા પર્યાય પાળી, બાવન વર્ષ આચાર્ય પદ શોભાવી, વિ. સં. ૧૨૨૬ના શ્રાવણ વદિ ૭ના દિવસે સ્વર્ગવાસી બન્યા. જ્ઞાનના મહાસાગર, સિદ્ધ સારસ્વત, ગુજરાતના મહાન જોતિર્ધર, અદ્વિતીય-અદ્દભુત સવા લાખ શ્લેકમમાણ “સિદ્ધહેમ વ્યાકરણના રચયિતા, રાજા સિદ્ધરાજ-જયસિંહની જ્ઞાનોપાસના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ " क्लुप्तं व्याकरणं नवं विरचितं द्वन्द्वो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्र नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनाम् चरित्रम् नवम् बद्धम् येन न केन विधिना मोहः कृतो दूरतः । અર્થાત, નવું વ્યાકરણ કયું, નવું છંદશાસ્ત્ર રચ્યું, દ્વયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસને વિસ્તાર્યા અને નવાં જ પ્રગટ કર્યા. શ્રી યોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આયે, જિનવરોનાં ચરિત્રોને નવો ગ્રંથ રચે, કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર ન કર્યું ?” આમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં રચાયેલાં સાહિત્યની વિપુલતાનાં દર્શન શ્રી સોમચંદ્રસૂરિએ ઉપરોક્ત લેકમાં કરાવ્યાં છે. જ્યારે શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેઓશ્રીને પ્રભાવ દર્શાવતાં જણાવ્યું છે કે श्री हेमचन्द्रसूरीणामपूर्वम् वचनामृतम् ।। जीवातुर्विश्व जीवानां राजचित्तावनिस्थितम् ॥ અર્થાત્, શ્રી હેમચંદ્રસૂરિનાં વચન સમસ્ત પ્રાણીઓ માટે અમૃતતુલ્ય છે. શ્રી હેમચંદ્રસૂરિનું કથન, લેખન અને જીવન – તેમનાં સમયે અને આજે આઠ આઠ સૈકા બાદ પણ, અદ્યાપિપર્યત માર્ગદર્શક, પ્રેરક, પ્રભાવક, ઉપકારક અને અસરકારક રહ્યું છે. પ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુ લખે છે તેમ, “તેઓ હરકેઈ જમાનાના “મહાપુરુષ” હતા. તેઓનું સાહિત્યસર્જન વિપુલ છે, તેમ ઉત્તમોત્તમ પણ છે. તેમણે સૌ પ્રથમ રચેલ “સિદ્ધ Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy