SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શાસનપ્રભાવક જ્યારે આચાર્ય દેવસૂરિએ સ્ત્રી મુક્તિના સમર્થનમાં તીર્થકરોની માતા, સુભદ્રા, સીતા, રાજિમતી આદિ ઉદાહરણો બતાવવાપૂર્વક રાજમાતા તરફ સંકેત કરતાં કહ્યું કે, “રાજમાતા મયણલ્લદેવી મહા સશાલિની છે. આથી સ્ત્રીઓને તુચ્છ કેમ કહેવાય ? સ્ત્રીઓ પણ પોતાના સત્તવ અને પુરુષાર્થ દ્વારા મેક્ષે જવાને ગ્ય છે.” આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના ૫૦૦ ઉત્તરે થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા. તે પછી શ્રી દેવસૂરિએ વાદિવેતાલ શ્રી શાંતિસૂરિની “ઉત્તરઝયણની પાઈયવૃત્તિના આધારે સ્ત્રી–મુક્તિ અંગે અનેક વિકલ્પને ઉપન્યાસ કર્યો. વાદી કુમુદચંદ્ર આ વસ્તુને બરાબર ધારી શક્યા નહીં, એટલે આચાર્ય દેવસૂરિએ એ વાદ ત્રણવાર કહી સંભળાવ્યું. ત્યારે આ કુમુદચંદ્ર જણાવ્યું કે– “આ વાદને વસ્ત્ર પર લખી લે.” આ વાતથી શાસ્ત્રાર્થ સભાના પંડિત મહર્ષિએ જાહેર કર્યું કે– “વાદી વાદને લખવાનું કહે છે, એટલે મૌખિક વાદ સમાપ્ત થાય છે. તેમાં દિગંબર હારી ગયા અને શ્વેતાંબર જીત્યા છે. હવે લેખિત વાદ શરૂ થાય છે.” ત્યાર પછી લેખિત વાદમાં પણ પિતાને પરાજ્ય મળતાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને કહેવું પડ્યું કે– દેવાચાર્ય મહાન છે, તેઓ મહાવાદી છે.” રાજાએ શ્રી દેવસૂરિને તેમના જ્યથી “વાદીન્દ્ર'નું બિરુદ આપ્યું, અને વિયપત્ર અર્પણ કર્યું. ઉપરાંત, વિજયના ઉપલક્ષમાં આચાર્યશ્રીને છાલા વગેરે ૧૨ ગામ તથા એક લાખ દ્રવ્ય આપ્યું. પણ શ્રમણે તે બધું ત્યાજ્ય ગણે. રાજાએ એ રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવ્યું. ભગવાન સાષભદેવની ૮૫ આંગળ ઊંચી પિત્તળની ભવ્ય પ્રતિમા ભરાવી વિ. સં. ૧૧૮૩ના વૈશાખ સુદિ ૧રના દિવસે, ચારે કુળના આચાર્યોની ઉપસ્થિતિમાં, આચાર્ય દેવસૂરિના હાથે અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન “રાજવિહાર” નામથી ખ્યાત બન્યું. મંત્રી આલિંગે પણ હર્ષોલ્લાસ પામી સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યું. વળી, આ વિજયની સિદ્ધિરૂપે દેવસૂરિ વાદિદેવસૂરિના નામે પ્રસિદ્ધિ પામ્યા. આ વાદવિજય ઉપર અનેક આચાર્યાદિ વિદ્વાનોએ પ્રશસ્તિ લખી છે. વિદ્વાન કવિ યશશ્ચંદ્ર આ વિજ્યને અનુલક્ષીને “મુકિતમુરચંદ્ર' નામક નાટકની રચના કરી છે. આચાર્ય વાદિદેવસૂરિ દ્વારા અન્ય પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં. તેમના ઉપદેશથી મહાઅમાત્ય શાંએ પિતાના નવા ઘરની પિલાળ બનાવી. પાસિલે આરાસણામાં બંધાવેલ ભગવાન નેમિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરી. ફલેધીમાં પ્રાપ્ત થયેલ ચમત્કારી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા શ્રી જિનચંદ્રને મોક્લી પ્રતિષ્ઠા કરાવી, જેથી ફોધી પાર્શ્વનાથનું તીર્થ શ્રી દેવસૂરિ પ્રતિષ્ઠિત મનાય છે. કેરટાના મંત્રી નાહડ, મંત્રી સાલિગ વગેરે રાજ્યાધિકારીઓએ તેમ જ ૩૫ હજાર ઘરેએ જૈન ધર્મને સ્વીકાર કર્યો. ગ્રંથરચના : શ્રી વાદિદેવસૂરિ કુશળ ગ્રંથકાર પણ હતા. તેમણે પ્રમાણુનયતત્ત્વલકાલંકાર” પરિચ્છેદ : ૮, મૂળસૂત્ર ૩૭૪, તેના ઉપર મેટી ટીકા “સ્યાદ્વાદરત્નાકર” ગ્રંથમાના ૮૪૦૦૦ પરિમાણુ બનાવી છે. “મુણિચંદ્રસૂરિગુરુ થઈ' ગ્રંથમાન ૪૨, ગુરુવિરહ વિલાપ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy