SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૨૫૫ થશે. તું જ છે, આ બેઠે છે તે ગુરુઆસને ભતા આ બાળકને શાસનને અર્પણ કરી તમે ધન્ય બને.” પિતાના પુત્રના ઉજજવળ ભાવિને જાણી પાહિનીદેવી નમ્ર સ્વરે બોલી, “ગુરુદેવ! તેના પિતાની આજ્ઞા હોય તો મારી સમ્મતિ જ છે. પ્રથમ તેમની આજ્ઞા લઈ લઉં.” આટલું કહી પાહિનીદેવી ગંભીરપણે વિચારવા લાગી. તેના પિતાની આજ્ઞા મળવી શક્ય નથી. પણ, નિશ્ચિતપણે મારો પુત્ર જે સાધુ થવાને જ હોય તે તેને મારા પિતાના હાથે ગ્ય ગુરુને કેમ ન સેપો ? તેણે ભાઈ નેમિનાગની સલાહ લીધી અને પુત્ર ચંગદેવ આચાર્ય દેવચંદ્રસૂરિને અર્પણ કર્યો. “ પ્રબંધચિંતામણિ પ્રમાણે, ચંગદેવ આઠ વર્ષને હતું ત્યારે સમવયસ્ક બાળકે સાથે જ્યાં શ્રી દેવચંદ્રસૂરિ પધાર્યા હતા તે ઉપાશ્રયે પહોંચ્યા. આચાર્ય હતા નહીં. ચંગદેવ તેમના આસને સહજવૃત્તિથી બેસી ગયે. આચાર્ય દેવચંદ્રસૂરિએ આવીને પિતાના આસને બેઠેલાં બાળકને જે અને વિસ્મય પામ્યા. તેના દેદીપ્યમાન મુખારવિંદને જોઈ આચાર્યશ્રી આ બાલનને પારખી ગયા. શ્રાવકે દ્વારા હકીકત જાણી, બાળકને લઈ, ચાર્જિંગને ઘરે પધાર્યા. ચાચિંગ ઘેર ન હતા. તેના ગૃહિણી પાહિનીદેવીએ આવેલ સૌનું સ્વાગત કર્યું. ગુરુદેવને વિધિપૂર્વક વંદન કર્યા. આવેલ શ્રાવકેએ પાહિનીદેવીને ગુરુદેવના આગમનને ઉદ્દેશ જણાવી, પુત્રને ગુરુચરણે અર્પણ કરવા જણાવ્યું. પાહિનીદેવીને એ ક્ષણે હર્ષ થશે, તે બીજી જ ક્ષણે પતિની અનુમતિ નહિ મળવાની આશંકાથી રંજ થયે. આથી હર્ષમિશ્રિત આંસુ વહાવતાં તે બોલી કે, “ચંગના પિતા ઘરે નથી. તેમની સમ્મતિ વિના હું બાળકને કેમ આપી શકું?” પાહિનીદેવીને હિંમત આપતાં શ્રેષ્ઠિજનોએ સમજાવ્યું કે, “બહેન ! માતાને પણ બાળક પર અધિકાર હોય છે. તમારી ભાવના ખરેખર સાચી છે, તે તમે તમારા તરફથી પુત્રને અર્પણ કરી ઘો.” પાહિનીદેવીએ સુજ્ઞજનોની વાતને સ્વીકાર કરી, પુત્ર ચંગદેવને આચાર્ય દેવચંદ્રસૂરિને ચરણે અર્પણ કરી છે. શ્રી દેવચંદ્રસૂરિ બાળક ચંગદેવને લઈ વિહાર કરતાં કરતાં કર્ણાવતી પધાર્યા. ત્યાં સુરક્ષાની દૃષ્ટિથી બાળકને ઉદયન મંત્રી પાસે રાખે. ઉદયન મંત્રી જૈનધર્મના અનન્ય અનુરાગી હતા અને બુદ્ધિવાન તથા વ્યવહારકુશળ પણ હતા. આ બાજ, શ્રેષ્ઠિ ચાચિંગ ઘેર આવ્યું ત્યારે બાળકને ન જેવાથી, સર્વ વૃત્તાંત જાણી કેપિત થયો. પુત્રના મિલન સુધી અન્નત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યા અને શ્રી દેવચંદ્રસૂરિ પાસે કર્ણાવતી પહોંચ્યા. મંત્રી ઉદયન પણ ચાચિંગના આગમનની વાત જાણી ઉપાશ્રયે આવ્યા. પુત્રને મેળવવા ચચિંગ ઘણે જ કેપિત અને વ્યથિત હતે. મંત્રી ઉદયન તેને ઘણા આદર સાથે પિતાના આવાસે લઈ ગયા. તેમના આવા વ્યવહારથી ચાચિંગ શાંત થયે. તેમાંયે પિતાના પુત્રને મંત્રીના સમવયસ્ક પુત્ર સાથે રમતે જોઈ અને મંત્રીએ વત્સલભાવે તેને પિતાના ખેળામાં બેસાડ્યો તે જોઈ, તેને રહ્યો સહ્યો ગુસ્સો પણ ઓગળી ગયે. તે મંત્રીના આ વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયે. મંત્રી ઉદયને તેને આત્મીયભાવે ત્રણ દુકૂલ અને ત્રણ લાખ મુદ્રા ભેટ ધરી. ચાચિંગે હસીને કહ્યું કે, “મંત્રીવર ! આ ત્રણ લાખની દ્રવ્યરાશિ આપની ઉદારતાને નહિ, કૃપણુતાને પ્રગટ કરે છે. મારા પુત્રનું મૂલ્ય તે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy