SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શાસનપ્રભાવક “તમારા ત્યાગમાં ધર્મને સત્કાર ને સ્વીકાર હશે. ધર્મને સ્વીકાર અને શરણ એ જ એક સાચો અને સનાતન આધાર છે. પુત્રનું આત્મકલ્યાણ, ગૌરવ અને જિનશાસનની ઉન્નતિ તમારી સમ્મતિથી સંભવિત બનશે. શ્રીસંઘમાં તમારા પ્રત્યે અભાવ પ્રવર્તતે રહેશે. અને એ ર્તવ્ય રૂપે પરિણમી તમારા આધારરૂપ બનવાન, એકને જ નહિ, અનેકને લાભ પ્રાપ્ત થશે.” શ્રી મુનિચંદ્રસૂરિએ આ પ્રમાણે હિપદેશ આપતાં, શ્રેષ્ઠિ વીરનાગ અને જિનદેવીએ ઊલટભેર પિતાને પુત્ર ઉપકારી આચાર્યશ્રીને સમર્પિત કર્યો. આચાર્યશ્રીએ નવ વર્ષના પૂર્ણચંદ્રને વિ. સં. ૧૧૨૫માં દીક્ષા આપી, મુનિ રામચંદ્રના નવા નામથી ઉદ્દઘોષિત ક્ય. | મુનિ રામચંદ્રમાં જન્મથી પુણ્યનો પ્રભાવ પ્રવર્તતે હતે. ધર્મસંસ્કારનું સિચન પણ પર્યાપ્ત મળ્યું હતું. તેમાં ગુરુદેવનું અખંડ સાન્નિધ્ય અને સતત જ્ઞાનદાન પ્રાપ્ત થતાં, વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત આદિનું વિશદ જ્ઞાન સંપાદન કર્યું. થોડા જ સમયમાં વાદશક્તિ કેળવી શાસ્ત્રાર્થમાં પણ સામર્થ્ય મેળવ્યું. ધૂળકામાં શૈવમતસમર્થક ધન્ધ નામના બ્રાહ્મણને, સારમાં કાશ્મીરના સાગર (કિરપુર)ને, નાગરમાં દિગબરાચાર્ય ગુણચંદ્રને, ચિત્તોડમાં શિવભૂતિ ભાગવત અને વસુભૂતિ મીમાંસકને, ગોપગિરિ (વાલિયર)માં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પુષ્કરિણમાં પદ્માકરને, ભરૂચમાં કૃષ્ણ બ્રાહ્મણને, નવરમાં ધસારને તથા તહનગઢમાં ગેરુઆ વસ્ત્રધારીને શાસ્ત્રાર્થમાં હરાવી પં. રામચંદ્રએ ભારે નામના મેળવી. ગુરુદેવે તેમને સર્વ રીતે ગ્ય જાણી વિ. સં. ૧૧૭૪ માં આચાર્યપદ આપ્યું, અને તેમને આચાર્ય દેવસૂરિ નામથી ઉદ્દષિત કર્યા એક વખત આચાર્ય દેવસૂરિએ શિષ્ય પરિવાર સાથે નાગર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતાં આબૂતીર્થ પધાર્યા. આબૂ પર્વત પર તેમની સાથે ચડતાં પાટણના મંત્રી અંબાપ્રસાદ મહેતાને માર્ગમાં સર્પ કરડ્યો. આચાર્યના પાદપ્રક્ષાલનવારિથી સર્પનું ઝેર ઊતરી ગયું. લેકે આ ચમત્કાર જોઈ આનંદાશ્ચર્ય પામ્યા. સૌએ ઉપર જઈ શ્રી ત્રાષભદેવના ભાવોલ્લાસપૂર્વક દર્શન કર્યા. અહીં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ શ્રી દેવસૂરિને જણાવ્યું કે, “ગુરુદેવનું આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે. તો તમે પાછા ફરે ને પાટણ પધારો.” આથી નાગોર તરફ વિહાર બંધ રાખી શ્રી દેવસૂરિ પાટણ પધાર્યા. ત્યાર પછી ગુરુદેવ શ્રી મુનિચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ના કાર્તિક વદિ પાંચમે અનશનપૂર્વક–સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. એ સમયે ભાગવતદર્શનને ઉભટ વિદ્વાન દેવબોધિ પાટણ આવ્યું. તે વાદમસ્ત હિતે. તેણે રાજસભાના દ્વારે પાટિયું લટકાવી, તેમાં એક લેક લખે : “--ત્રિચતુ–પંખ્ય-પૂનમન :I સેવવોથે ચ વૃદ્ધ પvમેનમન ? ” અને તેને અર્થ કરવા નગરના સર્વ વિદ્વાનોને આમંત્રિત કર્યા. છ મહિના પસાર થઈ ગયા, પણ કઈ વિદ્વાન લેકને અર્થ બતાવી ન શક્યા. એ વખતે મંત્રી અંબાપ્રસાદે રાજા સિદ્ધરાજને જણાવ્યું કે, “આચાર્ય દેવસૂરિ આ લેકને અર્થ કરવા સમર્થ છે.” મંત્રીની સલાહથી રાજાએ શ્રી દેવસૂરિને નિયંત્રિત કર્યા. શ્રી દેવસૂરિએ રાજસભામાં પધારી એ લેકની જુદી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy