SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા આમ, મલધારી શ્રી હેમચ'દ્રસૂરિ તેમના સમયમાં સમર્થ આચાય હતા. તેઓશ્રીએ સાત દિવસના અનશનપૂર્ણાંક પાટણમાં સ્વર્ગવાસ સ્વીકાર્યાં. તેમના ગ્રંથૈને આધારે તેએ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાય હતા. પુણ્યપ્રભાવી, જિનાગમના પારગામી અને મહાન વાદવિજેતા આચાય શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ૨૪૯ આબૂ પર્વતની નૈઋત્ય દિશામાં ૨૫ માઇલ દૂર રાજસ્થાનમાં મંડાર નામે ગામ છે. મંડાર ગામ પૂર્વે મહાહડા, મદાહત, મહાર, મડાર વગેરે નામે પ્રસિદ્ધ હતું. ત્યાં વીરનાગ નામે શ્રેષ્ઠ રહેતા હતા. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ શ્રી મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું. એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પોતાના મુખમાં ચદ્રમાને પેસતા જોયા. ને તેણે વિ. સં. ૧૧૪૩ના માઘ વદિ ૬ના હસ્ત નક્ષત્રમાં પૂર્ણચંદ્ર નામના બાળકને જન્મ આપ્યા. આ બાળક પૂર્ણચંદ્ર તે જ ચિરત્રનાયક શ્રી વાદિદેવસૂરિ મહારાજ. એક વાર ભયંકર દુષ્કાળ પડતા શ્રેષ્ઠ વીરનાગ પરિવાર સાથે મંડાર છેડી ભરૂચ આવીને વસ્યા. તે સમયે શ્રી મુનિચ'દ્રસૂરિ પણ ભરૂચમાં હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકોએ વીરનાગ પેરવાલને બધી રીતે સહાય આપી. વીરનાગ ત્યાં વેપાર-ફેરી કરવા લાગ્યા. પૂર્ણ ચંદ્ર પણ અવારનવાર સાથે જતા હતા. એક વાર કોઈ શેઠ પોતાના સાનામહોર અને સિક્કા દુર્ભાગ્યે કોલસા અને પત્થર બની જતાં, તેને નકામાં સમજી ઉકરડે નાખી રહ્યા હતા. બાળક પૂર્ણચંદ્રે તે જોયું, અને વિસ્મય પામી કહ્યું કે, “ આપ આ કિંમતી સુવર્ણ અને દ્રવ્યને કેમ ફેંકી રહ્યા છે ? ” શેઠ સમજદાર હતા. તેમને થયું કે આ કોઈ પુણ્યશાળી આળક છે. જે સુવર્ણ –સિક્કા મને કાંકરા કોલસા રૂપે દેખાય છે, તે આ બાળકને તેનાં અસલી રૂપમાં દેખાય છે. શેઠે આ રહસ્ય પામી, વાંસની છાબ બાળકને આપતાં કહ્યું કે, “ હે ભાગ્યવાન્ ! તું આ સુવર્ણ –સિક્કા છાબમાં ભરી ભરીને મને આપ.” બાળક પૂર્ણચંદ્રે તે પ્રમાણે કર્યું. તે તેના હાથે કાંકરા-કાલસા સુવર્ણ સિક્કા ખની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સોનામહેાર આપી. પિતા વીરનાગે આ સ` વૃત્તાંત આચાર્ય મુનિચંદ્રસૂરિને જણાવ્યા. બાળક પૂર્ણ ચંદ્રમાં કોઈ ઉત્તમ પુણ્યાત્માની ઝાંખી કરાવે તેવાં દિવ્ય લક્ષણા જાણી, શાસનેાન્નતિને અનિશ વાંચ્છનારા આચાય મુનિચંદ્રસૂરિએ શ્રેષ્ઠિ વીરનાગને કહ્યું કે “ તમારા પુત્ર ઘણા પુણ્યશાળી છે. જો તે સાધુ થાય તે સ્વ-પરના કલ્યાણપૂર્વક જિનશાસનની ભારે ઉન્નતિ કરશે. માટે તમે તમારો પુત્ર શ્રમણુસંઘને અપણુ કરો. ”. આ વાત સાંભળી શ્રેષ્ઠિ વીરનાગે કહ્યું કે— “ ગુરુદેવ ! હું વૃદ્ધ થયા છું. તેની માતા પણ વૃદ્ધ છે. અમારે એક જ પુત્ર છે. અમારી વૃદ્ધાવસ્થાના એ આધાર છે. તેા અમારાથી પુત્રને ત્યાગ કેમ થઈ શકે ? ’” . ૩૨ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy