SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવ પાયવિહિ, ૨૨. સુહુમર્ત્યવિચારલવ ( અપ્રાપ્ય ), ૨૩. ઉવએસપદ (ઉપદેશપદ્મસુખ સ એાધિની ટીકા, ગ્રંથાત્ર: ૧૪૦૦૦), ૨૪. કમ્મયપડી ટિપ્પન (ક પ્રવૃત્તિ-વિશેષવૃત્તિ), ૨૫. ધબિંદુવિવૃત્તિ (ગ્રંથાય : ૩૦૦૦), ૨૬. લલિતવિસ્તરા-૫'જિકા, ૨૭. અનેકાંતજયપતાકાદ્યોતીપિકાટિપ્પનકમ્ , ૨૮. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૯. કલિકુડ પાર્શ્વનાથ સ્તવન, ૨૪૬ આચાર્ય મુનિચંદ્રસૂરિ વિ. સ. ૧૧૭૮ ના કાતિ કવ િપાંચમના દિવસે પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના શિષ્ય આચાર્ય વાદિદેવસૂરિ આ સમયે હાજર હતા. તેમણે એ સમયે ‘ગુરુવિરહવિલાપ ’ તથા ‘ મુણિચદસૂરિ શૂઈ ' રચ્યાં હતાં. મહાન પ્રવચનકાર અને મહાન ભાષ્યકાર મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ હ પુરીયગચ્છના શ્રી વિજયસિંહસૂરિના પ્રશિષ્ય અને મલધારીયગચ્છના પ્રવક શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે કે, ગુજરાતમાં સિદ્ધરાજ અને કુમારપાળના શાસનસમયે જૈનશાસનમાં શ્રી હેમચ`દ્રસૂરિ નામના ત્રણ સમથ આચાર્યા વિદ્યમાન હતા. તેમાં મલધારી શ્રી હેમચંદ્રસૂરિ ઉંમરમાં સૌથી માટા હતા; શાંત અને પ્રભાવક હતા. મલધારી અભયદેવસૂરિના ઉપદેશથી મહાઅમાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યા ત્યારે લાખાની મિલકત, સ્વરૂપવાન પત્નીઓ, એશેાઆરામ અને મંત્રીપદને તિલાંજલિ આપીને દીક્ષા લીધી અને શાસ્ત્રા ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાય પદ પ્રાપ્ત કર્યું, તેએ જ આગળ જતાં મલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવનઘટનાએ અને તેમના આ ગુણ્ણાની ઝલક તેમના ગ્રંથામાં મળે છે. તે વિશેષ પ્રમાણમાં ‘ ઉપમિતિભવપ્રપ ચકથા ’નું વ્યાખ્યાન આપતા હતા અને ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસગિક ગુણાથી આકર્ષાયા હતા. શ્રી હેમચદ્રસૂરિના વ્યાખ્યાનમાં તે સપરિવાર જતા અને એકાગ્ર ચિત્તે વ્યાખ્યાનશ્રવણુ કરતા. અવારનવાર દર્શનાર્થે જતા અને આલાપ–સલાપ પણ કરતા અને કોઈ કોઈ વાર રાજમહેલમાં આચાર્ય શ્રીની પધરામણી પણ કરાવતા. રાજાએ તેમના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સેનાના કળશ ચઢાવ્યા હતા. વળી, રાજા સિદ્ધરાજે તેમના કહેવાથી ધંધુકા, સાચાર વગેરેમાં જેનેાને થતી કનડગત અને જૈનાની રથયાત્રાના ઉત્સવામાં નખાતા વિઘ્નાને દૂર કરી પાકે પ્રખ`ધ કરાબ્યા હતા. તેમજ રાજ્યના અમલદારોએ જોહુકમીથી બંધ કરેલ મંદિરના લાગા ફરીથી ચાલુ કરાવ્યા હતા અને કાઈ કાઈ ગામામાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy