SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૨૪૭ દેરાસરેને પાછી અપાવી હતી. એક દિવસ રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી અતિ પ્રસન્ન થઈ દર સાલ વર્ષના ૮૦ દિવસમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. આચાર્ય દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકમાં આ રીતે રજૂ કરે છે : “મલધારી શ્રી અભયદેવસૂરિના પટ્ટરૂપી આકાશમાં શ્રી હેમચંદ્ર રૂપી ચંદ્ર ઊગ્યું. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યાં.” શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુતીર્થને છરી પાળા યાત્રા સંઘ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલી (વંથલી)માં પડાવ નાખ્યું. સંઘના પુરુષ અને સ્ત્રીઓ મૂલ્યવાન વસ્ત્રો અને રત્નજડિત દાગીના પહેરી દેરાસરમાં દર્શન-પૂજાદિ કરી રહ્યાં હતાં. સંઘપતિ પાસે ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સેરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. પાસવાનેએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન્ ! સમજી લે કે ગુજરાત–પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે. માટે રાજન ! આ સંઘને લૂંટી લે. તારે ખજાને છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.” આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વકાંઈ લૂંટી લેવાને મનસૂબો કરી લીધું. પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને મોટો ડર હતું, તેથી શું કરવું તે વિસામણમાં પડી ગયે. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહિ. બીજે દિવસે રાજકુટુંબમાં કઈ મેટું મરણ થયું. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે દિલાસાના બહાને રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યું. તેને નીતિને માર્ગ દર્શાવ્યું. રાજાએ પણ આ ઉપદેશથી પ્રભાવિત અને પ્રસન્ન થઈ પિતાને વિચાર બદલી નાખે. - ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જેમ શાકંભરીના રાજા પૃથ્વીરાજ અને મહારાજા ભુવનપાલ પણ તેમના પરમ ભક્ત હતા. ગ્રંથરચના : મલધારી હેમચંદ્રસૂરિ પ્રભાવક પ્રવચનકાર તેમ જ સમર્થ ગ્રંથકાર હતા. વિશેષાવશ્યક વૃત્તિની પ્રશસ્તિમાં તેમણે સ્વરચિત દસ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનું પ્રમાણ લગભગ લાખ લેક જેટલું થાય છે. આ ગ્રંથની વિગત નીચે મુજબ છે : (૧) આવસય ટિપ્પણુક : જેનાં બીજાં નામ “આવશ્યક પ્રદેશ વ્યાખ્યા અને હરિભદ્રીયાવશ્યકવૃત્તિ- ટિપ્પણુ પણ છે. એનું ગ્રંથમાન ૫૦૦૦ પરિમાણ છે. (૨) સયગ કમ્મર્ગાથ વિવરણ: ગ્રંથમાન ૪૦૦૦ પરિમાણ. (૩) અણુઓગદાર સુત્તવૃત્તિ : ગ્રંથમાન ૬૦૦૦ પરિમાણ છે. અનુગદ્વારના સૂત્રોની ગહનતાને સરળ અને વિસ્તૃત રીતે સમજાવતી વ્યાખ્યા અને આગમના મર્મસ્પશી વિવેચનથી સ્પષ્ટ જાણી શકાય કે ગ્રંથકાર આગમના મર્મજ્ઞ છે. (૪) ઉવસમાલા-પુષ્પમાલા પગરણ મૂલ : આ એક પ્રકારને બૃહદ્ કથાકેલ છે. આમાંની કેટલીક કથાઓ ઉછૂત છે, કેટલીક કથાઓ સ્વરચિત છે. કથા-સાહિત્યને આ એક મેટ ખજાનો છે. (૫) પુષુમાલા પત્તવૃત્તિ : ગ્રંથમાન ૧૪૦૦૦ પરિમાણ છે. દાન, શીલ, તપ અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy