SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શાસનપ્રભાવક દેવસૂરિના ‘ જીવાણુસાસક-સટીક ’ તથા વાચનાચાય વીરગણિની ‘પિડનિજુત્તી ’ની ‘ શિષ્યહિતા’ નામની વૃત્તિનું પાટણમાં સંશોધન કર્યુ હતું. શ્રી નેમિચ'દ્રસૂરિને સમય, તેમના ગ્રંથાની રચનાના આધારે, વિક્રમની બારમી સદી નક્કી થાય છે. પરમ ત્યાગી, સૌવીરપાયી, નવકલ્પવિહારી, ‘સૈદ્ધાંતિક ’ બિરુદથી સન્માનિત, શ્રુતના સમ જ્ઞાતા અને મહાન ગ્રંથકાર આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ આચાર્ય. મુનિચંદ્રસૂરિ પરમ ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતી અને નિર્દોષ આહારના ગવેષક તેમ જ શ્રુતના સમર્થ જાણકાર, ગ્રંથકાર અને સૈદ્ધાંતિક' બિરુદથી સન્માનિત હતા. આચાય યશાભદ્રસૂરિ અને આચાય નેમિચંદ્રસૂરિની પાટે સૈદ્ધાંતિક આચાય મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ પણ હતું. તેએ શ્રી યશેાભદ્રસૂરિના શિષ્ય હતા અને ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. " શ્રી મુનિચંદ્રસૂરિના જન્મ ડભોઇમાં થયા હતા. તેમના પિતાનું નામ ચિંતક અને માતાનું નામ માંઘીબાઇ હતું. તેમણે નાની વયે જ આચાર્ય યશેાભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જીવનપર્યંત માત્ર ૧૨ વસ્તુ જ આહારમાં લીધી હતી, ૬ વિગઈ ના સર્વથા ત્યાગ કર્યો હતા અને પ્રાયઃ આયંબિલ તપ કરતા હતા. વિ. સં. ૧૦૯૪ લગભગમાં તે ગુરુદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓના ભારે પ્રભાવ હતા. સંવેગી સાધુઓ માટે ઊતરવાને પણ યોગ્ય સ્થાન નહોતાં. પાષાળા બની નહોતી. મુનિશ્રી એક દિવસ થારાપદ્રગચ્છના ચૈત્યમાં ભગવાન ઋષભદેવનાં દર્શન કરી, પાસેના સ્થાનમાં નિવાસ કરતાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ પેાતાના ૩૨ શિષ્યાને બૌદ્ધદર્શનના પ્રમેયવાદને વિષય ભણાવતા હતા ત્યાં જઈ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તેા એ વિષયમાં રસ પડવાથી તે નિરંતર ૧૫ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ એકાગ્રતાથી વિનાપુસ્તકે અવધારણ કરી લીધે; પર`તુ શ્રી શાંતિસૂરિના શિષ્યામાંથી કાઈ એ વિષયને ધારણ કરી શકયા નહિ. આથી સૂરિજીને ભારે ખેદ ઊપજ્યા. આ જોઇ જાણી શ્રી મુનિચ'દ્રસૂરિજીની આજ્ઞા મેળવી ૧૫ દિવસ સુધીના આપેલા પાઠ ક્રમબદ્ધ કહી સંભળાવ્યેા. આ સાંભળી શ્રી શાંતિસૂરિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે, ‘ ખરેખર, તું તે ધૂળમાં ઢંકાયેલું બહુમૂલ્ય રત્ન છે. તું હવે અહી રહી ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી લે.' શ્રી શાંતિસૂરિ જાણુતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી, તેથી તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દેસિડેના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી. શ્રી મુનિચ ંદ્રે ૬ એ www.jainelibrary.org Jain Education International. 2010_04 For Private & Personal Use Only
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy