SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ર૪૩ પ્રાકૃત–સંસ્કૃત ભાષાના તજજ્ઞ, જિનાગમના ઊંડા અભ્યાસી અને ગ્રંથકાર આચાર્યશ્રી નેમિચન્દ્રસૂરિજી મહારાજ આચાર્ય નેમિચંદ્રસૂરિ પ્રાકૃત–સંસ્કૃત ભાષાના તજજ્ઞ જેનદર્શન, સિદ્ધાંત આદિ વિવિધ વિષયેના ઊંડા અભ્યાસી અને સમર્થ ગ્રંથકાર હતા. શ્રી નેમિચંદ્રસૂરિની ગુરુપરંપરા સુખબોધાટીકા પ્રશસ્તિ, આખ્યાનમણિકેશ પ્રસ્તાવના અને ચણચૂડચરિયું ગ્રંથમાં મળે છે. સુખબોધાટીકાની પ્રશસ્તિ મુજબ તેઓ ચંદ્રકુલના બૃહદુ (વડ) ગચ્છીય આચાર્ય ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય આમ્રદેવગણિના શિષ્ય હતા. શ્રી ઉદ્યોતનસૂરિની વિવિધ પાટપરંપરા મુજબ એકમાં શ્રી દેવસૂરિની પાટે આવેલા શ્રી સર્વદેવસૂરિ પછી પાંચમા ક્રમે બતાવવામાં આવ્યા છે અને બીજીમાં પણ શ્રી આ»દેવસૂરિ પછી પાંચમા ક્રમે બતાવવામાં આવ્યા છે. શ્રી સર્વદેવસૂરિએ આઠને આચાર્ય પદવી આપી એમાં એક શ્રી નેમિચંદ્રસૂરિ પણ હતા. શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા હતા. તેઓ તેમના ગુરુભ્રાતા હતા. શ્રી નેમિચંદ્રસૂરિના ગૃહસ્થજીવનની કેઈ વિગત મળતી નથી. સાધુ-અવસ્થાની દીક્ષા, પદપ્રાપ્તિ કે કાળધર્મ અંગેની નિશ્ચિત સાલ કે અન્ય કોઈ ઘટના-પ્રસંગ કે વિહાર પ્રદેશની વિશિષ્ટ માહિતી મળતી નથી. આચાર્યપદ મળ્યા પહેલાં તેમનું નામ પં. દેવેન્દ્રગણિ હતું. વિ. સં. ૧૧૨૯ થી ૧૧૩૯ ના ગાળામાં તેઓ આચાર્ય થયા હતા. તેઓ વયસ્થવિર, ચારિત્રસ્થવિર અને શ્રુતસ્થવિર પણ હતા. ગ્રંથરચના : તેઓએ અનેક ગ્રંથની રચના કરી હતી, જેની વિગત નીચે પ્રમાણે છે : (૧) રણચૂડ-તિલકસુંદરી કથા : આ કૃતિ પ્રાકૃતમાં લખાયેલી છે અને અનેક કાવ્યગુણોથી મંડિત છે. આ કૃતિનું કથાનક ગણધર ગૌતમસ્વામીના મુખે મહારાજા શ્રેણિકને સંભળાવવામાં આવ્યું છે. આ કૃતિ ૩૦૦૦ ગ્રં. પરિમાણ છે. તેની પહેલી પ્રત શ્રી પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય પં. યશદેવગણિએ લખી છે. (૨) સુખધાવૃત્તિ (ઉત્તરઝયણસુત્ત-વૃત્તિ), સં. ૧૧૨૯ માં પાટણમાં દોહડિ શેઠની વસતીમાં રહીને ગુરુભ્રાતા મુનિચંદ્રના વચનથી વાદિવેતાલ શાંતિસૂરિની પાઈયટીકાના આધારે પાઠ દર્શાવતી લઘુટીકા રચી છે. શાંતિસૂરિએ કથાનકે સંક્ષિપ્ત શૈલીમાં લખ્યાં છે, જ્યારે આ વૃત્તિમાં શ્રી નેમિચંદ્રસૂરિએ કથાનકનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આ કૃતિ ૧૨૦૦૦ ગ્રંથમાન (પરિમાણ) છે. (૩) આખ્યાનમણિકેશ : તેમણે આચાર્યપદ પ્રસંગે આ ગ્રંથ યે હતે. સુવિહિત આચાર્ય આમદેવ સં. ૧૧૯૧માં ધોળકામાં તેની (ચં. ૧૪૦૦૦ પ્રમાણ) ટીકા બનાવી છે, જેમાં તેમના શિષ્ય નેમિચંદ્ર વગેરેએ સહાય કરી હતી. (૪) મહાવીરચરિયું : તેમની આ પ્રાકૃત પદ્યરચના ગ્રંથમાન ૩૦૦૦ પ્રમાણ છે. શેઠ દોહડિની વસતીમાં રહીને વિ. સં. ૧૧૩૯ માં આ ચરિત્ર લખ્યું છે. (૫) પ્રવચનસારોદ્વાર : જિનાગામોમાંથી ઉપયોગી પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ છે. તેનાં બીજાં નામ આત્મબોધકુલક અને ધર્મોપદેશકુલક છે. આ ગ્રંથ પર કેટલાક આચાર્યોએ વિવિધ વિવરણ બનાવ્યાં છે. ઉપરાંત, તેમણે શ્રી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy