SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ શ્રમણભગવત-૧ રાસ, જીવવિચારનો રસ, નવતત્વ રાસ, અંજા પુત્ર રાસ, ભરતેશ્વરનો રાસ, સમક્તિસાર રાસ, બાર આર સ્તવન અથવા ગૌતમ પ્રશ્રનેત્તર સ્તવન, પૂજાવિધિ રાસ, શ્રેણિક રાસ, હિતશિક્ષા રાસ, પુણ્યપ્રશંસા રાસ, કઈવના રાસ, વિરસેનને રાસ, રોહિણીઆ મુનિ રાસ, હીરવિજયસૂરિના બાર બેલ, મલ્લિનાથ રાસ, હીરવિજયસૂરિ રાસ, અભયકુમાર રાસ, ક્ષેત્રપાલ પ્રકાશ, સમયસ્વરૂપ રાસ, દેવગુરુસ્વરૂપ રાસ, શત્રુંજય રાસ, શત્રુદ્ધાર (જેની એક પ્રત જેસલમેરના ભંડારમાં છે. રચા-સાલ સં. ૧૬૬૭), કુમારપાળને નાને રાસ, જીવંત સ્વામીને રાસ, ઉપદેશમાલા રાસ, શ્રાદ્ધવિધિ રાસ, આદ્રકુમાર રાસ વગેરે કૃતિઓને સમાવેશ થાય છે. દ્વિતીય આવૃત્તિ અંગે : છેલ્લા ત્રણ દાયકા દરમિયાન મેં જે જે ગ્રંથોના સંપાદન-પ્રકાશન કર્યા, તેમાં આ એક જ ગ્રંથ એ છે કે જેની બીજી આવૃત્તિ કરવા હું તત્પર થયે છું. પહેલા પ્રકાશનથી લઈને છેલ્લા પ્રકાશન સુધી, પ્રકાશન થતાંની સાથે જ અથવા અલ્પ સમયમાં એ ગ્રંથ અપ્રાપ્ય બનતા જ રહ્યા છે, અને એની માંગ પણ થતી જ રહી છે. પણ મેં વિનમ્રપણે એક એ સિદ્ધાંત અપનાવ્યું છે કે, પ્રકાશિત કરેલા ગ્રંથો પુનઃ પ્રગટ કરવા નહીં. નવા નવા ગ્રંથો પ્રગટ કરવાની મારી ભાવના અને ઉમેદમાં પુનઃ પ્રકાશનને લીધે વિક્ષેપ પડે. વળી, સાગર સમા જૈનસંદર્ભ સાહિત્યના આ કાર્યક્ષેત્રમાં એક જિંદગી તે શું, પાંચ-પચ્ચીસ ભવ પણ ઓછા પડે! અને દેહને પણ શો ભરોસે ! – આવાં બધાં પરિબળો સામે આજ સુધી કઈ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરી ન હતી, પરંતુ આ “શાસનપ્રભાવક શ્રમણભગવંત ”ના ગ્રંથ-પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરી, ત્યારથી વ્યાપક પ્રમાણમાં જે આવકાર મળે અને ગ્રંથનું છાપકામ પૂર્ણ થવાના આરે, સુરેન્દ્રનગરમાં દેરાસરની એક વર્ષની ઉજવણી પ્રસંગે પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા. સહિત ત્રણ પૂજ્ય આચાર્યભગવં તેની પ્રેરક નિશ્રામાં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું ઠાઠમાઠથી વિમોચન થયું અને આ ગ્રંથની ભારતભરના ચતુવિધ શ્રીસંઘે દ્વારા વ્યાપક પ્રમાણમાં જે માંગ ઊભી થઈ તેના પરિણામે પ્રકાશન થાય તે પહેલાં જ દ્વિતીય આવૃત્તિ કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. આવી સુંદર પરિસ્થિતિ નિર્માણ થવામાં પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. સા. અને પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. તથા પૂ. ગણિશ્રી રત્નસુંદરવિજયજી મ. સા.ની નિશ્રામાં ભાવનગર જૈનસંઘના ઉપક્રમે ભાવનગર ટાઉનહોલમાં ગ્રંથનો એક ભવ્ય વિતરણ સમારોહ યોજાયે. – શ્રમણ સંસ્કૃતિ ઉપરનાં અનમેદનીય પ્રવચને થતાં જેને કારણે અવશપણે, આભારવશ હું દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરવા તત્પર બન્ય. આ ગ્રંથના પ્રકાશન માટે મારે વ્યાપક પ્રમાણમાં જે જે પૂજ્યશ્રીઓને મળવાનું થયું તેમાં તેઓશ્રીના વાત્સલ્યપૂર્ણ આશીર્વાદ અને માર્ગદર્શને મને અપૂર્વ બળ પૂરું પાડ્યું; અને ગ્રંથને જે રીતે આવકાર પ્રાપ્ત થયે, તેનાથી મને ગ્રંથની મહત્તા અને મહિમાને સાચા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy