SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક - આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ ખંભાતમાં ઘણું રોકાયેલા અને તેમણે ખંભાતના જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરવામાં મોટું પ્રદાન કર્યું છે. શતાવધાન માટે સુખ્યાત મુનિશ્રી કીર્તિવિજયજી મહારાજ ખંભાતના વતની છે. તેઓશ્રી ખંભાત પધાર્યા ત્યારે શતાવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા. આ ઉપરાંત, હાલ વિદ્યમાન ઘણુ સાધુ મહારાજેએ ખંભાતમાં પધારી પ્રજાજનેને ધર્મબોધ આપે છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ પણ ખંભાતના વિશા ઓશવાલા જ્ઞાતિના છે. તેમની ગણિપદવી પણ ખંભાતમાં જ થયેલી. તદુપરાંત, શ્રી વિનયપ્રભ મહારાજે ગૌતમસ્વામીને રાસ ખંભાતમાં રચેલે. શ્રી લાવણ્યસમય મહારાજે “સુરપ્રિયકેવલીરાસ” સં. ૧૫૬૭માં ખંભાતમાં રચેલે. શ્રી નમ્નસૂરિજી મહારાજે વિચારસી ” સં. ૧૫૪૪માં અને “ગજકુમારરાજશ્રી સઝાય” સં. ૧૫૫૮માં ખંભાતમાં રચેલા. શ્રી ભુવનસિંહ મહારાજે “કલાવતીચરિત” સં. ૧૫૮૦માં રચેલું. શ્રી કનમ મહારાજે આષાઢાભૂતિ સક્ઝાય” સં. ૧૯૩૮માં ખંભાતમાં રચ્યા. શ્રી વિજયસેમસૂરિએ સં. ૧૯૧૫માં “ધલિરાસ” ખંભાતમાં ર. શ્રી વચ્છરાજ મહારાજે સં. ૧૬૪૨માં “સમ્યક કૌમુદીરાસ” તથા “શાન્તિનાથચરિત” ખંભાતમાં ઓ. શ્રી શકલચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૬૪૩માં “વાસુપૂજ્યજિનપુણ્યરાસ” ખંભાતમાં રચ્યા. શ્રી કુશલલાભગણિએ સં. ૧૯૫૩માં “સ્તંભનનાથ સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી અમરચંદ્ર મહારાજે સં. ૧૯૦૭માં ખંભાતમાં “મહાવીર સ્તવન’ રચ્યું. શ્રી વિજયદેવસૂરિ મહારાજે “થંભણધીશસ્તવન” ખંભાતમાં રચ્યું. શ્રી રત્નસુંદર મહારાજે સં. ૧૯૩૮માં “શુકબોતેરીની રચના કરી. શ્રી જયચંદ મહારાજે સં. ૧૯૫૪માં “રસરત્ન રાસ” ખંભાતમાં ર. શ્રી સમયસુંદર મહારાજે સં. ૧૬૯૧માં “શબ્દાર્થવૃત્તિ ”ની રચના કરી. શ્રી સ્થાનસાગર મહારાજે સં. ૧૯૮૫માં “અગડદત્તરાસ” ખંભાતમાં ર. શ્રી ભાલવિજય મહારાજે સં. ૧૬૯૬માં “જ્ઞાનસ્વરૂપ” ચોપાઈ ખંભાતમાં રચી. શ્રી ભુવનકાતિ મહારાજ (બીજા) એ સં. ૧૬૦૩માં ગજકુમાર પાઈ રચી. શ્રી મતિસાગર મહારાજે સં. ૧૭૨૭માં “શ્રીપાલમયણાસુંદરી રાસ” ખંભાતમાં ર. શ્રી જ્ઞાનકીતિ મહારાજે સં. ૧૭૩૭માં “ગુરુરાસ” ખંભાતમાં ર. શ્રી ભાનુવિજય મહારાજે સં. ૧૭૩૭માં “મૌન એકાદશી” સ્તવનની રચના કરી. શ્રી જ્ઞાનવિમલ મહારાજે ઘણા ગ્રંથ ખંભાતમાં રચ્યા છે. શ્રી ઉદયરત્ન મહારાજે ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ રાજાને રાસ”, “ભુવનકેવલીરાસ”, “લીલાવતી રાસ', શત્રુંજય તીર્થમાલા ઉદ્ધાર રાસ ” વગેરે કૃતિઓ ખંભાતમાં રચી. શ્રી દીપવિજયજી મહારાજે સં. ૧૮૫માં “હિણી સ્તવન ની રચના કરી. શ્રી ઉમેદચંદ્ર મહારાજે સં. ૧૯૨૫માં મેતારક મુનિ” નામે કાવ્ય રચ્યું. શ્રી જયસાગર મહારાજે સં. ૧૬૮૫માં ખંભાતમાં “શ્રી હીરવિજયસૂરિ ચાતુર્માસ પ્રવહરણ સઝાય”ની રચના કરી. આમ, ખંભાત નગરીનું શાસનપ્રભાવનામાં અનેકવિધ પ્રદાન છે. ખંભાતના શ્રાવક કવિવર રાષભદાસે ખંભાતમાં રહીને ઘણું સાહિત્ય રચ્યું; જેમાં અષભદેવને રાસ, વ્રતવિચાર રાસ, નેમિનાથ રાસ, સ્થૂલિભદ્ર રાસ, સુમિત્રરાજર્ષિ રાસ, કુમારપાળ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy