SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ શ્રી સમવિમલસૂરિજીને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં થયેલું અને તેઓશ્રીને ખંભાતમાં ગણિપદ પ્રદાન થયું હતું. તેઓ સં. ૧૯૧૯માં ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. શ્રી આનંદવિમલસૂરિજી ખંભાતમાં ઘણે સમય રહ્યા હતા. ખંભાતના શ્રાવકે તેમના તરફ અત્યંત પૂજ્યભાવ રાખતા હતા. શ્રી વિજયસેનસૂરિજીને જન્મ સં. ૧૬૩૪માં થયેલ હતું અને તેમના હસ્તે ખંભાતમાં ઘણી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને સં. ૧૯૫૬માં વૈશાખ સુદ ૪ ને દિવસે ખંભાતમાં સૂરિપદ પ્રાપ્ત થયેલું. તેઓશ્રીના વરદ હસ્તે ૧૨ જેટલી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને આચાર્યપદ-મહોત્સવ ઊજવનાર શ્રી મલ્લ શાહની પત્ની વલ્હાદેએ પિતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, ભેંકરાપાડાના નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી સુમતિનાથની, શકરપુરાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી સુવિધિનાથના બિંબની, માણેકચેમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠાએ તેમના શુભ હસ્તે થયેલી જણાય છે. શ્રી સમરચંદસૂરિજી મહારાજ સં. ૧૯૨૬માં જેઠ વદ ૧ને દિવસે ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે ખંભાતમાં દીક્ષા લીધી. તેમણે ઘણુ ગ્રંથ લખ્યા. સં. ૧૬૬ના જેઠ સુદ ૧૩ને દિવસે તેઓ ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી રત્નસૂરિજી (સં. ૧૬૬૨) એ “જવર પરાજય” અને “દોષ રત્નાવલી” નામના ગ્રંથો ખંભાતમાં રચ્યા. શ્રી જયચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૯૭૪માં અને શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૭૩૭માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા હતા. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજને જન્મ સં. ૧૭૨૮ના ચૈત્ર સુદ પને દિવસે ખંભાતમાં થયેલ. શ્રી કીર્તિવિજયજી મહારાજને જન્મ પણ સં. ૧૮૧૬માં ખંભાતમાં થયેલ. શ્રી લબ્ધિચંદ્રસૂરિજી મહારાજને સં. ૧૮૪હ્માં દીક્ષા આપેલી. શ્રી બ્રાતૃચંદ્રસૂરિજીએ ખંભાતના નવાબના ભત્રીજાને પ્રતિબોધ કરી શિકાર બંધ કરાવેલો. શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ સં. ૧૯૪૨માં પાલીતાણાથી પાછા ફરતાં ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન ભંડારાએ તેમના વિદ્યાપ્રેમી હૃદયને આકળ્યું હતું. આ ભંડામાંથી શાના આધાર અને પ્રમાણો મેળવી “અજ્ઞાનતિમિરભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સં. ૧૯૯૩ના શિયાળામાં ખંભાત પધાર્યા હતા. માંડવીની પિળમાં આવેલા આદીશ્વર ભગવાનની તેઓએ નવીન જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત, તેઓએ શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો. સિદ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૨૪ના વૈશાખ વદ ૧૧ના ખંભાત મુકામે કાળધર્મ પામ્યા. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ખંભાતમાં ઘણાં ચાતુર્માસ કરેલાં. તેઓશ્રીની પ્રેરણાથી શકરપુરના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ અને તેમના વરદ હસ્તે સ્તંભન પાર્શ્વનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા થયેલી. તેમની પ્રેરણાથી ખારવાડીમાં જ્ઞાનશાળાના વિશાળ મકાનનું અને તેના વિશાળ પુસ્તકભંડારનું નિર્માણ થયું. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજે સં. ૧૯૮૦માં, ખંભાતમાં, સાત ભાગમાં “ધાતુરત્નાકર” નામને માટે ગ્રંથ રચે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy