SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક જિજ્ઞાસુઓએ ખંભાતમાં દીક્ષા લીધી હતી. ખંભાતના ઇતિહાસમાં તેઓશ્રીને પ્રભાવ એટલે બધો જોવા મળે છે કે ખંભાતના કવિવર કષભદાસે સં. ૧૬૮૫માં “હીરવિજયસૂરિ રાસ રચ્યું હતું. તદુપરાંત, શ્રી હીરવિજયસૂરિજીની પ્રશસ્તિ રૂપે “હીરસૌભાગ્ય કાવ્ય” આદિ સંસ્કૃત ગ્રંથ રચાયા છે. તેની તેજપાલ, સંઘવી ઉદયકરણ, ઠક્કર કીકા, પારેખ રાજિયા તથા વજિયા વગેરે તેઓશ્રીના પરમ ભક્ત હતા. તેઓ સૂરિસમ્રાટ કહેવાતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૬૧૭માં ત્રણ, ૧૯૨૨માં ત્રણ, ૧૯૨૬માં ચાર, ૧૬૨૭માં એક, ૧૬૩૧માં એક, ૧૬૩૨માં ત્રણ, ૧૬૩૭માં બે, ૧૬૩૮માં બે, ૧૬૪૪માં એક, ૧૯૫૩માં ત્રણ – એમ લગભગ ૨૫ પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે ખંભાતનિવાસી શ્રી ઉદયકરણે તેમની પાદુકાની શત્રુંજય ઉપર સ્થાપના કરાવેલી. ઉપરાંત, તેમની પાષાણપ્રતિમા સં. ૧૬૫૩માં ખંભાતમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી. એ જ રીતે, વિજયસેનસૂરિજીના વરદ હસ્તે સં. ૧૬૩૨માં એક, ૧૯૪૩માં બે, ૧૬૪૪માં આઠ, ૧૯૫૪માં બે, ૧૯૫૬માં બે, ૧૬૫૮માં એક, ૧૯૫૯માં એક, ૧૬૬૧માં ત્રણ, ૧૬૬૨માં એક, ૧૬૬૮માં એક – એમ લગભગ ૨૨ પ્રતિષ્ઠાઓ થયેલી. બજારમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેઓશ્રીના વરદ હસ્તે થયેલી છે, જે હાલ વિદ્યમાન છે. તેઓશ્રી ખંભાતમાં અકબરપુરાના જૈન ઉપાશ્રયમાં સં. ૧૨૬૨ના જેઠ વદ ૧૧ના દિવસે કાળધર્મ પામ્યા, જેમને નિર્વાણમહોત્સવ ખંભાતના જૈનસંઘે ભવ્ય રીતે ઊજવેલે. અને શ્રી વિજ્યસેનસૂરિના નિર્વાણસ્થાને ખંભાતના વતની શ્રી સમજી શાહે અકબરપુરામાં એક સ્તૂપ કરાવ્યું. એ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતું. તેમની પાસે ખંભાતના ચંદુ સંઘવીએ દસ વીઘા જમીન માગી. બાદશાહે તે મદદે મુઆસ નામની જાગીર આપી. હાલ આ સ્તૂપ અકબરપુરામાં મળતું નથી પરંતુ ખંભાતના ભેંકરાપાડામાં શાંતિનાથનેમિનાથ ભગવાનનું મંદિર છે તેના મૂળ ગર્ભગૃહમાં ડાબા તરફ પાદુકાવાળો પથ્થર છે તેના લેખ પરથી જણાય છે કે આ તે જ પાદુકાઓ છે. “વિ. સં. ૧૬૭૭ના મહા સુદિ ૧૩ને રવિવારે સમજીએ પિતાનાં બહેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વધજલદે તથા પુત્રી સૂરજી તથા સમજી વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રી વિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીની પાદુકાની સ્થાપના કરાવી.” શ્રી વિજયતિલકસૂરિજી મહારાજે ખંભાતમાં શ્રી વિજયસેનસૂરિજીના વરદ હસ્તે પૂર્વાશ્રમનાં પત્ની અને પુત્રી સાથે દીક્ષા લીધેલી. ઉપરાંત, શ્રી વિજયતિલસૂરિજીએ ખંભાતમાં સં. ૧૯૭૩માં ગચ્છનાયકપદ પ્રાપ્ત કર્યું. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૬૮૩માં ફાગણ વદ અને દિવસે ગાંધી કુંવરજીએ મુનિસુવ્રતસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી, જે હાલ આપી પાડાના શાંતિનાથ જિનાલયમાં બિરાજમાન છે. તેઓશ્રી ખંભાતમાં કાળધર્મ પામેલા. કવિશ્રી વૃષભદાસ તેમને ગુરુ ગણતા હતા. શ્રી હેમવિમલ મુનિએ સં. ૧૫૫૦માં સ્તંભતીર્થ સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરેલી. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૫૫૧, ૧૫૫૩, ૧૫૫૬, ૧૫૬૩, ૧૫૬૫, ૧૫૬૬ અને ૧૫૬૮માં પ્રતિષ્ઠાઓ થઈ હતી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy