SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે ર સાં ડેરગચ્છીય મહાપ્રભાવી, ઉગ્ર તપસ્વી, મંત્રવિદ્યાના જ્ઞાતા આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી મહારાજ શ્રી યશોભદ્રસૂરિ મહાપ્રભાવક, મંત્રવિદ્યાના જાણકાર, વાદવિજેતા અને રાજપૂજિત આચાર્ય હતા. તેમના પુણ્યપ્રભાવે ઘણું જૈનધર્મી બન્યા હતા. શ્રી યશોભદ્રસૂરિ સાંડેરગચ્છના આચાર્ય ઇશ્વરસૂરિના શિષ્ય હતા. મારવાડના સાંડેરાવ નામના ગામથી “સાંડરગચ્છ” નીકળે હતે. તે ચૈત્યવાસી ગ૭ હિતે. આ ગ૭ પ્રાચીન છે. હિન્દુડીગચ્છ તે આ ગચ્છની શાખા છે. સાંડરગચ્છ સમય જતાં તપાગચ્છમાં ભળી ગયું છે. - શ્રી યશોભદ્રસૂરિનો જન્મ વિ. સં. ૯૫૭ માં પીડવાડા પાસેના પલાઈ ગામમાં થયે હતે. તેમના પિતાનું નામ પુણ્યસાર, માતાનું નામ ગુણસુંદરી અને તેમનું પિતાનું નામ સુધર્મા હતું. સુધર્મા બોલ્યવયના હતા ત્યારે, એક વખત નિશાળમાં તેનાથી બ્રાહ્મણપુત્ર કેશવને ખડિયે ફૂટી ગયે. કેશવે એ જ ખડિયે પાછા આપવા હઠ પકડી. પણ એ શક્ય ન હોઈ ઝગડે વધુ ચા. બંનેએ એકબીજાને જોઈ લેવાની ધમકી આપી. એક દિવસ આચાર્ય ઇશ્વરસૂરિ વિહાર કરતાં કરતાં પલાઈ પધાર્યા. તેમને પ૦૦ શિષ્ય હતા. તેમણે ૬ વર્ષ સુધી વિગઈ ન વાપરવાને નિયમ લીધું હતું. તેમના ઉત્કૃષ્ટ તપ-ત્યાગને પ્રભાવે મુંડારાનાં બદરદેવી તેમને સાધ્ય હતાં. તેમના કહેવાથી સુધર્માના ઉજજવળ ભાવિને જાણ પલાઈ પધાર્યા હતા. ત્યાં સુધર્માને ઉજજવળ ભવિષ્યની તેમના માતાપિતાને જાણ કરી અને તેમની સંમતિપૂર્વક સુધર્માને દીક્ષા આપી. થોડા જ સમયમાં ગુરુએ તેમને શાસ્ત્રાદિને તલસ્પર્શી અભ્યાસ કરાવી, શાસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યા, અને સર્વ રીતે એગ્ય જાણી, મુંડારા મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી યશોભદ્રસૂરિ નામે ઉઘેષિત કર્યા. આચાર્ય યશોભદ્રસૂરિએ પણ સૂરિપદ પ્રાપ્તિ સાથે જ જાવજીવ ૬ વિગઈ ને ત્યાગ કર્યો અને સાથોસાથ આહારમાં માત્ર ૮ કેળિયા લેવાની પ્રતિજ્ઞા કરી. તેમના આ ઉગ્ર તપથી તેમને પણ બદરેદેવી સાધ્ય બની. ઉપરાંત, સૂર્યદેવે તેમને ત્રણે લેકને બતાવનારી અંજનકૂપિકા તથા સિદ્ધમંત્રયુક્ત સુવર્ણાક્ષરી પિથી આપી. આ પિથી દ્વારા આચાર્યશ્રીએ ગગનગામિની વગેરે અનેક મહાસિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેઓ નિત્ય પાંચ તીર્થોની યાત્રા કરીને જ આહાર લેતા હતા. શ્રી યશોભદ્રસૂરિનું વૃત્તાંત અનેક ચમત્કારિક ઘટનાઓથી ભરેલું છે. એક વાર શ્રી યશોભદ્રસૂરિની નિશ્રામાં સાંડેરાવમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતું. આ પ્રસંગે ધાર્યા કરતાં વધારે માણસે આવી જવાથી ઘી ખૂટી ગયું. ત્યારે સૂરિજીએ વિદ્યાના બળે પાલીના ધનરાજ શ્રેષ્ઠિના ઘરેથી ઘી મંગાવી આપ્યું! ધનરાજ શ્રેષ્ઠિને પાછળથી આ વાતની જાણ થઈ ત્યારે તેણે પણ એ ઘીના પૈસા લીધા નહીં. એક દિવસ ઉજજૈનમાં મહાકાલના મંદિરમાં દીવાની તથી ચંદરે બળવા લાગ્યું. આ સમયે સૂરિમહારાજ અલ્વર રાજના મંત્રીએ બનાવેલા દેરાસરની પ્રતિષ્ઠા કરાવવા આહડ પધાર્યા હતા. તેમને આહડમાં બેઠાં બેઠાં જ એ ચંદરવાને હેલવી નાખ્યું હતું. તેમણે આહડ, કરહેડા, કવિલાણ, સાંભર અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy