SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શાસનપ્રભાવક કહ્યું કે, “ પૂના રાજાનું ફરમાન અમારે પણ માન્ય છે; પરંતુ પાટણમાં આવેલા ગુણીજનાનું સન્માન કરવું એ પણ અમારું' કવ્ય છે. આથી આપે પણ આપની સ'મતિ આ કાર્યમાં આપવી જોઈ એ. ” આ પ્રકારે ચૈત્યવાસીઓને માનપૂર્વક સમજાવી અને તેએની સ’મતિ મેળવી રાજા ભીમદેવે વિહતમા મુનિઓના આવાગમનની સગવડ કરી આપી. પુરોહિત સામેશ્વરદેવ અને શૈવાચા જ્ઞાનદેવના સહયાગથી તેઓને સ્થાનની સુંદર સગવડ મળી. પ્રભાવકચરિત્રમાં જૈનધર્મીના વિશેષ પ્રભાવક આચાર્યાંનું વર્ણન છે તેમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો વિસ્તૃત પરિચય આપવામાં આવેલ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ તેમની શિષ્યપર’પરાના પ્રભાવક શ્રમણ હતા. સાહિત્ય : શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ—અને સાહિત્યસર્જક પણ હતા. શ્રી જિનેશ્વરસૂરિએ કથારૂપે, વિવરણુરૂપે, પ્રમાણવિષયક ગ્રંથાની રચના કરી છે. તેમણે રચેલા ગ્રંથાના પરિચય આ પ્રમાણે છેઃ ( ૧ ) લીલાવતીકથાનું નિર્માણ આશાપલ્લીમાં વિ. સં. ૧૦૮૨ થી ૧૦૮૫ સુધીમાં થયું છે. આ પ્રાકૃત પદ્યમય રચના છે. આ કથાનું પદલાલિત્ય આકર્ષક છે. ક્ષેાક આદિ વિવિધ અલકારોથી મડિત આ · લીલાવઇકા ’ની રચના ચૈત્યવંદન-ટીકા પહેલાં રચી છે. ( ૨ ) કથાનકકોષની રચના ડીડુઆણુક ( ડીડવાણા ) ગામમાં વિ. સ. ૧૧૦૮માં થઇ છે. આ પણ પ્રાકૃત રચના છે. આમાં ઉપદેશાત્મક ૪૦ કથાઓ છે. (૩) પંચલિંગી પ્રકરણની રચના વિ. ૧૦૯૨માં થઈ છે. તેમાં સમ્યક્ત્વના લક્ષણાનુ વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આમાં ૧૦૧ ગાથા છે. ( ૪ ) ષસ્થાન પ્રકરણના ૧૧૧ પો છે. આ ગ્રંથ છ સ્થાનામાં વિભાજિત છે, ૧. વ્રતપરિકત્વ, ૨. શીલતત્ત્વ, ૩. ગુણુતત્ત્વ, ૪. ઋજુવ્યવહાર, પ. ગુરુસુશ્રુષા અને ૬. પ્રવચનકૌશલ. આ છ સ્થાનામાં શ્રાવકના ગુણાનુ વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિએ ૧૬૩૮ બ્લેકપ્રમાણ ભાષ્યની રચના કરી છે અને થારાપ્રદગચ્છીય શ્રી શાંતિસૂરિએ ટીકા રચી છે. ( ૫ ) પ્રમાણલક્ષ્મવૃત્તિ : આનુ ગ્રંથાત્ર પરિમાણુ ચાર હજાર શ્લોકપ્રમાણ છે. કૃતિના મૂળ શ્લાક ૪૦૫ છે. આ પ્રમાણવિષયક સુંદર રચના છે. આમાં પ્રમાણ અને તર્ક પર આધારિત વાદપ્રક્રિયાનું સુંદર વષઁન છે. આ કૃતિ શ્રી જિનેશ્વરસૂરિની દાનિક પ્રતિભાને પરિચય કરાવે છે. ( ૬-૭ ) અષ્ટકપ્રમાણવૃત્તિ અને ચૈત્યવંદન ટીકાની રચના જાવાલિપુર ( જાલેર )માં થઇ છે. અષ્ટકપ્રમાણવૃત્તિ શ્રી હરિભદ્રસૂરિ કૃત અષ્ટકપ્રકરણની વ્યાખ્યા છે. આ કૃતિના રચનાકાળ વિ. સ. ૧૦૮૦ છે, ચૈત્યવંદન ટીકાનું પરિમાણ ૧૦૦૦ છે. આ ટીકાની રચના વિ. સ. ૧૦૯૨ માં થઈ છે. ७००० : શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાવાલિનગરમાં બુદ્ધિસાગર ગ્રંથાય ‘ સપ્તસહસ્રકલ્પમ્ ’ રચ્યા. · શબ્દલક્ષ્યલક્ષ્ય ' અને ' પચત્ર'થી ' એ તેનાં બીજા નામેા છે. આ વ્યાકરણ ગ્રંથ છે, તેમનું વ્યાકરણ તે યુગની જૈન વિદ્વાન વૈયાકરણેામાં ઉચ્ચકોટિની રચના છે. તેની રચના વિ. સં. ૧૦૮૦માં થઈ હતી. આ ગ્રંથમાં પ્રાપ્ત સવતને આધારે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિના સમય વીરનિર્વાણની સેાળમી (વિક્રમની ૧૧મી-૧૨મી ) શતાબ્દીના સિદ્ધ થાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy