SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૦૭ આચાર્ય સિદ્ધસેન બાળકને લઈ પિતાને સ્થાને આવ્યા અને ત્યાંથી એક દિવસ વિહાર કરી તેઓ ડું બાઉધી (ડુવા) ગામે પધાર્યા. બાળક સૂરપાલ તેમની સાથે હતા. ત્યાં બમ્પ અને ભદિ બંને વંદન કરવા માટે આવ્યાં. આચાર્ય સિદ્ધસેને તેમને કહ્યું કે, “તમારો પુત્ર ભાગ્યશાળી છે. તે દીક્ષા લેવા ઈચ્છે છે. તમે તમારે પુત્રને ધર્મસંઘને સોંપી પુણ્યના મહાભાગી બને.” પુત્રની દીક્ષાગ્રહણની વાત સાંભળી માતા-પિતાનું મન ઉદાસ થઈ ગયું. તેઓ બેલ્યાં, “અમારે આ એકનો એક પુત્ર છે. અમે આપને તે કેવી રીતે આપી શકીએ ?” મોહને બંધ જેટલો માતા-પિતાને હતો, તેટલે પુત્ર સૂપાલને ન હતો. ગુરુ પાસે રહેવાથી તેને ઘર પ્રત્યેને મેહ ગળી ગયું હતું. તેમણે સર્વની સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું કે, “હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” પુત્રને નિશ્ચય જાણી માતા-પિતાએ પિતાને વિચાર બદલ્ય. પુત્રને ગુરુચરણોમાં સમર્પિત કરતાં તેમણે જણાવ્યું કે, “આચાર્યદેવ ! આપ ભલે આને દિક્ષા આપ પણ તેનું નામ બમ્પટ્ટિ રાખે, જેથી અમારું નામ પણ પ્રસિદ્ધ થાય.” આચાર્ય સિદ્ધસેનને બપભક્ટિ નામ રાખવામાં કોઈ વધે ન હતું. તેમણે સર્વ સંઘની અનુમતિથી વીરનિર્વાણ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)ના વૈશાખ સુદ ત્રીજને દિવસે મેહેરક (મેઢેરા) નગરમાં સૂરપાલને દીક્ષા આપી. મુનિજીવનમાં તેમનું નામ ભદ્રકીર્તિ અને “બપ્પભક્ટિ', રાખવામાં આવ્યું. તેમાં બપ્પભક્ટિ નામ વિશેષ પ્રસિદ્ધ થયું. સંઘની પ્રાર્થનાથી આચાર્ય સિદ્ધસેને તે ચાતુર્માસ ત્યાં જ કર્યું. બાલમુનિ બપભદ્ધિ તીવ્ર પ્રજ્ઞાવાળા હતા. સાંભળવા માત્રથી તે પાઠ ગ્રહણ કરી લેતા હતા. એક દિવસ તેણે એક દિવસમાં હજાર લેક કઠસ્થ કરી સર્વને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. બાલમુનિની આ તીવ્ર જ્ઞાનરુચિ અને યાદશક્તિ જોઈ ગુરુ અત્યંત પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે, ગ્ય પુત્રને પામી જેમ પિતા ધન્ય બને છે, તેમ અમે યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરી ધન્ય બન્યા છીએ. ઘણું પુણ્યના ભેગે આવા શિષ્યરત્નની પ્રાપ્તિ થાય છે. એક વખત મુનિ બપ્પભક્ટિ થંડિલ ગયા હતા. પાછા વળતાં વરસાદને લીધે તેમને દેવમંદિરમાં રોકાવું પડ્યું. ત્યાં બીજ નગરમાંથી આવેલ એક વ્યક્તિ સાથે મિલન થયું. તે વ્યક્તિ વિશેષ પ્રભાવવાળી જાણવામાં આવી. તેમણે મુનિ બપ્પભદિના પ્રસાદગુણસંપન્ન ગંભીર કાવ્યશ્રવણને આસ્વાદ માણે. તે બપ્પભક્ટિ મુનિની ગહન જ્ઞાનશક્તિથી પ્રસન્ન થયે. વરસાદ બંધ પડ્યો ત્યારે તે તેમની સાથે તે ધર્મસ્થાનમાં ગયે. આચાર્ય સિદ્ધસેને તેમને પૂછ્યું, તમે કેણ છે?” ત્યારે તેમણે જમીન પર ખડીથી “આમ” લખીને પિતાનું નામ દર્શાવ્યું. અને પિતાને વધુ પરિચય આપતાં કહ્યું કે, “કાન્યકુબ્ધ દેશના રાજા યશોવર્માને હું પુત્ર છું. મારી માતાનું નામ સુયશા છે. હું યૌવનથી મત્ત થઈ ધનને ખૂબ વ્યય કરતે હતે. મારી આ આદતથી પિતાએ મને શિખામણ આપી કે, વત્સ ! માપસર ધનવ્યય કર. પિતાની આ શિખામણ મને કહુ લાગી. હું ઘેરથી નીકળી જ્યાં-ત્યાં ફરતે ફરે અહીં આવ્યો છું.” કુમાર આમની આ વાતથી મુનિ બમ્પટ્ટિને લાગ્યું કે, આ કેઈ પુણ્યપુરુષ છે. કુમાર “આમ” પણ આચાર્ય સિદ્ધસેનથી પ્રભાવિત થયે. ગુરુના આદેશથી મુનિ બમ્પટ્ટિ પાસે તેમણે તેર કળાઓનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy