SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શાસનપ્રભાવક શિક્ષણ મેળવ્યું. લક્ષણ તેમ જ તર્કપ્રધાન ગ્રંથને અભ્યાસ કર્યો. મુનિ બપ્પભદિ સાથે આમ ની પ્રીતિ દિવસે દિવસે દઢ થઈ. કેટલાક સમય પછી રાજા યશોવર્મા અસાધ્ય બીમારીથી વ્યાપ્ત થયા. તેમણે પ્રધાનપુરુષે મેલી “આમ”ને પટ્ટાભિષેક માટે આવવા જણાવ્યું. “આમ” કાન્યકુબ્ન આવ્યું. પિતા-પુત્રનું મિલન થયું. રાજા યશોવર્માએ પુત્રને પ્રજાપાલનની શિખામણ આપીને રાજ્યભાર સં. શુભ મુહૂર્ત “આમને રાજ્યાભિષેક થે. રાજચિંતાથી મુક્ત બની સજા યશોવર્મા ધર્મચિંતનમાં લાગી ગયા. અંતિમ સમયે અરિહંત-સિદ્ધ-સાધુનું શરણ સ્વીકારી સ્વર્ગે ગયા. રાજા “અમે તેમને ઔધ્વદૈહિક સંસ્કાર કર્યો. રાજ્યારોહણના પ્રસંગે “આમ” રાજાએ પ્રજાને ઘણું દાન આપ્યું. પ્રજા સુખી હતી. આમ ને કઈ પ્રકારની ચિંતા ન હતી પરંતુ પરમ ઉપકારી મુનિ બપ્પભદિ વિના રાજા “આમને ચેન પડતું ન હતું. આથી, આમ રાજાના આદેશથી રાજપુરુષે મુનિ બમ્પટ્ટિ પાસે આવ્યા અને પ્રણામપૂર્વક બેલ્યા, “પૂજ્ય ! આ રાજાએ ઘણી ઉત્કંઠાપૂર્વક આપને નિમંત્રણ મોકલ્યું છે. આપ અમારી સાથે પધારી “આમ” રાજાની ધરતીને પાવન કરે.” મુનિ બપ્પભષ્ટિએ તેમનું નિવેદન સાંભળ્યું. પછી ગુરુનો આદેશ લઈ ગીતાર્થ મુનિઓ સાથે ત્યાંથી પ્રયાણ કરી કાન્યકુજ પધાર્યા. સ્વાગત માટે “આમ” રાજા સામે આવ્યા. રાજકીય સન્માનપૂર્વક તેમને નગરપ્રવેશ થયે. બાપભથ્રિ મુનિના આગમનથી “આમ” રાજા અત્યંત પ્રસન્ન થયા. ગુરુનાં ચરણોમાં નમન કરી “આમ” રાજાએ આચાર્યને શોભે તેવા સિંહાસને બિરાજવા વિનંતિ કરી. પરંતુ મુનિ બપ્પભષ્ટિએ અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “રાજન ! આચાર્ય થયા વિના સિંહાસન પર બેસવું ઉચિત નથી. તેથી ગુરુજનેની આશાતના થાય છે”. મુનિ બપ્પભદિના આ કથનથી આમ રાજા નિરુત્તર બન્યું. મુનિ બપ્પભદ્રિ સિંહાસન પર ન બેસવાથી તેને ઘણે અસંતોષ છે. આચાર્ય સિદ્ધસેનને પ્રાર્થના કર્યા સિવાય તેને માટે બીજે કઈ વિકલ્પ ન હતો. તેણે વિચાર કરી બપભક્ટિ મુનિ અને તેમની સાથે મુખ્ય પ્રધાનોને આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે મકલી તેમની ઉપર વિજ્ઞપ્તિપત્ર મેક તેમાં લખ્યું કે, “લાયક પુત્ર અને શિષ્યને વડીલે યોગ્ય સ્થાન પમાડે છે, તે આપ હવે મુનિશ્રી બપભદિને સૂરિપદથી સુશોભિત કરે.” રાજપુરુષોએ આપેલ પત્ર આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ વાં. રાજાની પ્રાર્થના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી શિષ્ય બપ્પભદિને આચાર્ય બનાવવાનો નિર્ણય કર્યો અને એકાંતમાં તેમને શિખામણ આપતાં કહ્યું કે, “મારું અનુમાન છે કે હવે પછી તમારે રાજસત્કાર વિશેષ થશે. અનેક પ્રકારની સુવિધાઓ તમને મળશે. તેમાં મુગ્ધ બની મોક્ષલક્ષ્યને ભૂલી ન જતા. ઈન્દ્રિયોને ય કરે દુષ્કર છે. મારી આ શિખામણ યાદ રાખશો. બ્રહ્મચર્યની સાધનામાં વિશેષ જાગરૂક રહેશે.” અને વિ. સં. ૮૧૧ ના ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે આચાર્ય પદ પ્રદાન થતાં આચાર્યશ્રી બપ્પભટ્ટિસૂરિએ તે દિવસે જ ચારિત્રધર્મની રક્ષા માટે જાવજ જીવ છ વિગઈને ત્યાગ કર્યો. આચાર્ય પદથી અલંકૃત બપ્પભટ્ટસૂરિ પછી ગુરુદેવની આજ્ઞા મેળવી ફરી કાન્યકુબ્ધ પધાર્યા. “આમ” રાજાએ આચાર્ય બપ્પભદિસૂરિનું ભારે સ્વાગત કર્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy