SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી તેર દિવસનું અનશન સ્વીકારી વિ. સ. ૭૮૫ લગભગમાં પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. અન્ય પ્રમાણાના આધારે શ્રી હરિભદ્રસૂરિના સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધી માનવામાં આવે છે. ૨૦૬ કાન્યકુબ્જેનરેશ આમરાજા પ્રતિબાધક, વાદિકુ જરકેસરી, ચારિત્રધમ થી દૈદીપ્યમાન આચાર્ય શ્રી બપ્પભટ્ટિસૂરીશ્વરજી મહારાજ આચાર્ય બપ્પભટ્ટસૂરિનું ખીજું નામ ભદ્રકીતિસૂરિ હતું; પરંતુ તેમની પ્રસિદ્ધિ મુખ્યતયા અપ્પભિટ્ટ તરીકે થઈ છે. શાસ્ત્રામાં વિજય મેળવવાથી તેમને વાદિકુ જરકેસરીનુ બિરુદ પ્રાપ્ત થયું હતું. પોતાના બુદ્ધિબળથી કાન્યકુબ્જનરેશ · આમ' રાજાને પ્રભાવિત કરી તેમણે જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. બપ્પભટ્ટના ગુરુનું નામ સિદ્ધસેન હતુ. શ્રી સિદ્ધસેન શ્વેતાંબર પર પરામાં મેાઢેર ગચ્છના આચાર્ય હતા. ઇતિહાસપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી આ જુદા છે. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિ તેમના જ્યેષ્ઠ ગુરુબંધુ હતા. શ્રી બપ્પભટ્ટિ ક્ષત્રિયવંશમાં જન્મ્યા હતા. તેમને જન્મ વીરનિર્વાણુ સ. ૧૨૭૦ ( વિ. સં. ૮૦૦ )માં ભાદરવા સુદ ત્રીજને દિવસે ગુજરાત પ્રદેશ અંતર્ગત ડુમ્બાધિ ગામમાં થયા હતા. ( અત્યારે આ ગામનુ નામ ડુવા છે. આ ગામ બનાસકાંડામાં ધાનેરા-થરાદની નજીક આવેલું છે. ડુવામાં અત્યારે પણ પ્રાચીન અમીજા પાર્શ્વનાથનુ દેરાસર છે. ) તેમના પિતાનું નામ અલ્પ અને માતાનું નામ ભટ્ટ હતું અને તેમનુ સ`સારી નામ સૂરપાલ હતું. સૂરપાલ એક સ્વાભિમાની બાળક હતા. એક દિવસ તે રોષે ભરાઈ ને ઘેરથી નીકળી ગયો અને છેક મેઢેરા પહોંચી ગયા. આચાય સિદ્ધસેનસૂરિ એ વખતે મેઢેરા નગરમાં વિરાજતા હતા. તેમણે સ્વપ્નમાં ચૈત્ય પર છલાંગ ભરતા સિ ંહના બચ્ચાને જોયું. તેઓ સવારે મંદિર ગયા, ત્યાં તેમની દૃષ્ટિ એક છ વર્ષના બાળક પર પડી. તે બાળકની આકૃતિ અત્યંત પ્રભાવશાળી લાગી. આચાય સિદ્ધસેનસૂરિએ બાળકને પૂછ્યું, “તું કેણુ છે? કયાંથી આવે છે? ” બાળકે કહ્યું, “મારુ' નામ સૂરપાલ છે. પાંચાલદેશ્ય અપ્પના પુત્ર છું. મારી માતાનું નામ ભિટ્ટ છે. મારા મનમાં રાજદ્રોહી શત્રુઓ સાથે યુદ્ધ કરવાની ભાવના જાગી; પરંતુ પિતાએ મને અટકાવ્યે. નિરભિમાની પિતા પાસે રહેવુ. મને ઉચિત ન લાગ્યું તેથી માતા-પિતાને કહ્યા વિના હું અહી આવ્યેા છે.” આચાય સિદ્ધસેન માણસપારખુ હતા. તેમણે બાળકને જોઈ ને વિચાયુ કે, આ બાળક સામાન્ય નથી. દિવ્યરત્ન છે, તેજસ્વી છે. આચાય સિદ્ધસેને બાળકને મીઠાશથી કહ્યું કે, “ વત્સ ! તું અમારી પાસે રહે. સંતપુરુષાનો સહવાસ ઘરથી વધારે લાભકારી હોય છે.’” આળક સૂરપાલ આચાર્ય સિદ્ધસેનના સ્નેહભર્યાં આધ પ્રાપ્ત કરી તેમની પાસે રહેવા તૈયાર થયેા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy