SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે ૨૦૫ છે. દશવૈકાલિકના કર્તા શ્રી શય્યભવસૂરિને વિગતે પરિચય આપ્યો છે. ટીકાના અંતે ટીકાકારે પિતાને પરિચય યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે આપેલ છે. જીવાભિગમ ટેકા : આમાં જેનાગમ તત્ત્વદર્શનનું વિવેચન છે. પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યાઃ આ સંક્ષિપ્ત અને સરળ ટીકા છે. જીવ અને અજીવ સંબંધી અનેક સૈદ્ધાન્તિક વિષયે સમજાવવામાં આવ્યા છે. નન્દીવૃત્તિ ઃ નન્દી ટીકા ૨૩૩૬ શ્લોકપ્રમાણ છે. તેમાં કેવલજ્ઞાન–કેવલદર્શન ચર્ચા – નન્દીચૂર્ણિમાં વર્ણવેલા સર્વ વિષયેનું સ્પષ્ટીકરણ તથા અયોગ્યદાન અને ફલ પ્રક્રિયાનું વિવેચન છે. અનુગદ્વાર વૃત્તિ ઃ અનુયાગવૃત્તિનું નામ “શિષ્યહિતા” છે. પ્રમાણ આદિ સમજાવવા માટે અંગુલેનું સ્વરૂપ, પ્રત્યક્ષ, અનુમાન, આગમની વ્યાખ્યા તેમ જ જ્ઞાનનય અને ક્રિયાનયનું વર્ણન પણ આ ટીકામાં સારી રીતે સમજાવેલ છે. આવશ્યક બ્રહવૃત્તિ પણ આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ રચી હોવાનું માનવામાં આવે છે. તેનું કલેક પ્રમાણ ૮૪૦૦૦ હતું. આજે તે ઉપલબ્ધ નથી. લલિતવિસ્તરવૃત્તિ નમુત્થણ” સૂત્ર (ચૈત્યવંદન સૂત્રો ) ઉપર સંસ્કૃતમાં લલિતપૂર્ણ શૈલીમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિના વાચનના પ્રભાવે શ્રી સિદ્ધર્ષિ મહારાજ જૈન ધર્મમાં સ્થિર થયા હતા. તેને ઉલ્લેખ ગૌરવપૂર્વક કર્યો છે – नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थं निर्मिता येन वृत्तिललितविस्तरा ॥ તત્ત્વાર્થસૂત્ર લઘુવૃત્તિ, પિંડનિયુક્તિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ, કર્મ સ્તવવૃત્તિ, ધ્યાનશતકવૃત્તિ, લઘુક્ષેત્રસમસ વૃત્તિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા, સર્વસિદ્ધિ ટીકા, ન્યાયાવતાર વૃત્તિ આદિ ટીકાઓ આચાર્ય હરિતદ્રસૂરિની અનન્ય શક્તિને બેધ આપે છે. યોગદષ્ટિ સમુચ્ચયવૃત્તિ, ગબિંદુ, યેગવિશિકા, ગશતક વગેરે ગ્રંથ રચ્યા છે. મેગની આઠ દષ્ટિઓનું પ્રતિપાદન સુંદર રીતે સમજાવ્યું છે. તેમણે ચારેય અનુગોની રચના કરી છે. દ્રવ્યાનુયેગમાં ધર્મસંગ્રહણી, ગણિતાનુયોગમાં ક્ષેત્રસમાસવૃત્તિ, ચરણનુગમાં ધર્મબિંદુ, ઉપદેશપદ અને ધર્મકથાનુયોગમાં ધૂર્તાખ્યાન રચેલ છે. ધર્મસંગ્રહણીમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન, સર્વસિદ્ધિનું સમર્થન, ચાર્વાકદર્શનનું યુક્તિપૂર્વક ખંડન છે. સાવગધમ્મ અને સાવગધમ્મ સમાસમાં શ્રાવકધર્મની શિક્ષા અને બાર વ્રતનું વિવેચન છે. અનેકાંત જયપતાકા અને અનેકાંતપ્રેવેશ એ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનેકાંતદષ્ટિને સ્પષ્ટ કરનાર ગંભીર રચના છે. વદર્શન સમુચ્ચયમાં ભારતીય છ દર્શનનું સુંદર નિરૂપણ છે. કથાકેષ તેમને શ્રેષ્ઠ ગ્રંથ હિતે, તે આજે મળતું નથી. અમરાઈચકહા તેમની અત્યંત પ્રસિદ્ધ પ્રાકૃત રચના છે. લોકતત્ત્વનિર્ણય, શ્રાવકપ્રપ્તિ, અષ્ટપ્રકરણ, પંચાશક, પંચવસ્તુ પ્રકરણ ટકા આદિ સાહિત્યગ્રંથ રૂપે શ્રી હરિભદ્રસૂરિ પાસેથી પ્રાપ્ત થયું છે. આગમ પછી જે કંઈ સાહિત્ય રચાયું તેમાં સંખ્યા અને ગુણવત્તાએ તેમ જ શૈલી અને અનુપ્રેક્ષા એમ સમગ્રતા–આચાર્ય હરિભદ્રસૂરિ સર્વોપરી અને શિરમોર છે. તેમનું સર્જન ૧૪૪૪ ગ્રંથ જેટલું વિપુલ હેવાનું મનાય છે. તેમાંથી આજ માત્ર ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ ગ્રંથ ઉપલબ્ધ છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy