SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શાસનપ્રભાવ તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રતોને બતાવી તેઓની સમ્મતિ મેળવી, તે સૂત્રને જ્ઞાનભંડારમાં સ્થાપ્યું. આ રીતે શ્રી હરિભદ્રસૂરિ એ “મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર કર્યો. આચાર્ય હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં બીજા ઘણા ગ્રંથકારોનાં નામે અને તેમનાં અવતરણે આપ્યાં છે, જે તેમની બહુશ્રુતતાના પરિચાયક છે. તે પૈકીના કેટલાક જૈનાચાર્યો, બૌદ્ધાચાર્યો, ગાચાર્યો આદિ દાર્શનિકેનાં નામ નીચે પ્રમાણે છે : જૈનાચાર્યો : શ્રુતકેવલી ભદ્રબાહુવામી, વાચક ઉમાસ્વાતિજી, શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય સંઘદાસગણિ આચાર્ય મલવાદીસૂરિ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી અજિતયશસૂરિ, શ્રી જિનદાસ મહત્તર, શ્રી સિદ્ધસેનગણિ વગેરે. બૌદ્ધાચાર્યો : આચાર્ય કુક્ક, દિનાથ, ધર્મપાલ, ધર્મદીતિ, ધર્મોત્તર, ભદન્ત દિઅ, વસુબંધુ, શાંતિરક્ષિત, શુભગુપ્ત વગેરે. બ્રાહ્મણ આચાર્યો : આચાર્ય અવધૂત આસૂરિ, ઇશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર પાતંજલિ, યુગાચાર્ય પાતંજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તુહરિ વૈયાકરણ, મહર્ષિ વ્યાસ, વિંધ્યવાસી, શિવધર્મોત્તર વગેરે. યોગાચાર્યો : ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદત ભાસુર, બધુ ભગવન્તવાદી ઇત્યાદિ ઉપરાંત કથાઓમાં આચાર્ય સંઘદાસગણિને વસુદેવહિંડી, સુબંધુની વાસવદત્તા અને કવિ હર્ષની પ્રિયદર્શનને યાદ કર્યા છે. બીજી બાજુ, તેમના ગ્રંથ જેમને માર્ગદર્શક બન્યા છે તેવા શ્રી ઉદ્યોત્તનસૂરિ, આચાર્ય સિદ્ધષિ, મહાકવિ ધનપાલ, શ્રી જિનેશ્વરસૂરિ, શ્રી વાદિદેવસૂરિ, શ્રી દેવચંદ્રસૂરિ, આચાર્ય મલયગિરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી સંગમસિંહસૂરિ, આચાર્ય યક્ષદેવ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વગેરેએ પિતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિને ભાવભીની અંજલિ સમપી છે. - સાહિત્ય : આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિપુલ પ્રમાણમાં ઉચ્ચ કોટિના સાહિત્યનું સર્જન કરેલ છે. તેમના ગ્રંથો જેનશાસનને અનુપમ વૈભવ છે. આગમિક ક્ષેત્રમાં તેઓ સર્વપ્રથમ ટીકા(વૃત્તિ)કાર હતા. વિષયમાં તેમણે નવી દષ્ટિ આપી. જ્ઞાનવર્ધક પ્રકીર્ણ ગ્રંથની પણ રચના કરી. ટીકાગ્રંથ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નદી, અનુગદ્વાર વગેરે આગ પર ટીકાઓ રચી છે. પિંડનિર્યુક્તિની તેમની અપૂર્ણ રચના વિરાચાર્યો પૂર્ણ કરી છે. વિવિધ વિષયોનું વિવેચન કરતી તેમની ટીકાઓ વિશેષ જ્ઞાનવર્ધક સિદ્ધ થઈ છે. આચાર્ય હરિભદ્રસૂરિનાં સાહિત્યસર્જનેને જેટલે મહિમા કરીએ તેટલે ઓછો છે. તેમ છતાં ડીએક ઝાંખી પ્રાપ્ત કરી શકાય. આવશ્યક ટીકાઃ આવશ્યક નિર્યુક્તિની ગાથાઓ ઉપર આ ટકાની રચના થઈ છે. આમાં સામાયિક આદિ પદ પર ઘણા જ વિસ્તારથી વિવેચન છે. આ ટકાની પરસમાપ્તિમાં જિનભટ્ટ, જિનદત્ત, યાકિની મહત્તા આદિને ઉલ્લેખ કરી, પિતાને અપલ્પમતિ કહી પરિચય આપે છે. આ ટીકા ૨૨૦૦૦ કપ્રમાણ છે. દશવૈકાલિક ટકા : આ ટીકાની રચના દશવૈકાલિક નિર્યુક્તિની ગાથાઓને આધારે થઈ છે. તેનું નામ શિલ્પબેધિની વૃદ્ધિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy