SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો સંબધી પૂછયું : “આ સ્થાને ચકાહટ કઈ વાતમાં થઈ રહ્યો છે? અર્થ વગરનું પુનરાવર્તન શા માટે કરી રહ્યા છે?” હરિભદ્ર અતિ વક ભાષામાં આ પ્રશ્ન કર્યો હતો પણ શ્રી યાકિની મહત્તરા ધીરગંભીર, આગમજ્ઞાતા અને વ્યવહારનિપુણ સાધ્વી હતાં. તેમણે સ્વસ્થભાવે ઉત્તર આ કે, “નૂતન સ્ટિd વિરાજિયતે I –નવું લેપ કરાયેલ આંગણું ચકચકાટ કરે છે.” સાધ્વીશ્રી યાકિની મહત્તા દ્વારા અપાયેલ તર્કબદ્ધ ઉત્તરને સાંભળી પંડિત હરિભદ્ર પ્રભાવિત થયા. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્ર બનીને કહ્યું કે, “કૃપા કરી મને આ ગાથાને અર્થ સમજાવે.” સાધ્વીજીએ પણ સરળતાથી કહ્યું કે, “આ ગાથાને અર્થ સમજ હોય તે તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજો. અમારે એ આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજે.” હરિભદ્ર બીજા દિવસે સવારે ત્યાં વિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ પાસે જવા નીકળ્યા. ત્યાં જતાં પ્રથમ તેમણે જિનાલયમાં પ્રવેશ કર્યો. તેઓ આ પહેલાં પણ ઉન્મત્ત હાથીથી જીવ બચાવવા આ જિનાલયમાં આવ્યા હતા. એ વખતે તે જિનપ્રતિમાને જોઈ તેને ઉપહાસ કર્યો હતે. એ વાત અત્યારે સ્મૃતિમાં આવતાં તેમને ગ્લાનિ થઈ. નિર્મળ ભાવ પ્રગટતાં આ વખતે પ્રતિમાને જોતાં જ હરિભદ્ર ભક્તિભાવે બોલ્યા કે, વપુલ તવાર માવજ ! વીતતાનું ! નહિ વોરાસંઘેડનૌ તમવતિ શાસ્ત્ર: ” હે ભગવન! તમારી આ ભવ્ય આકૃતિ ખરેખર વીતરાગતાને પ્રગટ કરી રહી છે, જેની અંદર અગ્નિ હોય તે વૃક્ષ ક્યારેય લીલું રહેતું નથી.” આચાર્યશ્રી પાસે પહોંચતાં જ હરિભદ્રને અત્યંત પ્રસન્નતા થઈ. તેમને નમન કરી, પિતાના આગમનનું પ્રજન જણાવી, આચાર્યશ્રીને દુi૦ ગાથાને અર્થ સમજાવવા વિનંતિ કરી. આચાર્ય જિનદત્તસૂરિએ તેમને ગાથાને અર્થે સુંદર રીતે સમજાવ્યું અને યાકિની મહત્તરને ગૌરવયુક્ત શબ્દોમાં પરિચય આપતાં કહ્યું કે, “આગમપ્રવીણ સાધ્વીસમુદાયમાં મુકુટમણિ મહત્તરાપદથી અલંકૃત સાધ્વી યાકિની મારા સંસારીપણે મોટાં બહેન છે.” હરિભદ્ર પણ યાકિની મહત્તરા પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરતાં બોલ્યા કે, “હું શાસ્ત્રવિશારદ હોવા છતાં પણ મૂઢ હતે. પુણ્યના ભેગે જ ધર્મમાતા યાકિની દ્વારા મેં બેધ પ્રાપ્ત કર્યો છે... અને પિતાની પ્રતિજ્ઞાની જાણ કરતાં કહ્યું કે, “મારે પ્રતિજ્ઞા છે કે હું જેમની વાત–ગાથા સમજી ન શકું તેમને શિષ્ય બની જાઉં. તે આપ કૃપા કરી મને શિષ્ય બનાવે.” આચાર્ય જિનદત્તસૂરિએ તેમને નિર્મળ ભાવ જાણી, દીક્ષા પ્રદાન કરી, શિષ્ય બનાવ્યા. મુનિ હરિભદ્ર પૂર્વે વૈદિક દર્શનના પારંગત વિદ્વાન હતા, અને હવે શ્રમણદીક્ષા લીધા પછી થોડા જ સમયમાં જેનદર્શનના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy