SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શાસનપ્રભાવક पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । સુત્તિમાનં ચર્ચા તસ્ય ચર્થ પuિg . (તસ્વનિર્ણય) પ્રભાવકચરિત્ર અને પ્રબંધકેશ મુજબ શ્રી હરિભદ્રસૂરિના દીક્ષાગુરુ જિનભટ્ટ હતા. પુરાતન પ્રબંધસંગ્રહ ગ્રંથમાં તેમના ગુરુનું નામ જિનભદ્ર છે. “કથાવલી”માં તેમના ગુરુનું નામ જિનદત્ત છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ પિતાની કૃતિઓમાં સ્થાને સ્થાને જિનદત્ત નામનો ઉલ્લેખ કર્યો છે. આવશ્યકવૃત્તિમાં તેમણે વેતાંબર પરંપરા, વિદ્યાધરફુલ, દીક્ષાગુરુ જિનદત્તસૂરિ તથા વિદ્યાગુરુ આચાર્ય જિનભદ્રના નામને તેમ જ સાધ્વીજી યાકિની મહત્તાના પિતે ધર્મપુત્ર હોવાને પણ નિર્દેશ કર્યો છે. - આચાર્યશ્રી હરિભદ્રને જન્મ ચિત્રકૂટનિવાસી અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેઓ ચિતોડનરેશ જિતારિના રાજપુરોહિત હતા. કથાવલી ગ્રંથ પ્રમાણે પંડિત હરિભદ્ર “પિર્વગુઈ નામે બ્રહ્મપુરીના નિવાસી હતા. તેમની માતાનું નામ ગંગણ અને પિતાનું નામ શંકર ભટ્ટ હતું. પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. ચૌદ બ્રાહ્મણ વિદ્યાના તેઓ પારગામી હતા. રાજપુરોહિત જેવા ઉચ્ચ પદે હેવાથી જનસમુદાયમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. હરિભદ્ર પંડિતમાં અગ્રેસર હતા. શાસ્ત્રવિશારદ વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરવામાં સદા ઉત્સુક અને તત્પર રહેતા હતા. તેમને જ્ઞાનને ગર્વ હતું. કઈ પણ શાસ્ત્રપાઠ–ગાથા પિતાને ન સમજાય તેવું બને નહીં અને બને તો તેને શિષ્ય બની જાઉં–એવી તે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. પિતાને કવિયુગના સર્વજ્ઞ માનતા હતા. એક વખત રાજપુરોહિત હરિભદ્ર પાલખીમાં બેસી રાજમાર્ગો પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે ઘણું લોકે હતા. રાજપુરોહિતના સન્માનમાં “જય જય” ધ્વનિથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અચાનક એક મેટે હાથી ઉન્મત્ત બની સામે આવતા જોવામાં આવ્યું. જીવ બચાવવા લેકે આમતેમ ભાગવા લાગ્યાં. હરિભદ્ર પણ પાલખીમાંથી કૂદકે મારી પાસેના મંદિરમાં ઘૂસી ગયા. “ત્તિના તાહથમાનcર જ છેન મન્દિરમ્ ! ” એ વાત ગૌણ અને પ્રાણુરક્ષા મુખ્ય બની ગઈ! મંદિરમાં જિનપ્રતિમાને જોઈ “વપુવતવાદ, સ્પષ્ટ મિષ્ટાન્નમોનનમ્ | એ વાક્ય કહી તેમણે જિનપ્રતિમાને ઉપહાસ કર્યો. આ ઘટના પછી એક વખત રાજપુરેડિત હરિભદ્ર રાજસભામાંથી પાછા ફરતાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં સાધ્વીસંઘના પ્રવતિની મહત્તા યાકિની સંગ્રહણી ગાથાને મધુર સ્વરે પાઠ કરી રહ્યાં હતાં : " चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसय चक्कीया ॥" કના સ્વરતરંગ રાજપુરોહિત હરિભદ્રના કાને અથડાયા તેણે તે ગાથા વારંવાર સાંભળી. ધ્યાનપૂર્વક વારંવાર વિચાર કર્યો, પરંતુ અર્થબંધ પામી ન શકયા. અર્થ જાણવા માટે ઉપાશ્રય તરફ ગયા. ઉપાશ્રયમાં જઈ દૂર ઊભા રહી, હરિભદ્રે ત્યાં બિરાજેલાં સાધ્વીજીઓને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy