SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧૯૭ પ્રભાવક ચરિત્ર મુજબ આચાર્યશ્રી માનતુંગસૂરિને કાશીનરેશ શ્રી હર્ષદેવના સમકાલીન માનવામાં આવ્યા છે. હર્ષને રાજ્યાભિષેક ઈ. સ. ૬૦૮ જણાવવામાં આવે છે. તેથી આચાર્ય માનતુંગસૂરિને સમય વીરનિર્વાણની બારમી (વિક્રમની સાતમી) શતાબ્દી હવાને સંભવ છે. — — — — સુપ્રસિદ્ધ ચૂર્ણિ સાહિત્યકાર અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી જિનદાસગણિ મહત્તર શ્રી જૈન વેતાંબર પરંપરામાં આગમ વ્યાખ્યાકાર શ્રી જિનદાસગણિ મહત્તરનું સ્થાન વિશિષ્ટ છે. સમસ્ત જૈનસંઘમાં તેમની પ્રસિદ્ધિ શૂર્ણિસાહિત્યકાર રૂપે છે. શ્રી જિનદાસગણિના ગુરુનું નામ ગોપાલગણિ મહત્તર હતું. ગોપાલગણિ મહત્તર વાણિજ્યકુલ, કેટિકગણ અને વજશાખાના વિદ્વાન હતા. સ્વ–પર સમયના જ્ઞાતા હતા. શ્રી જિનદાસગણિ મહત્તરના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ હતા. તેમને ગણિપદ પિતાના ગુરુ દ્વારા મળ્યું હતું અને મહત્તરપદ જનતા દ્વારા મળ્યું હતું. ચૂર્ણિસાહિત્ય પ્રમાણે શ્રી જિનદાસગણિ મહત્તરના પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા અનુમાનવામાં આવે છે. તેઓ સાત ભાઈ હતા. દેહડ, સીહ, શેર એ ત્રણ ભાઈ તેમનાથી મોટા હતા અને દેઉલ, લુણ અને તિઉજ્જગ એ ત્રણ તેમનાથી નાના હતા. નંદીચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસગણિ મહત્તરે પિતાના નામને પરિચય આપે છે. ઉત્તરાધ્યયનચૂર્ણિમાં પિતાના ગુરુનું નામ, કુળ તથા ગણ અને શાખાને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના પ્રારંભમાં વિદ્યાગુરુ તરીકે પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસ મહત્તરે રહસ્યમય શૈલીમાં પિતાના નામને પરિચય આપે છે, જે આ પ્રમાણે છેઃ ति चउपण अट्ठमवग्गे ति तिग अक्खरा व तेसि । पढमततिएही तिदुसरजुएही णामं कयं जस्स ॥ અકાર આદિ સ્વરપ્રધાન વર્ણમાળાને એક વર્ગ માનવાથી જ વર્ગથી જ્ઞ વર્ગ સુધી આઠ વર્ગ બને છે. આ કમથી ત્રીજા જ વર્ગને ત્રીજો અક્ષર ગ, ચેથા ર વર્ગનો પાંચમે અક્ષર ગ, પાંચમા ત વર્ગને ત્રીજો અક્ષર , આઠમા વગરને ત્રીજો અક્ષર સ તથા પ્રથમ જ વર્ગની ત્રીજી માત્રા , બીજી માત્રા બા અને ર ને ૨ સાથે જોડવાથી જે નામ બને છે તે નામને ધારણ કરનાર વ્યક્તિએ આ ચૂર્ણિનું નિર્માણ કર્યું છે. આ નામ બિનવાન બને છે. પિતાના નામનો પરિચય માટે આવા પ્રકારની શૈલી સાહિત્યક્ષેત્રમાં બહુ અપ જોવા મળે છે. સાહિત્યક્ષેત્રમાં શ્રી જિનદાસગણિ મહત્તરની પ્રસિદ્ધિ ચૂર્ણિકાર રૂપે છે. વ્યાખ્યાસાહિત્યમાં ચૂર્ણિ સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. ચૂર્ણિઓ ગદ્યમય હોય છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત હોય છે. ભાષ્ય અને નિયુક્તિ કરતાં ચૂર્ણિ સાહિત્ય વધારે વિસ્તૃત છે. ગદ્યરૂપે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy