SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શાસનપ્રભાવક પ્રવૃત્તિ મેક્ષની સિદ્ધિ માટે હોય છે.” આચાર્ય માનતુંગસૂરિની આ વાત સાંભળી રાજા હર્ષદેવ ગંભીર બની ગયા. તેમના આદેશથી સેવકેએ લેઢાની ૪૪ સાંકળેથી શ્રી માનતુંગસૂરિને પગથી માથા સુધી બાંધ્યા અને એક અંધારા ઘરમાં પૂરી દીધા. આચાર્ય માનતુંગસૂરિ ચમત્કારિક વિદ્યાઓનું પ્રદર્શન કરવા ઇચ્છતા ન હતા, પરંતુ જેનશાસનની પ્રભાવનાને મુખ્ય ઉદેશ સામે આવ્યું. તેઓ જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બની ગયા. ભક્તિરસથી ભરપૂર ૪૪ લેક તેમણે રચા. દરેક લેક બેલતાની સાથે લેઢાની સાંકળ અને તાળાં તૂટવા લાગ્યાં. આચાર્યશ્રી માનતુંગસૂરિ લેઢાની સાંકળોથી મુક્ત બની રાજસભામાં પધાર્યા. તેમણે મધુર શબ્દોથી રાજાને ધર્મલાભ આપે. આ વિસ્મયકારક ઘટના જોઈ રાજા હર્ષદેવ અત્યંત પ્રભાવિત થયા અને બોલ્યા કે, “મુનિવર્ય! આપને સમતાભાવ અને સમર્પણભાવ અદ્ભુત છે. હું ધન્ય છું, મારો દેશ ધન્ય છે, મારે આજ દિવસ ધન્ય છે. આજથી હું આપને ઉપદેશ સ્વીકારું છું. આપ મને માર્ગદર્શન આપે અને ઉત્તમ શિક્ષારૂપ સુધાપાનથી મને તૃપ્ત કરો.” આચાર્યશ્રી માનતુંગસૂરિના સદુપદેશથી રાજા હર્ષદેવે જૈનશાસનની ઉન્નતિ માટે અનેક કાર્યો કર્યા અને પિતે જેનધર્મને સ્વીકાર કર્યો. (શ્રી જૈનશાસનમાં શ્રી માનતુંગસૂરિ મહાન તેજસ્વી આચાર્ય થયા. તેમણે પિતાના શિષ્યને અનેક પ્રકારે બોધ આપી સુષ્ય બનાવ્યા. ગુણાકાર નામના શિષ્યને પિતાના પદે સ્થાપી ઇગિની અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. તેમની પ્રતિભા શ્રેષ્ઠ હતી. કાવ્યરચનાશક્તિ અનુપમ હતી. તેમના પ્રત્યેક કલેક કાવ્યમય છે. કલેકની પ્રત્યેક પંક્તિમાંથી ભક્તિરસનાં ઝરણાં વહે છે. હાલમાં તેમની બે રચનાઓ મળે છે : ૧. ભક્તામર સ્તોત્ર અને ૨. ભયહર તેત્ર. ) (૧) ભક્તામર સ્તોત્ર : ભક્તામર શબ્દથી શરૂ થતું હોવાથી આ સ્તોત્રનું નામ ભક્તામર છે. આ રસ્તેત્રની રચના વસંતતિલકા છંદમાં થઈ છે. એમાં શ્રી ષભદેવ પરમાત્માની સ્તુતિ છે. તેત્રની પદરચનાનું પ્રત્યેક પ૮ અસાધારણ ભક્તિનું મૂર્ત રૂપ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરરચિત “કલ્યાણમંદિર સ્તોત્રને પ્રભાવ એમાં સ્પષ્ટ દેખાય છે. આજે આ “ભક્તામર તેત્ર” વિદ્યમાન છે. હજારો સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આ તેત્રને નિરંતર પાઠ કરે છે. ભક્તિરસભરપૂર આ સ્તંત્રને આધાર લઈ, વિશેષ તે પ્રથમ ચરણને આધાર લઈ, કેટલાયે વિદ્વાનોએ તેના પર ટીકા રચી છે, કેટલાકે સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ કર્યા છે. (૨) ભયહર (નામિણ) સ્તોત્રઃ આ સ્તોત્ર શ્રી માનતુંગસૂરિની પ્રાકૃત રચના છે. આ સ્તંત્રમાં ૨૧ પદ્ય છે. આ સ્તંત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. આ સ્તંત્રરચનાની સાથે એક વિશેષ પ્રસંગ જોડાયેલું છે. એક નખત શ્રી માનતુંગસૂરિ અસ્વસ્થ થઈ ગયા હતા. રેગે શાંતિ ન થવાનું જાણું શ્રી માનતુંગસૂરિએ અનશન કરવાનો વિચાર કર્યો. શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યું. શ્રી ધરણેન્દ્ર પ્રગટ થઈ ૧૮ અક્ષરનો મંત્ર (નમિષા પાસ વિસા વતનકૃષિા) તેમને આપ્યું. એ મંત્રાક્ષને આધારે આચાર્ય માનતુંગસૂરિએ આ ભયહર તેત્રની રચના કરી. આ મંત્રના પ્રભાવથી તેઓ રેગમુક્ત થયા હતા. આ સ્તોત્ર આજે પણ વિદ્યમાન છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy